AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Public Provident Fund: જાણો પીપીએફનો ઈતિહાસ, કયા વર્ષે મળતુ હતુ કેટલું વ્યાજ?

પીપીએફની શરૂઆત નાણાં મંત્રાલય હેઠળ નેશનલ સેવિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ  (National Savings Institute) દ્વારા બચત વધારવા અને ટેક્સમાં રાહત આપવાનાં હેતુથી કરવામાં આવી હતી.

Public Provident Fund: જાણો પીપીએફનો ઈતિહાસ, કયા વર્ષે મળતુ હતુ કેટલું વ્યાજ?
ફાઇલ ફોટો
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 23, 2021 | 11:05 PM
Share

પીપીએફ (Public Provident Fund)ની શરૂઆત 1968માં કરવામાં આવી હતી. પીપીએફ પર હાલમાં 7.9 % વ્યાજ આપવામાં આવે છે, પરંતુ પીપીએફના ઈતિહાસમાં 12% જેટલું માતબર વ્યાજ 14 વર્ષ સુધી આપવામાં આવેલુ હતું. સન 1986થી 2000 સુધી સતત 14 વર્ષ સુધી 12% સુધી રિટર્ન અપાતું હતું.

પીપીએફની શરૂઆત નાણાં મંત્રાલય હેઠળ નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટ  (National Savings Institute) દ્વારા બચત વધારવા અને ટેક્સમાં રાહત આપવાના હેતુથી કરવામાં આવી હતી અને શરૂઆતના પ્રથમ વર્ષમાં 4.5 % વ્યાજ આપવામાં આવેલું ત્યારબાદ 1969 – 1972 સુધી વ્યાજદરમાં વધારો કરીને 5% કરવામાં આવ્યો હતો.

1973 – 74માં વ્યાજના દરમાં ફરી વધારો કરીને 1/4/1974એ 5.8 % કરવામાં આવ્યો હતો અને આ રેટ તા. 31/7/1974 સુધી રહ્યા બાદ ફરીથી વધારીને 1/8/1974 – 31/3/1975 સુધી 7% થયો અને ત્યારથી અત્યાર સુધી ક્યારેય આ દર 7 %થી નીચે નથી ગયો. આ એક રેકોર્ડ છે કે લગભગ 45 વર્ષ સુધી આ દર 7% કે તેથી ઉપર જ રહ્યો છે અને આજ દિન સુધી છે. બીજી વાત કરીએ તો બેંક ફિક્સ ડિપોઝિટ પર ક્યારેય આટલું ઉચ્ચુ વળતર આપી શકી નથી.

વ્યાજદરમાં સમયાંતરે આવેલો બદલાવ

વર્ષ વ્યાજદર
1968 4.80 %
1968 – 70 4.8 %
1970 – 71 5 %
1971 – 73 5 %
1973 – 74 5.30 %
1/4/74 – 31/7/74 5.80 %
1/8/74 –  31/3/75 7%
1975 – 77 7%
1977 – 80 7.50 %
1980 – 81 8 %
1981 -83 8.5 %
1983 – 84 9 %
1984 – 85 9.5 %
1985 – 86 9%
1986 – 2000 12 %
2000 – 2001 11 %
2001 – 2002 9.50 %
2002 – 2003 9 %
2003 – 2011 8 %
2011 – 2012 8.60 %
2012 – 2013 8.80 %
2013 – 2016 8.70 %
1/4/2016 – 30/9/16 8.10 %
1/10/2016 – 31/3/17 8 %
1/4/2017 – 30/6/17 7.90 %
1/7/2017 – 31/12/17 7.80 %
1/1/2018 – 30/9/18 7.60 %
1/10/2018 – 30/6/19 8 %
1/7/2019 – 30/9/2019 7.90 %

પીપીએફમાં ઓછામાં ઓછા 500 રૂપિયાથી લઈને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને જે એકાઉન્ટને પંદર વર્ષની મુદત કરતાં વધુ સમય સુધી ચાલુ રાખવું હોય તો પણ ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

જો 500 રૂપિયા કરતાં ઓછું રોકાણ કરે તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે અને ફરીથી સક્રિય કરવા માટે 50 રૂપિયા પેનલ્ટી ભરવી પડે છે, એ જ રીતે 1.5 લાખ રૂપિયા કરતાં વધુ રકમ ભરાઈ જાય તો પણ રકમ પર વધારે વ્યાજ મળતું નથી. જેથી 500 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.

આ સ્ટોરી પણ વાંચો – Dominos Data Hacked : ડોમિનોઝના ગ્રાહકોનો ડેટા ચોરાયો, જાણો શું થઇ શકે છે દુરુપયોગ ?

Black fungus : બિહારનો વિચિત્ર કિસ્સો, ન હતા બિમારીના કોઇ લક્ષણો છતાં મહિલાની આંખ બહાર આવી ગઇ

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">