પંજાબ CM ચન્નીની કેજરીવાલ પર ટીપ્પણી, કહ્યું – અરવિંદ કેજરીવાલ ઉદ્યોગપતિઓને મુર્ખ બનાવે છે

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, કેજરીવાલ બહારના હોવાને કારણે કેજરીવાલને રાજ્યના વિકાસ અને કલ્યાણ સાથે દુર દુર સુહી કોઈ લેવાદેવા નથી

પંજાબ CM ચન્નીની કેજરીવાલ પર ટીપ્પણી,  કહ્યું - અરવિંદ કેજરીવાલ ઉદ્યોગપતિઓને મુર્ખ બનાવે છે
Punjab CM Charanjit Singh Channy says Arvind Kejriwal fools industrialists
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 11:17 PM

PUNJAB : પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ગુરુવારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની નિંદા કરતા કહ્યું કે, તેઓ રાજ્યમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા વચનો આપીને ઉદ્યોગપતિઓને મૂર્ખ બનાવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને તકવાદી ગણાવતા ચન્નીએ કહ્યું કે રાજકીય રીતે પ્રેરિત આ પગલાથી પંજાબની ચૂંટણીમાં AAPના કન્વીનરને કોઈ ફાયદો થશે નહીં.

તેમણે કહ્યું કે બહારના હોવાને કારણે કેજરીવાલને રાજ્યના વિકાસ અને કલ્યાણ સાથે દુર દુર સુહી કોઈ લેવાદેવા નથી અને તેમની નજર માત્ર એક કે બીજા વિભાગની વોટ બેંક પર છે. ચન્નીએ 2022 પંજાબની ચૂંટણી પહેલા ઉદ્યોગપતિઓને આપવામાં આવેલા ખોટા વચનો અંગે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. પંજાબ સરકારના સંસદીય બાબતોના પ્રધાન બ્રહ્મ મોહિન્દ્રાએ પણ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.

બુધવારે પંજાબના જલંધરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જો ઈમાનદાર મુખ્યમંત્રી હશે, ઈમાનદાર મંત્રીમંડળ હશે, તો હું પડકાર આપી શકું છું કે સરકાનું નીચેનું માળખું આપોઆપ ઠીક થઈ જશે. એવું નથી કે તે ન થઈ શકે, અમે દિલ્હીમાં કર્યું છે. સીએમ કેજરીવાલે કહ્યું છે કે તમામ જૂના કાયદાઓ સુધારવામાં આવશે, જે કાયદાની જરૂર નથી તે તમામ કાયદાઓને નાબૂદ કરવામાં આવશે. એવી સિસ્ટમ બનાવવામાં આવશે કે જે પહેલાથી અસ્તિત્વમાં છે તે ઉદ્યોગોને સરકાર પર સમય બગાડવાની જરૂર નથી, તેઓએ તેમના કામમાં સમય પસાર કરવો જોઈએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તેમણે કહ્યું કે એવું નથી કે ઇન્સ્પેક્ટ રાજ, અફસરશાહી દુર કરી શકાતી નથી. ઉપર બેઠેલા લોકો માત્ર ખરાબ ઈરાદા ધરાવે છે. ઈમાનદારીથી સરકાર ચલાવવાનું પરિણામ એ આવ્યું કે અમે દિલ્હીમાં અફસરશાહી બંધ કરી દીધી. વેટ નિરીક્ષકને ઘરે મુકવામાં આવ્યો છે અને વેટ 12.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, તેમ છતાં અમારી આવક 30,000 કરોડથી વધીને 60,000 કરોડ થઈ ગઈ છે. કોઈ વેપારી ત્રાસ આપવા માંગતો નથી, તે શાંતિથી વેપાર કરવા માંગે છે.

દિલ્હીના સીએમએ કહ્યું, ‘જો ઉદ્યોગપતિઓએ સુખવિંદર બાદલને તેમની સમસ્યાઓ ઉકેલવા માટે કહ્યું, તો તેઓએ કહ્યું કે તેઓ ચૂંટણી પછી આ કામ કરશે, કેપ્ટન અમરિંદર સિંહને કહ્યું તો તેઓ પણ કહ્યું ચૂંટણી પછી કરશે, એકવાર કેજરીવાલ, આપને એક તક આપો હું તમને ખાતરી આપું છું, કે તમે બધાને ભૂલી જશો.

આં પણ વાંચો : અમિત શાહે કહ્યું, 6 વર્ષથી વધુ કેદની સજા વાળા ગુનામાં ફોરેન્સિક ટીમનું ક્રાઈમ સાઈટ પર નિરીક્ષણ અનિવાર્ય કરવા માંગે છે સરકાર

આ પણ વાંચો : #SeekhengeJeetengeBadhenge : કેસ્ટ્રોલ ઇન્ડિયાએ સુપર મિકેનિક કોન્ટેસ્ટનું ચોથું એડિશન લોન્ચ કર્યું

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">