AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ પાસે વકીલોની ફોજ, તે ઉપલી અદાલતમાં કેમ ન ગયા? રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને વોટ નથી મળતા. તેઓ જ્યાં જાય છે ત્યાં હારી જાય છે. જૂઠું બોલવું એ તેમનો સ્વભાવ છે. તે હંમેશા વિદેશમાં ભારતનું અપમાન કરે છે. ભાજપના નેતાએ કહ્યું કે કોંગ્રેસ પાસે વકીલોની ફોજ છે, તેઓ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા.

કોંગ્રેસ પાસે વકીલોની ફોજ, તે ઉપલી અદાલતમાં કેમ ન ગયા? રાહુલ ગાંધી પર ભાજપનો પલટવાર
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 5:27 PM
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેના જવાબમાં બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે જૂઠું બોલવું રાહુલ ગાંધીનો સ્વભાવ છે. રાહુલના ‘તમાશાનો પર્દાફાશ કરવા માટે અમે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. કારણ કે તેમણે ફરી એકવાર મામલાને વાળવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાચો: Congress vs Bjp : રાહુલ ગાંધીએ અદાણીના 20 હજાર કરોડ સાથે ચાઈનીઝ સંબંધોને જોડ્યા, વાંચો શું પુછ્યા સવાલ ?

રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીએ ચીનના વખાણ કર્યા. તેઓ વિદેશમાં ભારતનું અપમાન કરે છે. તે સેનાની શહાદતના પુરાવા માંગે છે. બીજેપી નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ રાફેલ કેસમાં ‘ચોકીદાર ચોર હૈ’ કહ્યું હતું, પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે તેમને ઠપકો આપ્યો ત્યારે તેમણે માફી માંગી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસનો પરિચય 4-C છે. એટલે કટ, કમિશન, કરપ્સન અને કોંગ્રેસ.

રવિશંકરે કહ્યું કે, રાહુલ ગાંધીની સમસ્યા એ છે કે તેમને વોટ નથી મળતા. તેઓ જ્યાં જાય છે ત્યાં હારી જાય છે. કર્ણાટક ચૂંટણીમાં સહાનુભૂતિના મત મેળવવા માટે તેણે જાણી જોઈને આવું કર્યું હતું.

ભાજપના નેતાએ કહ્યું કે, કોંગ્રેસ પાસે વકીલોની ફોજ છે, તેઓ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા. કોંગ્રેસે કોર્ટમાંથી સ્ટે મેળવવાનો પ્રયાસ કેમ ન કર્યો? તેમણે કહ્યું કે, શું રાહુલને લઈને કોંગ્રેસમાં કોઈ રાજનીતિ ચાલી રહી છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં ઘણી વખત કહ્યું છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણને રોજ નવા દાખલા મળે છે. મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે, અદાણીજી પાસે શેલ કંપનીઓ છે, તેમાં કોઈએ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અદાણી જી પાસે પૈસા નથી. તે તેમનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે? આમાં એક ચીની સંડોવાયેલ છે, કેમ કોઈ સવાલ નથી પૂછતું?

મેં સંસદમાં પુરાવા આપીને અદાણીજી અને મોદીજી વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી, જે મેં મીડિયા રિપોર્ટ્સમાંથી કાઢી હતી. આ પછી રાહુલે લંડનમાં પોતાના નિવેદનના વિવાદ પર ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મંત્રીઓએ જૂઠું બોલ્યું કે મેં વિદેશી દળોની મદદ માંગી છે, આ બિલકુલ ખોટું અને જુઠ્ઠાણું છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને બચાવવા માટે આ આખું ડ્રામા રચવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આ લોકો હજુ સમજી શક્યા નથી, હું જેલ જવાથી ડરતો નથી.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">