AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી કરશે 15 દ્વિપક્ષીય બેઠક, બાઈડન-સુનક સહિત આ નેતાઓ સાથે થશે વાત

દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે અહીં પહોંચશે અને ત્યારબાદ કોન્ફરન્સની પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા આજે પીએમ મોદી લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાનના નિવાસ સ્થાને મોરેશિયસ, બાંગ્લાદેશ અને અમેરિકાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી કરશે 15 દ્વિપક્ષીય બેઠક, બાઈડન-સુનક સહિત આ નેતાઓ સાથે થશે વાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 1:32 PM
Share

Delhi: G20 સમિટનું કાઉન્ટડાઉન ચાલુ છે. વિદેશી નેતાઓ ભારત આવી રહ્યા છે. ઘણા દેશોના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden), બ્રિટિશ પીએમ ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ ભારત આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓનું સ્વાગત કરશે અને તેમની સાથે મુલાકાત કરશે અને વાત કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 દ્વિપક્ષીય બેઠકો કરશે. આ દરમિયાન ભારતના વિકાસ, રોકાણ અને G20ને આગળ લઈ જવા પર ચર્ચા થવાની અપેક્ષા છે.

દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે અહીં પહોંચશે અને ત્યારબાદ કોન્ફરન્સની પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા આજે પીએમ મોદી લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાનના નિવાસ સ્થાને મોરેશિયસ, બાંગ્લાદેશ અને અમેરિકાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આજે સાંજે દિલ્હી પહોંચી રહ્યા છે. જનરલ વીકે સિંહ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે.તેઓ સીધા પીએમના નિવાસસ્થાને પહોંચશે, જ્યાં બંને નેતાઓની મુલાકાત થવાની છે.

આ પણ વાંચો: G20 બેઠક પહેલા ગૌતમ અદાણી થયા માલામાલ, ફરી વિશ્વના ટોપ 20 અરબપતિઓમાં થયા સામેલ

9 સપ્ટેમ્બરના રોજ G20માં PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

9 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી બ્રિટન, જાપાન, જર્મની અને ઈટાલીના નેતાઓને મળશે. ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનક બપોર સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ સુનકની આ પ્રથમ ભારત મુલાકાત છે. ભારતની મુલાકાત પહેલા પીએમ સુનકે કહ્યું કે તેઓ ભારતીય મૂળના હોવા પર ગર્વ અનુભવે છે. તેમની પત્ની અક્ષતા મૂર્તિ ગૌરવપૂર્ણ હિંદુ હોવાને કારણે ભારત સાથે તેમનું જોડાણ હંમેશા રહેશે. પીએમ મોદી સાથેની તેમની મુલાકાતમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ઉદાહરણ તરીકે, બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર અંગે વાતચીત થઈ શકે છે.

G20માં 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

સમિટના છેલ્લા દિવસે 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો સાથે દ્વિપક્ષીય વાતચીત વિશે સ્પષ્ટ નથી, પરંતુ પીએમ મોદી તેમની સાથે અનૌપચારિક રીતે વાત કરી શકે છે. આ સિવાય તેઓ કોમોરોસ, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન, બ્રાઝિલ અને નાઈજીરિયાના નેતાઓ સાથે બેઠક કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">