AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી બની ગયા ‘ગજની’! 2 વર્ષ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં માંગી હતી માફી

આજે પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું ડરતો નથી, હું તેમને સવાલો કરતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી, કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા, જે હું આપવાનો હતો. આ સાથે જ તેમને કહ્યું કે 'ગાંધી કોઈની માફી માંગતા નથી, મારૂ નામ રાહુલ ગાંધી છે સાવરકર નહીં.'

રાહુલ ગાંધી બની ગયા 'ગજની'! 2 વર્ષ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં માંગી હતી માફી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 6:28 PM
Share

હાલમાં સમગ્ર દેશના ખુણાખુણા પર એક જ નામને લઈને ચર્ચા થઈ રહી છે અને તે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ શનિવારે એટલે કે આજે કોંગ્રેસ મુખ્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમને ભાજપ સરકાર પર મોટા પ્રહારો કર્યો હતા અને મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર સવાલો પુછ્યા. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને મોદી અટક કેસમાં સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની સજા સંભળાવી, ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા.

ત્યારે આજે પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું ડરતો નથી, હું તેમને સવાલો કરતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી, કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા, જે હું આપવાનો હતો. આ સાથે જ તેમને કહ્યું કે ‘ગાંધી કોઈની માફી માંગતા નથી, મારૂ નામ રાહુલ ગાંધી છે સાવરકર નહીં.’

ત્યારે રાહુલ ગાંધી ભૂતકાળને ભૂલી ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. આ પહેલા તે બે વર્ષ પહેલા પણ એક કેસમાં માફી માંગી ચૂક્યા છે. અહીં અમે તમને જણાવીશું કે રાહુલ ગાંધીએ આ પહેલા ક્યારે ક્યારે માફી માંગી છે.

આ પણ વાંચો: “હું સાવરકર નથી, ગાંધી છું, અને ગાંધી કોઈ દિવસ માફી નથી માંગતા”, TV9 ભારતવર્ષના સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

રાહુલ ગાંધીએ ક્યારે માંગી માફી?

રાહુલ ગાંધીએ 9-10 મે 2020ના રોજ તેમના રાજકીય સૂત્ર “ચોકીદાર ચોર હૈ”ને લઈને સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. કોંગ્રેસ નેતાએ તેમના ત્રણ પેજના માફીનામામાં સુપ્રીમ કોર્ટને તેમની સામેના કેસની કાર્યવાહી પડતી મૂકવા વિનંતી કરી હતી.

રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટના પ્રાથમિક ચૂકાદાને કથિત રીતે ખોટી રીતે સૂત્ર આપવા બદલ ભાજપના મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી સામે તિરસ્કારનો કેસ દાખલ કર્યો હતો. મીનાક્ષી લેખીએ કોર્ટને સુપ્રીમ કોર્ટના 10 એપ્રિલના ચૂકાદાને ટ્વિસ્ટ કરવા બદલ રાહુલ ગાંધી સામે ફોજદારી અવમાનના પગલાં શરૂ કરવા કહ્યું હતું. મે મહિનામાં રાહુલ ગાંધીએ ત્રણ પેજનું સોગંદનામું દાખલ કર્યું હતું, જ્યારે અગાઉ આપેલા એક માફીનામાને રિજેક્ટ કરવામાં આવ્યું હતું કારણ કે તેણે સીધી રીતે તેમની ભૂલ સ્વીકારી ન હતી.

શું હતો કેસ

રાહુલ ગાંધીએ 10 એપ્રિલ 2020ના રોજ આ ટિપ્પણી કરી હતી, જે દિવસે સુપ્રીમ કોર્ટે રાફેલ કેસમાં 14 ડિસેમ્બર 2019ના ચૂકાદા સામે સમીક્ષા અરજીઓને સમર્થન આપવા માટે કેટલાક દસ્તાવેજોની સ્વીકૃતિ પર કેન્દ્રના વાંધાઓને ફગાવી દીધા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરતા ‘ચોકીદાર ચોર હૈ’ કહ્યું હતું. આ ટિપ્પણીનો ઉપયોગ કોંગ્રેસ નેતાએ રાફેલ ડીલ પર વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાનને લગતી ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા માટે કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી.

રાહુલની બિનશરતી માફી

રાહુલ ગાંધીએ 8 મેના રોજ રાફેલ ચૂકાદામાં તેમની “ચોકીદાર ચોર હૈ” ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા બદલ SCમાં બિનશરતી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટનો “સૌથી વધુ સન્માન અને આદર” રાખે છે.

રાહુલ ગાંધી દ્વારા ત્રણ પેજનું સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું કારણ કે તેમણે 30 એપ્રિલે તેમના અગાઉના એફિડેવિટ પર SCની આલોચના કરી હતી, જેમાં તેમણે સુપ્રીમ કોર્ટને કથિત રૂપે અપમાનજનક ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા બદલ તેમની ભૂલ સીધી સ્વીકારી ન હતી.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">