AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરિદ્વાર ધર્મ સંસદ વિવાદ પર અશોક ગેહલોતનું નિવેદન, ઉશ્કેરણીજનક નિવેદનો પર પીએમ મોદી અને ગૃહમંત્રી કેમ ચૂપ ?

ઉત્તરાખંડના હરિદ્વારમાં 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સાધુ-સંતોએ પ્રવચનો આપ્યા હતા. આ ભાષણોમાંથી કેટલાક સંતોના વાંધાજનક શબ્દો ધરાવતા વિવાદાસ્પદ ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

હરિદ્વાર ધર્મ સંસદ વિવાદ પર અશોક ગેહલોતનું નિવેદન, ઉશ્કેરણીજનક નિવેદનો પર પીએમ મોદી અને ગૃહમંત્રી કેમ ચૂપ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 12:47 PM
Share

ઉત્તરાખંડના હરિદ્વારમાં (Haridwar) 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ધર્મ સંસદનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થવાના મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની (CM Ashok Gehlot) પ્રતિક્રિયા આવી છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું છે કે હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદે દેશને હચમચાવી નાખ્યો છે. આપણે જે સાધુ-સંતોનું સન્માન કરીએ છીએ તે આવી હિંસક ભાષા બોલશે, તે સંપૂર્ણપણે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોની વિરુદ્ધ છે.

ગેહલોતે કહ્યું કે આ ધર્મ સંસદમાં જે નિવેદનો કરવામાં આવ્યા તેની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આ મુદ્દે અત્યાર સુધી મૌન કેમ સેવ્યું છે. શા માટે તે આવી ભાષાનો ઉપયોગ કરનારા લોકો સામે કોઈ પગલાં નથી લેતા? ગેહલોતે કહ્યું કે દુનિયાને અહિંસાનો પાઠ ભણાવનાર દેશમાં આવી ભાષા બોલવી આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે.

ધર્મ સંસદના મુદ્દે ભાજપને ઘેરવાના મૂડમાં કોંગ્રેસ સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસના (Congress) ઘણા નેતાઓએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભાજપના (BJP) મૌનને ઘેરી લીધું છે. ગેહલોતે બીજેપીને વધુ ઘેરતા કહ્યું કે આપણા દેશમાં કોઈપણ અસામાજિક તત્વ લોકોને મારવા માટે ઉશ્કેરે છે અને તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તે ફક્ત જંગલરાજમાં થાય છે જે ભાજપ શાસિત રાજ્યોમાં બન્યું છે.

સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લેવું જોઈએ ગેહલોતે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની નોંધ લઈને કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ સામાન્ય નાગરિકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે આપણે સૌએ નક્કી કરવાનું છે કે શું આવા હિંસક અને હત્યા માટે ઉશ્કેરનારા કોઈ ધર્મના પ્રતિનિધિ હોઈ શકે? આપણે વિચારવું પડશે કે આ લોકો આપણને ક્યાં લઈ જવા માંગે છે.

હરિદ્વારમાં ધર્મસંસદ યોજાઈ હતી ઉત્તરાખંડના હરિદ્વારમાં 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સાધુ-સંતોએ પ્રવચનો આપ્યા હતા. આ ભાષણોમાંથી કેટલાક સંતોના વાંધાજનક શબ્દો ધરાવતા વિવાદાસ્પદ ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ધાકધમકી અને હિંસાના નિવેદનો છે.

આ પણ વાંચો : Corona Update: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 6,531 નવા કેસ નોંધાયા, દેશમાં ઓમીક્રોનના કુલ 578 કેસ

આ પણ વાંચો : Maharashtra : વિધાનસભાના શિયાળુ સત્ર પર કોરોનાનુ સંક્ટ, કોરોના વોરિયર્સ સહિત 35 લોકો કોરોનાની ઝપેટમાં

Follow Us
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">