‘PM મોદી માટે રાહુલ ગાંધી TRP, જો તેઓ વિપક્ષનો ચહેરો બને તો…’, મમતા બેનર્જીનું મોટું નિવેદન

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો બને. જેથી તેમને ચૂંટણીમાં મદદ મળે. મમતા બેનર્જી મુર્શિદાબાદમાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા જ્યા તેમને આ વાત કહી હતી.

'PM મોદી માટે રાહુલ ગાંધી TRP, જો તેઓ વિપક્ષનો ચહેરો બને તો...', મમતા બેનર્જીનું મોટું નિવેદન
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 8:07 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. TMC ચીફે રવિવારે (19 માર્ચ) કહ્યું કે જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો નરેન્દ્ર મોદી (PM મોદી)ને કોઈ હરાવી શકશે નહીં. રાહુલ ગાંધી પીએમ મોદી માટે ટીઆરપી જેવા છે. મમતા બેનર્જી મુર્શિદાબાદમાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા, જ્યા તેમને આ વાત કહી હતી.

આ પણ વાચો: Amritpal Singh: અમૃતપાલ સિંહનું ISI સાથે કનેક્શન આવ્યું સામે, પંજાબ પોલીસે કર્યો મોટો દાવો

તેમણે સાગરદિઘી પેટાચૂંટણીમાં ટીએમસીની હાર પર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે અધીર રંજન ચૌધરીએ પેટાચૂંટણી દરમિયાન આરએસએસ-સીપીએમ સાથે મળીને આયોજન કર્યું હતું. તેઓ ભાજપના નંબર વન નેતા છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

રાહુલ ગાંધીને વિપક્ષના ચહેરો બનાવવા ઈચ્છે છે ભાજપ

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે ભાજપે રાહુલ ગાંધીને નેતા બનાવવા સંસદમાં હંગામો મચાવ્યો હતો. ભાજપ ઈચ્છે છે કે રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો બને, નહીં તો સંસદમાં તેમણે બહાર જે કહ્યું તેના પર હંગામો કેમ થયો. અમે ઈચ્છીએ છીએ કે સંસદની કાર્યવાહી સરળતાથી ચાલે, અમે અદાણી મુદ્દે ચર્ચા ઈચ્છીએ છીએ. અમે CAA, NRC, યુનિફોર્મ સિવિલ કોડ બિલનો વિરોધ કર્યો છે. લઘુમતી સમુદાય આપણા હાથમાં સુરક્ષિત છે.

કોંગ્રેસને ટક્કર આપી રહી છે ટીએમસી?

તાજેતરના દિવસોમાં રાહુલ ગાંધી પર ટીએમસી દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ટીએમસી કોંગ્રેસને વિપક્ષ તરીકે હાંસિયામાં ધકેલી રહી છે. થોડા દિવસો પહેલા મમતા બેનર્જીએ યુપીના પૂર્વ સીએમ અને સપાના વડા અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે નવો મોરચો બનાવવા માટે સમજૂતી થઈ ગઈ છે.

“ભાજપને મળશે મદદ”

ટીએમસી તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાહુલ ગાંધીને વિપક્ષના ચહેરા તરીકે ઈચ્છે છે. તેનાથી ભાજપને મદદ મળશે. તેઓ વિદેશમાં રાહુલ ગાંધીના નિવેદન પર સંસદનું કામકાજ થવા દેતા નથી. ટીએમસીએ કહ્યું હતું કે અમે ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર જાળવવાની યોજના અંગે અન્ય વિપક્ષી દળો સાથે વાત કરીશું. કોંગ્રેસ વિપક્ષની બિગ બોસ છે તે એક ભ્રમ છે.

કોંગ્રેસના વિરોધ કૂચથી અંતર બનાવવામાં આવ્યું હતું

આ ઉપરાંત, સંસદના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે અન્ય ઘણી પાર્ટીઓ સાથે મળીને અદાણી કેસમાં જેપીસીની માંગણી સાથે માર્ચ કાઢી હતી, પરંતુ ટીએમસીએ વિરોધમાં ભાગ લીધો ન હતો. ટીએમસીએ સંસદ પરિસરમાં અલગથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">