AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: અશોક ગેહલોતની સભામાં ઘૂસી ગયો આખલો, જાણો પછી અશોક ગેહલોતે શું કહ્યું?

અશોક ગેહલોતના ભાષણ દરમિયાન આખલો લોકો વચ્ચે ઘૂસ્યો હતો અને સભામાં બેઠેલા લોકોમાં દોડધામ મચી હતી.આ મોકાનો લાભ લઈને અશોક ગેહલોતે સભામાં કહ્યું કે, "આ આખલો ભાજપે મોકલ્યો છે. ભાજપ જ આવા ષડયંત્ર કરી શકે આ ભાજપનું કામ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2022 | 9:05 PM
Share

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: મહેસાણામાં કોંગ્રેસની ચાલુ સભામાં આખલો ઘૂસતા અફરાતફરી મચી હતી અને ફરીથી રખડતા ઢોરના આતંકનો મુદ્દો ચૂંટણીમાં છવાયો હતો. CM અશોક ગેહલોતના ભાષણ દરમિયાન આખલો લોકો વચ્ચે ઘુસ્યો હતો અને સભામાં બેઠેલા લોકોમાં દોડધામ મચી હતી સાથે જ લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. તો બીજી તરફ મોકાનો લાભ લઈને અશોક ગેહલોતે સભામાં કહ્યું કે, “આ આખલો ભાજપે મોકલ્યો છે. ભાજપ જ આવા ષડયંત્ર કરી શકે આ ભાજપનું કામ છે. નોંધનીય છે કે  હાલમાં ગુજરાતમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે માહોલ રચમસીમાએ છે ત્યારે ભાજપ , કોંગ્રેસ અને AAP ના નેતાઓ  ગુજરાતને ઘમરોળી રહ્યા છે ત્યારે  કોંગ્રેસના વરિષ્ઠ નેતા  અશોક ગેહલોત આજે મહેસાણામાં ઉપસ્થિત રહ્યા હતા અને  તેમણે સભાને સંબોધિત કરી હતી. જોકે તેમના સંબોધન દરમિયાન ચાલુ સભામાં આખલો ઘૂસી આવ્યો હતો અને થોડી વાર તો સભામાં નાસભાગ મચી ગઈ હતી. આથી તેમણે ભાજપ ઉપર આકરા વાકપ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે  આ આખલો ભાજપે જ મોકલ્યો છે.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">