Lakhimpur Kheri Violence: રાજકીય ઘમાસાણ બાદ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવા યુપી સરકારની મંજૂરી
લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લખીમપુર આવી રહ્યા હતા. આ સમયે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ સરકારે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવા માટેની મંજૂરી આપી છે. તેની સાથે અન્ય ત્રણ લોકો પણ લખીમપુર ખીરી જઈ શકે છે. ઉતરપ્રદેશ સરકારના ગૃહ વિભાગે આની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લખીમપુર ખીરીના પીડિતોના પરિવારોને મળશે.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ લખીમપુર આવવાની મંજૂરી આપી
યુપી સરકારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી નેતાઓને લખીમપુર જવાની મંજૂરી આપી છે. અગાઉ, રાહુલ ગાંધીને વહીવટીતંત્ર તરફથી લખીમપુર ખીરી જવા મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કલમ 144 ના નિયમનો ઉલ્લેખ કરીને પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ પક્ષનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ બુધવારે પીડિત પરિવારને મળવા માટે લખીમપુર જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. લખીમપુર ખીરીમાં રવિવારે થયેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લખીમપુર આવી રહ્યા હતા. આ સમયે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
State government has given permission to Congress leaders Rahul Gandhi, Priyanka Gandhi and three other people to visit Lakhimpur Kheri: Home Department, UP Government pic.twitter.com/sXOquXOkvJ
— ANI UP (@ANINewsUP) October 6, 2021