AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ પાસે વકીલોની ફોજ, તે ઉપલી અદાલતમાં કેમ ન ગયા? રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને વોટ નથી મળતા. તેઓ જ્યાં જાય છે ત્યાં હારી જાય છે. જૂઠું બોલવું એ તેમનો સ્વભાવ છે. તે હંમેશા વિદેશમાં ભારતનું અપમાન કરે છે. ભાજપના નેતાએ કહ્યું કે કોંગ્રેસ પાસે વકીલોની ફોજ છે, તેઓ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા.

કોંગ્રેસ પાસે વકીલોની ફોજ, તે ઉપલી અદાલતમાં કેમ ન ગયા? રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 5:27 PM
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જૂઠું બોલવું રાહુલ ગાંધીનો સ્વભાવ છે. રાહુલના ‘તમાશાનો પર્દાફાશ કરવા માટે અમે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. કારણ કે તેમણે ફરી એકવાર મામલાને વાળવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાચો: Congress vs Bjp : રાહુલ ગાંધીએ અદાણીના 20 હજાર કરોડ સાથે ચાઈનીઝ સંબંધોને જોડ્યા, વાંચો શું પુછ્યા સવાલ ?

રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ ચીનના વખાણ કર્યા. તેઓ વિદેશમાં ભારતનું અપમાન કરે છે. તે સેનાની શહાદતના પુરાવા માંગે છે. બીજેપી નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ રાફેલ કેસમાં ‘ચોકીદાર ચોર હૈ’ કહ્યું હતું, પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપ્યો ત્યારે તેમણે માફી માંગી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસનો પરિચય 4-C છે. એટલે કટ, કમિશન, કરપ્સન અને કોંગ્રેસ.

રવિશંકરે કહ્યું કે, રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને વોટ નથી મળતા. તેઓ જ્યાં જાય છે ત્યાં હારી જાય છે. કર્ણાટક ચૂંટણીમાં સહાનુભૂતિના મત મેળવવા માટે તેણે જાણી જોઈને આવું કર્યું હતું.

ભાજપના નેતાએ કહ્યું કે, કોંગ્રેસ પાસે વકીલોની ફોજ છે, તેઓ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા. કોંગ્રેસે કોર્ટમાંથી સ્ટે મેળવવાનો પ્રયાસ કેમ ન કર્યો? તેમણે કહ્યું કે, શું રાહુલને લઈને કોંગ્રેસમાં કોઈ રાજનીતિ ચાલી રહી છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં ઘણી વખત કહ્યું છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણને રોજ નવા દાખલા મળે છે. મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે, અદાણીજી પાસે શેલ કંપનીઓ છે, તેમાં કોઈએ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અદાણી જી પાસે પૈસા નથી. તે તેમનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે? આમાં એક ચીની સંડોવાયેલ છે, કેમ કોઈ સવાલ નથી પૂછતું?

મેં સંસદમાં પુરાવા આપીને અદાણીજી અને મોદીજી વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી, જે મેં મીડિયા રિપોર્ટ્સમાંથી કાઢી હતી. આ પછી રાહુલે લંડનમાં પોતાના નિવેદનના વિવાદ પર ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મંત્રીઓએ જૂઠું બોલ્યું કે મેં વિદેશી દળોની મદદ માંગી છે, આ બિલકુલ ખોટું અને જુઠ્ઠાણું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને બચાવવા માટે આ આખું ડ્રામા રચવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આ લોકો હજુ સમજી શક્યા નથી, હું જેલ જવાથી ડરતો નથી.

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">