Odisha Train Accident: જે દુર્ઘટનામાં થયા 288 લોકોના મોત તે ટ્રેનના લોકો પાઈલટ અને ગાર્ડનું શું થયું? મહત્વની માહિતી આવી સામે

આ ભયાનક અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે અને 747 ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રેન અકસ્માતની તસવીરો ખૂબ જ દર્દનાક છે. હવે આ અકસ્માતને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે.

Odisha Train Accident: જે દુર્ઘટનામાં થયા 288 લોકોના મોત તે ટ્રેનના લોકો પાઈલટ અને ગાર્ડનું શું થયું? મહત્વની માહિતી આવી સામે
Odisha Train Accident loco pilots and guards
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 9:44 AM

Odisha: ઓડિશાના બાલાસોર(Odisha Train Accident)માં ટ્રેન પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન દુર્ઘટના આ સદીની સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાંની એક છે. આ ભયાનક અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે અને 747 ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રેન અકસ્માતની તસવીરો ખૂબ જ દર્દનાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ પોતે શનિવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના નજીકના સંબંધીઓ માટે સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Odisha Train Accident: 90 ટ્રેન રદ્દ કરાઈ, 46 ટ્રેનનો રૂટ બદલાયો, મનસુખ માંડવિયા જશે ઓડિશા

તેમણે કહ્યું છે કે દુર્ઘટનાના ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને જે પણ દોષિત હશે તેને સખત સજા કરવામાં આવશે. હવે આ અકસ્માતને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે જે ટ્રેનો અથડાઈ છે તેના લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડ ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

માંડ-માંડ બચ્યા માલગાડીના ગાર્ડ અને ડ્રાઈવર

રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ ભયાનક રેલ દુર્ઘટનામાં એન્જીન ડ્રાઈવર અને માલગાડીનો ગાર્ડ અકસ્માતમાં માંડ-માંડ બચ્યા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલ કોરોમંડલ એક્સપ્રેસના લોકો પાઇલટ, સહાયક લોકો પાઇલટ અને ગાર્ડ ઘાયલ થયા હતા. બીજી તરફ, અન્ય એક ટ્રેન બેંગલુરુ-હાવડા એક્સપ્રેસનો ગાર્ડ પણ ઘાયલોમાં સામેલ છે. દરેકની સારવાર કરવામાં આવી રહી છે.

ત્રણ ટ્રેન અથડાઈ હતી

આપને જણાવી દઈએ કે, આ ટ્રેન અકસ્માત ઓડિશાના બાલાસોરમાં સાંજે લગભગ સાત વાગ્યે થયો હતો. અકસ્માતના દિવસે, કોરોમંડલ એક્સપ્રેસ માલવાહક ટ્રેન સાથે અથડાઈ હતી, જેના 17 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલાક કોચ બીજી લાઇન પર પડ્યા હતા, જેના કારણે બીજી બાજુથી આવી રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ તેની સાથે અથડાઈ હતી અને તેના કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માત એટલો ભયાનક હતો કે લગભગ 90 ટ્રેનોને અસર થઈ હતી. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવી પડી હતી.

ટ્રેક રિપેરનું કામ ચાલુ છે

ટ્રેન દુર્ઘટના બાદ શનિવારે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બચાવ કાર્યમાં સ્થાનિક પ્રશાસન ઉપરાંત એનડીઆરએફ અને સેનાની પણ મદદ લેવામાં આવી હતી. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1000 થી વધુ કર્મચારીઓ ટ્રેક રિસ્ટોરેશનના કામમાં લાગેલા છે. આ ઉપરાંત 7 થી વધુ પોકલેન મશીન, 2 અકસ્માત રાહત ટ્રેન, 3 થી 4 રેલવે અને રોડ ક્રેન્સ તૈનાત કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">