AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu-Kashmir: પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ ઝડપાયા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુલવામામાં (Pulwama) સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે.

Jammu-Kashmir: પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના 3 આતંકીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો પણ ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 2:32 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુલવામામાં (Pulwama) સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાકર્મીઓએ આજે ​​શુક્રવારે 3 આતંકવાદીઓના સહયોગીઓની ધરપકડ કરી છે. જેઓ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંબંધિત છે. સુરક્ષાકર્મીઓએ આ આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશના પુલવામા જિલ્લાની પોલીસે 55 RR અને 182 / 183 Bn CRPF સાથે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ જિલ્લામાં આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ આપતા હતા. તેમની પાસેથી એક એકે રાઈફલ, ત્રણ મેગેઝીન અને 69 એકે રાઉન્ડ મળી આવ્યા હતા.

શોપિયાં અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો

આ પહેલા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જેકે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળો દ્વારા શોપિયન જિલ્લાના તુર્કવાંગમ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની જવાબી ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

2 દિવસ પહેલા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ માર્યા ગયા હતા

પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીની ઓળખ મેળવવામાં આવી રહી છે અને તે ક્યા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અભિયાન હજુ પણ ચાલુ છે. એ જ રીતે બે દિવસ પહેલા બુધવારે શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ મધ્યરાત્રિએ વિસ્તારને ઘેરી લીધા પછી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જેના પછી ત્યાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક પાસે ‘મીડિયા ઓળખ કાર્ડ’ હતું.

તેણે ટ્વીટ દ્વારા જણાવ્યું કે, ‘માર્યા ગયેલા લશ્કરના એક આતંકવાદી પાસે ‘મીડિયા ઓળખ કાર્ડ’ હતું, જે સ્પષ્ટપણે મીડિયાનો દુરુપયોગ સૂચવે છે.ના એડિટર-ઇન-ચીફ છે. આ સમાચાર એજન્સીનો કોઈ પત્તો નથી. બીજા આતંકીની ઓળખ હિલાલ અહેમદ તરીકે થઈ છે. ઓપરેશન વિશે માહિતી આપતા કુમારે કહ્યું કે, બુધવારે સાંજે પોલીસને શહેરના રૈનાવારી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

(ઇનપુટ ભાષા)

આ પણ વાંચો: Career in Event Management: આ ક્ષેત્રમાં તક અને કમાણીની કોઈ મર્યાદા નથી, જાણો કોર્સ અને કારકિર્દીની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: ધોરણ 9 અને 11 માટે રિવાઈઝ્ડ પ્રમોશન પોલિસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને અવરોધી શકે છે: નિષ્ણાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">