Rahul Gandhi Convicted: રાહુલ ગાંધીની સજા પર વિપક્ષો વિફર્યા, જાણો કોણે શું કહ્યું
Rahul Gandhi Convicted: મહાત્મા ગાંધીને ટાંકીને રાહુલ ગાંધીએ લખ્યું, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે.
ગુરુવારે સુરતની એક અદાલતે 2019માં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મોદી અટક અંગે કરેલી ટિપ્પણી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને આ કેસમાં દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે આ કેસમાં તેને તરત જ જામીન મળી ગયા હતા. આ સાથે જ રાહુલ અને અન્ય વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મહાત્મા ગાંધીને ટાંકીને રાહુલ ગાંધીએ લખ્યું, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે.
मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।
– महात्मा गांधी
— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023
કાયદા અને ન્યાયમાં વિશ્વાસ રાખો, તે મુજબ લડીશું: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
कायर, तानाशाह भाजपा सरकार श्री @RahulGandhi और विपक्ष से तिलमिलाई हुई है क्योंकि हम उनके काले कारनामों को उजागर कर रहे हैं। JPC की माँग कर रहे हैं।
राजनैतिक दिवालियेपन की शिकार मोदी सरकार,
ED, पुलिस भेजती है राजनैतिक भाषणों पर केस थोपती है।
हम Higher Court में अपील करेंगे।
— Mallikarjun Kharge (@kharge) March 23, 2023
કોંગ્રેસના રાષ્ટ્રીય મલ્લિકાર્જુન ખડગેએ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને જામીન મળી ગયા છે. અમે શરૂઆતથી જ જાણીએ છીએ કે ન્યાયાધીશો બદલતા રહ્યા. અમે કાયદા અને ન્યાયતંત્રમાં વિશ્વાસ કરીએ છીએ અને અમે કાયદા અનુસાર તેની સામે લડીશું.
ન્યાયતંત્ર દબાણ હેઠળ, રાહુલ હિંમતવાન માણસઃ અશોક ગેહલોત, રાજસ્થાનના સીએમ
श्री राहुल गांधी सत्य एवं अहिंसा के सिपाही हैं। सरकारी तंत्र के दबाव में वो असत्य के सामने झुकने वाले नहीं हैं। राहुल जी एवं कांग्रेस पार्टी फासिस्ट ताकतों के खिलाफ मजबूती से लड़ती रहेगी।
— Ashok Gehlot (@ashokgehlot51) March 23, 2023
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, અમે કહી રહ્યા છીએ કે અમારી લોકશાહી ખતરામાં છે કારણ કે ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, ઇડી અને આ તમામનો દુરુપયોગ થઈ રહ્યો છે. તમામ નિર્ણયો અમલમાં લેવામાં આવે છે. આવી ટિપ્પણીઓ સામાન્ય છે..રાહુલ ગાંધી એક હિંમતવાન માણસ છે અને તેઓ જ NDA સરકાર સાથે સ્પર્ધા કરી શકે છે.
મારા ભાઈ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય થશે પણ નહીંઃ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ મહાસચિવ
डरी हुई सत्ता की पूरी मशीनरी साम, दाम, दंड, भेद लगाकर @RahulGandhi जी की आवाज को दबाने की कोशिश कर रही है।
मेरे भाई न कभी डरे हैं, न कभी डरेंगे। सच बोलते हुए जिये हैं, सच बोलते रहेंगे। देश के लोगों की आवाज उठाते रहेंगे।
सच्चाई की ताकत व करोड़ों देशवासियों का प्यार उनके साथ है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 23, 2023
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ટ્વિટમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ડરી ગયેલી સત્તા, દામ, દંડ, ભેદ લગાવીને રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારા ભાઇ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય થશે પણ નહિ. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહીશે. દેશના લોકોનો અવાજ બુલંદ કરતા રહીશું. સત્યની શક્તિ અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે.
રાહુલ ગાંધી સરમુખત્યારશાહી સામે અવાજ ઉઠાવી રહ્યા છે: રેવન્ત રેડ્ડી, કોંગ્રેસ સાંસદ
Rahul Gandhi is raising his voice against dictatorship. He has the courage to say what is wrong is wrong.
The tyrant is nervous about this “COURAGE”
We will fight and win. pic.twitter.com/AEbHF7G4TX
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2023
કોંગ્રેસના સાંસદ રેવંત રેડ્ડીએ કહ્યું કે, રાહુલ ગાંધી તાનાશાહી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. જે ખોટું છે તે ખોટું છે તે કહેવાની તેની હિંમત છે. અત્યાચારીઓ આ હિંમતથી ગભરાઈ જાય છે. અમે લડીશું અને જીતીશું.
કોર્ટનું સન્માન કરુ છું, પરંતુ ચુકાદા સાથે સહમત નથીઃ અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી
ग़ैर बीजेपी नेताओं और पार्टियों पर मुक़दमे करके उन्हें ख़त्म करने की साज़िश हो रही है
हमारे कांग्रेस से मतभेद हैं मगर राहुल गांधी जी को इस तरह मानहानि मुक़दमे में फ़साना ठीक नहीं। जनता और विपक्ष का काम है सवाल पूछना। हम अदालत का सम्मान करते हैं पर इस निर्णय से असहमत हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 23, 2023
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બિન-ભાજપ નેતાઓ અને પાર્ટીઓ પર કાર્યવાહી કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર છે. કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવી યોગ્ય નથી. પ્રશ્નો પૂછવાનું કામ જનતા અને વિપક્ષનું છે. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ નિર્ણય સાથે અસંમત છીએ.