AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: 90 ટ્રેન રદ્દ કરાઈ, 46 ટ્રેનનો રૂટ બદલાયો, મનસુખ માંડવિયા જશે ઓડિશા

હાવડા-ચેન્નઈ રૂટ પરની 90 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 46ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, સોમવાર (5 જૂન) સુધીમાં ટ્રેકનું સમારકામ થવાની ધારણા છે. ત્યારે આજે (4 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓડિશા જશે અને ઘાયલોને મળશે.

Odisha Train Accident: 90 ટ્રેન રદ્દ કરાઈ, 46 ટ્રેનનો રૂટ બદલાયો, મનસુખ માંડવિયા જશે ઓડિશા
Odisha Train Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 9:04 AM
Share

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત અને રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેકને રિપેર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હાવડા-ચેન્નઈ રૂટ પરની 90 ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે 46ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, સોમવાર (5 જૂન) સુધીમાં ટ્રેકનું સમારકામ થવાની ધારણા છે. ત્યારે આજે (4 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓડિશા જશે અને ઘાયલોને મળશે.

આ પણ વાંચો: World Environment Day 2023 : કચ્છમાં ચેરના જંગલમાં બે પ્રજાતિ રાઈઝોફોરા મ્યુક્રોનાટા તથા સિરીઓપ્સ ટગલનું વાવેતર કરાશે, જુઓ Video

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર રાતોરાત ચાલી રહેલા સમારકામના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન બાલાસોરમાં એક હજારથી વધુ મજૂરો આખી રાત કાટમાળ હટાવતા રહ્યા. રેલવે મંત્રીએ કાટમાળ હટાવવાના કામમાં લાગેલા કર્મચારીઓને માર્ગદર્શિકા આપી હતી.

7 પોલ્કેન મશીન, 5 જેસીબી અને 2 મોટી ક્રેઈનથી કાટમાળ હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. શનિવારે રાત્રે એક તરફ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તો બીજી તરફ પાટા નાખવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. શક્ય તેટલી વહેલી તકે ટ્રેન સેવાઓ સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 288 થઈ ગઈ છે. ત્યારે અકસ્માત બાદ કુલ 1175 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 793 લોકોને રજા આપવામાં આવી છે જ્યારે 382 લોકોની સારવાર ચાલી રહી છે. સત્તાવાર માહિતી અનુસાર, બે લોકોની હાલત પણ ગંભીર છે, જ્યારે અન્ય લોકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. બંને એક્સપ્રેસ ટ્રેનો આરક્ષિત ટિકિટ સાથે 2,200 થી વધુ મુસાફરોને લઈ જતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગલા દિવસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓ હોસ્પિટલમાં પીડિતોને પણ મળ્યા હતા. આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમએ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. આ કેસમાં દોષિતોને છોડવામાં આવશે નહીં. ત્યારે સરકાર ઘાયલોને સંભવિત મદદ માટે ઊભી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">