Rajasthan: ‘ભારત જોડો યાત્રા’ના આગમન પહેલા વિવાદનો અંત આવ્યો? ગેહલોત-પાયલટ એક જ મંચ પર જોવા મળ્યા
કોંગ્રેસ (Congress) સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક બાદ ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં બધા એક છે, અમે બંને નેતાઓ પાર્ટીની સંપત્તિ છીએ અને સાથે મળીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવીશું.
રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ બાદ ભારત જોડો યાત્રાની તૈયારીઓની બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પહેલીવાર એક મંચ પર સાથે દેખાયા હતા. મીટિંગ બાદ લાંબા સમય પછી ગેહલોત અને પાયલટે એકસાથે મીડિયા સાથે વાત કરી. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના નેતૃત્વમાં યોજાયેલી બેઠક બાદ ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનમાં બધા એક છે, અમે બંને નેતાઓ પાર્ટીની સંપત્તિ છીએ અને સાથે મળીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સફળ બનાવીશું.
રાહુલ ગાંધીની યાત્રાનું પૂરા ઉત્સાહ અને તાકાત સાથે સ્વાગત કરવામાં આવશે: સચિન પાયલટ
સચિન પાયલટે કહ્યું કે, રાજસ્થાનમાં રાહુલ ગાંધીની યાત્રાનું પૂરા ઉત્સાહ અને તાકાત સાથે સ્વાગત કરવામાં આવશે. પાયલોટે કહ્યું કે આ યાત્રા રાજ્યમાં 12 દિવસ પસાર કરશે જે તમામ વર્ગના લોકોની ભાગીદારી સાથે ઐતિહાસિક યાત્રા હશે. આ મીટીંગમાં પહોચતા પાયલોટ-ગેહલોતે એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને બંનેએ એકતાનો સંદેશો આપ્યો હતો. મીટિંગ પહેલા જ સીએમ અશોક ગેહલોતે રાહુલ ગાંધીની સંપત્તિની વાતનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે બંને નેતાઓ સંપત્તિ છે, તો આમાં કહેવા માટે હવે કંઈ બાકી નથી.
We are united. Here Ashok Ji and Sachin Pilot Ji have said that the #Congress party in Rajasthan is united. Rahul Gandhi has clearly stated that both Ashok Gehlot and Sachin Pilot are assets to the party: KC Venugopal, Gen Secy-Org, Congress, at Jaipur#TV9News pic.twitter.com/VrDZnKUgej
— Tv9 Gujarati (@tv9gujarati) November 29, 2022
રાહુલ ગાંધીની યાત્રા ઐતિહાસિક રહેશે: સચિન પાયલટ
સચિન પાયલોટે બેઠક બાદ કહ્યું કે, રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા સકારાત્મક સંદેશ સાથે જશે અને રાહુલ ગાંધીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. ભાજપ રાહુલ ગાંધીની મુલાકાતથી નર્વસ છે અને તેની પાસે કહેવા માટે કંઈ નથી. પાયલોટે કહ્યું કે હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું, આપણે બધા સાથે મળીને યાત્રાને સફળ બનાવીશું.
અમે બધા એક છીએ: અશોક ગેહલોત
ભારત જોડો યાત્રા અંગે અશોલ ગેહલોતે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી દેશમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓને લઈ નિકળ્યા છે, જેનું સર્વત્ર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રાએ દેશની અંદર ચાલી રહેલા પડકારો સામે વાતાવરણ ઊભું કર્યું છે.
એકતાનો સંદેશ આપતી વખતે, ગેહલોતે ફરીથી પુનરોચ્ચાર કર્યો કે જ્યારે રાહુલ ગાંધીએ અમને બંને નેતાઓને સંપત્તિ કહ્યું છે, ત્યારે અમારી પાર્ટીનો નિયમ રહ્યો છે કે દરેક નેતાના સંદેશને સ્વીકારે. ગેહલોતે કહ્યું કે હવે અમારી સામે 2023નો પડકાર છે અને અમે બધા એક થઈને ચૂંટણી લડીશું.