સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) 25થી 28 ઓક્ટોબર સુધી દિલ્હી (Delhi)માં યોજાનારી ટોચના કમાન્ડરોની કોન્ફરન્સને સંબોધશે. આ સંમલેનમાં અન્ય મુદ્દાઓની સાથે સાથે સરહદોની સ્થિતિ અને ત્યાંના વર્તમાન પડકારને લગતી વ્યૂહરચના પર મંથન થશે.
સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે સોમવારથી શરૂ થતાં આ આર્મી કમાન્ડર્સનું સંમેલન 28 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat), સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણે (manoj mukund), નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ (admiral karambir singh) અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી (Vivek Ram Chaudhari) આમાં ભાગ લેશે.
તે સિવાય ટોચના કમાન્ડર પણ આ સંમેલનમાં ભાગ લેશે. સંરક્ષણ પ્રધાન આ સંમેલનમાં ભવિષ્યના પડકારો પર વિચાર વિમર્શ કરશે. સૈન્ય કમાન્ડર સંમેલનનું આયોજન વર્ષમાં 2 વખત એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં કરે છે. આ પરિષદ એક સંસ્થાકીય મંચ છે જેના પર વૈચારિક સ્તરે સંબંધિત તમામ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવે છે, જેના આધારે ભવિષ્યના નિર્ણયો લેવામાં આવે છે તેમજ નીતિ બનાવવામાં આવે છે. આ મંચ આર્મીના ટોચના નેતૃત્વને સૈન્ય બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવાની તક પૂરી પાડે છે.
3 દિવસના સંમેલન દરમિયાન સેનાનું ટોચનું નેતૃત્વ સરહદો પર હાલની સ્થિતિ તથા કોવિડ મહામારીથી ઉભા થયેલા પડકારોની વચ્ચે સુરક્ષા પડકારો તથા વહીવટી પાસાઓ પર ઉંડાણપૂર્વક વિચાર કરશે. સંમેલનમાં 3 સેનાઓની વચ્ચે સારા સંકલન તથા એકીકરણને મજબૂત બનાવવાના ઉપાયો પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.