AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Election: ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ તેમની પાર્ટીની જાહેરાત કરી, ‘સંયુક્ત સંઘર્ષ પાર્ટી’ની કરી રચના

ગુરનામ ચઢૂનીએ 'સંયુક્ત સંઘર્ષ પાર્ટી'ના નામથી નવી પાર્ટી બનાવી છે. ગુરનામ સિંહએ કહ્યું કે દેશમાં પાર્ટીઓની કમી નથી, પરંતુ આજે દેશમાં પરિવર્તનની જરૂર છે.

Punjab Assembly Election: ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ તેમની પાર્ટીની જાહેરાત કરી, 'સંયુક્ત સંઘર્ષ પાર્ટી'ની કરી રચના
Farmer Leader - Gurnam Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 1:13 PM
Share

ભારતીય કિસાન યુનિયનના (BKU) નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ (Gurnam Singh Chadhuni) ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે. ગુરનામ ચઢૂનીએ ‘સંયુક્ત સંઘર્ષ પાર્ટી’ના નામથી નવી પાર્ટી બનાવી છે. ગુરનામ સિંહએ કહ્યું કે દેશમાં પાર્ટીઓની કમી નથી, પરંતુ આજે દેશમાં પરિવર્તનની જરૂર છે. આ પક્ષોએ રાજકારણને ધંધો બનાવી દીધો છે. રાજનીતિમાં પરિવર્તન લાવવા, રાજનીતિને શુદ્ધ કરવા માટે અમે અમારી નવી સેક્યુલર પાર્ટી ‘સૂક્ત સંઘર્ષ પાર્ટી’ શરૂ કરી રહ્યા છીએ. સંયુક્ત સંઘર્ષ પાર્ટીનો ઉદ્દેશ્ય પૈસાવાળા લોકોને રાજકારણમાંથી બહાર કાઢવાનો છે.

આ સાથે તેમણે મિશન પંજાબ (Mission Punjab) અંતર્ગત પોતાની નવી પાર્ટી વિશે માહિતી આપી હતી. ચઢૂનીએ ખેડૂતોને મિશન પંજાબ હેઠળ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ પંજાબના ખેડૂતો (Farmers) તેમના નિર્ણય સાથે એકમત ન હતા. ચઢૂનીએ તેમના મિશન પંજાબ હેઠળ ફતેહગઢ સાહિબની મુલાકાત દરમિયાન ઉમેદવારની પણ જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) પંજાબમાં ચૂંટણી લડવાના તેમના નિર્ણય સાથે સહમત ન હોવા છતાં, ચઢૂની તેમના નિર્ણય પર અડગ રહ્યા.

પંજાબમાં ચૂંટણી લડશે પંજાબમાં ચૂંટણી લડવાની જાહેરાત હેઠળ ગુરનામ સિંહે એમ પણ કહ્યું છે કે તેઓ હરિયાણા છોડીને પંજાબ ભાગશે નહીં. તેઓ પંજાબમાં મિશન પંજાબ હેઠળ ચૂંટણી લડશે નહીં, પરંતુ તેમને ચૂંટણી લડાવશે. હરિયાણા સાથે સંબંધ હોવાના સવાલ પર તેમણે કહ્યું કે તેમનું પૈતૃક ગામ પંજાબમાં છે. સંયુક્ત કિસાન મોરચા પંજાબમાં ચૂંટણી લડવાના તેમના નિર્ણય સાથે સહમત નથી. જેના કારણે ચઢૂની સમયાંતરે અન્ય ખેડૂત આગેવાનોને ટોણા મારતા રહે છે. ચઢૂની કહે છે કે ખેડૂત પોતાની સરકાર કેમ નથી બનાવી શકતો.

સુવર્ણ મંદિરમાં ખેડૂત આગેવાનોએ સ્વાગત કર્યું સોમવારે કિસાન સંઘના નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અમૃતસરના સુવર્ણ મંદિરમાં શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા અને રસ્તામાં વિવિધ સ્થળોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુવર્ણ મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચતા, વિવિધ રાજકીય સંગઠનો અને એનજીઓ દ્વારા ખેડૂત આગેવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ભારતે ઓડિશાના દરિયાકાંઠે ‘અગ્નિ પ્રાઇમ’ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, 1000 થી 2000 કિમિની વચ્ચે છે મારક ક્ષમતા

આ પણ વાંચો : Amit Shah in Maharashtra : ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">