Public Provident Fund: જાણો પીપીએફનો ઈતિહાસ, કયા વર્ષે મળતુ હતુ કેટલું વ્યાજ?

પીપીએફની શરૂઆત નાણાં મંત્રાલય હેઠળ નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ  (National Savings Institute) દ્વારા બચત વધારવા અને ટેક્સમાં રાહત આપવાનાં હેતુથી કરવામાં આવી હતી.

Public Provident Fund: જાણો પીપીએફનો ઈતિહાસ, કયા વર્ષે મળતુ હતુ કેટલું વ્યાજ?
ફાઇલ ફોટો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 23, 2021 | 11:05 PM

પીપીએફ (Public Provident Fund)ની શરૂઆત 1968માં કરવામાં આવી હતી. પીપીએફ પર હાલમાં 7.9 % વ્યાજ આપવામાં આવે છે, પરંતુ પીપીએફના ઈતિહાસમાં 12% જેટલું માતબર વ્યાજ 14 વર્ષ સુધી આપવામાં આવેલુ હતું. સન 1986થી 2000 સુધી સતત 14 વર્ષ સુધી 12% સુધી રિટર્ન અપાતું હતું.

પીપીએફની શરૂઆત નાણાં મંત્રાલય હેઠળ નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટ  (National Savings Institute) દ્વારા બચત વધારવા અને ટેક્સમાં રાહત આપવાના હેતુથી કરવામાં આવી હતી અને શરૂઆતના પ્રથમ વર્ષમાં 4.5 % વ્યાજ આપવામાં આવેલું ત્યારબાદ 1969 – 1972 સુધી વ્યાજદરમાં વધારો કરીને 5% કરવામાં આવ્યો હતો.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

1973 – 74માં વ્યાજના દરમાં ફરી વધારો કરીને 1/4/1974એ 5.8 % કરવામાં આવ્યો હતો અને આ રેટ તા. 31/7/1974 સુધી રહ્યા બાદ ફરીથી વધારીને 1/8/1974 – 31/3/1975 સુધી 7% થયો અને ત્યારથી અત્યાર સુધી ક્યારેય આ દર 7 %થી નીચે નથી ગયો. આ એક રેકોર્ડ છે કે લગભગ 45 વર્ષ સુધી આ દર 7% કે તેથી ઉપર જ રહ્યો છે અને આજ દિન સુધી છે. બીજી વાત કરીએ તો બેંક ફિક્સ ડિપોઝિટ પર ક્યારેય આટલું ઉચ્ચુ વળતર આપી શકી નથી.

વ્યાજદરમાં સમયાંતરે આવેલો બદલાવ

વર્ષ વ્યાજદર
1968 4.80 %
1968 – 70 4.8 %
1970 – 71 5 %
1971 – 73 5 %
1973 – 74 5.30 %
1/4/74 – 31/7/74 5.80 %
1/8/74 –  31/3/75 7%
1975 – 77 7%
1977 – 80 7.50 %
1980 – 81 8 %
1981 -83 8.5 %
1983 – 84 9 %
1984 – 85 9.5 %
1985 – 86 9%
1986 – 2000 12 %
2000 – 2001 11 %
2001 – 2002 9.50 %
2002 – 2003 9 %
2003 – 2011 8 %
2011 – 2012 8.60 %
2012 – 2013 8.80 %
2013 – 2016 8.70 %
1/4/2016 – 30/9/16 8.10 %
1/10/2016 – 31/3/17 8 %
1/4/2017 – 30/6/17 7.90 %
1/7/2017 – 31/12/17 7.80 %
1/1/2018 – 30/9/18 7.60 %
1/10/2018 – 30/6/19 8 %
1/7/2019 – 30/9/2019 7.90 %

પીપીએફમાં ઓછામાં ઓછા 500 રૂપિયાથી લઈને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને જે એકાઉન્ટને પંદર વર્ષની મુદત કરતાં વધુ સમય સુધી ચાલુ રાખવું હોય તો પણ ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

જો 500 રૂપિયા કરતાં ઓછું રોકાણ કરે તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે અને ફરીથી સક્રિય કરવા માટે 50 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે, એ જ રીતે 1.5 લાખ રૂપિયા કરતાં વધુ રકમ ભરાઈ જાય તો પણ રકમ પર વધારે વ્યાજ મળતું નથી. જેથી 500 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.

આ સ્ટોરી પણ વાંચો – Dominos Data Hacked : ડોમિનોઝના ગ્રાહકોનો ડેટા ચોરાયો, જાણો શું થઇ શકે છે દુરુપયોગ ?

Black fungus : બિહારનો વિચિત્ર કિસ્સો, ન હતા બિમારીના કોઇ લક્ષણો છતાં મહિલાની આંખ બહાર આવી ગઇ

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">