AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રજામાં રેલવેની ભેટ: વેકેશનમાં રાજસ્થાનમાં ફરવા જવા માટે રેલવેએ અમદાવાદથી જયપુર ટ્રેન કરી શરૂ, જાણો ટ્રેનનું ટાઈમટેબલ

જયપુર અને ઉદયપુરથી અમદાવાદ સુધી મુસાફરોના વધારાને ધ્યાનમાં રાખીને ઉત્તર પશ્ચિમ રેલવેએ આ રૂટ પર જયપુર-અસારવા-જયપુર એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. શુક્રવારે ઉદયપુરના સાંસદ અર્જુન લાલ મીણા, બાંસવાડાના સાંસદ કનકમલ કટારા અને ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીએ ઉદયપુર રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

રજામાં રેલવેની ભેટ: વેકેશનમાં રાજસ્થાનમાં ફરવા જવા માટે રેલવેએ અમદાવાદથી જયપુર ટ્રેન કરી શરૂ, જાણો ટ્રેનનું ટાઈમટેબલ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 4:01 PM
Share

ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજીવ ધનખરે જણાવ્યું હતું કે, આ ટ્રેનની શરૂઆતથી જયપુર અને અજમેરના મુસાફરોને અમદાવાદ પહોંચવા માટે વધારાનો વૈકલ્પિક માર્ગ અને ટ્રેન મળી છે. આ ટ્રેન જયપુર, ફૂલેરા, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી ​​જં, રાણાપ્રતાપનગર, ઉદયપુર શહેર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાંદોલ દહેગામ અને સરદાર ગ્રામ સ્ટેશનો થઈને અમદાવાદ પહોંચશે. આવી સ્થિતિમાં આ સ્ટેશનોના મુસાફરોને વધુ એક વધારાની ટ્રેનની સુવિધા મળશે.

આ પણ વાચો: સર્કસમાં ટ્રેનરને સિંહે મારી જ નાંખ્યો હોત, ટ્રેનરે ગુસ્સામાં શું કર્યું જુઓ Viral Video

આ ટ્રેન સેવા મુસાફરો માટે દરરોજ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 12981 જયપુર-અસારવા સુપરફાસ્ટ 3 માર્ચના રોજ જયપુરથી દરરોજ 19.35 કલાકે (સાંજે 7.35 કલાક) ઉપડશે અને બીજા દિવસે સવારે 8.50 કલાકે અસારવા પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 12982 અસારવા-જયપુર સુપરફાસ્ટ ટ્રેન સેવા અસારવાથી 4 માર્ચથી દરરોજ 18.45 કલાકે (સાંજે 6.45 કલાક) ઉપડશે અને બીજા દિવસે 7.35 કલાકે જયપુર પહોંચશે.

IRCTCના આ ટૂર પેકેજમાં હોળી પછી જઈ શકો છો ઊટી ફરવા

IRCTCનું આ ટ્રેન ટૂર પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. આ ટૂર પેકેજ હોળીના બીજા દિવસે એટલે કે 9મી માર્ચે ચેન્નાઈથી શરૂ થશે. આ ટ્રેન ટૂર પેકેજમાં, તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નુરની મુલાકાત લઈ શકશો. ટ્રાવેલિંગ મોડ ટ્રેનનો હશે અને ટિકિટમાં તમે થર્ડ એસી અને ટુએસ ટિકિટ પર મુસાફરી કરી શકશો. આ ટૂર પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.

માર્ચ મહિનો ખૂબ જ ખાસ હોય છે. જો તમે હોળી પછી તમારી ગર્લફ્રેન્ડ, પત્ની અથવા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં IRCTCએ એક ટ્રેન ટૂર પેકેજ બહાર પાડ્યું છે, જેમાં તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નૂરની મુલાકાત લઈ શકશો. આ IRCTC ટુર પેકેજનું નામ CHENNAI-OOTY-MUDUMALAI-CHENNAI (SMR007) છે.

IRCTCનું આ ટ્રેન ટૂર પેકેજ 4 રાત અને 5 દિવસનું છે. આ ટૂર પેકેજ હોળીના બીજા દિવસે એટલે કે 9મી માર્ચે ચેન્નાઈથી શરૂ થશે. આ ટ્રેન ટૂર પેકેજમાં, તમે ઉટી, મુદુમલાઈ અને કુન્નુરની મુલાકાત લઈ શકશો. ટ્રાવેલિંગ મોડ ટ્રેનનો હશે અને ટિકિટમાં તમે થર્ડ એસી અને ટુએસ ટિકિટ પર મુસાફરી કરી શકશો. આ ટૂર પેકેજમાં તમને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">