G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી કરશે 15 દ્વિપક્ષીય બેઠક, બાઈડન-સુનક સહિત આ નેતાઓ સાથે થશે વાત

દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે અહીં પહોંચશે અને ત્યારબાદ કોન્ફરન્સની પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા આજે પીએમ મોદી લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાનના નિવાસ સ્થાને મોરેશિયસ, બાંગ્લાદેશ અને અમેરિકાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી કરશે 15 દ્વિપક્ષીય બેઠક, બાઈડન-સુનક સહિત આ નેતાઓ સાથે થશે વાત
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 1:32 PM

Delhi: G20 સમિટનું કાઉન્ટડાઉન ચાલુ છે. વિદેશી નેતાઓ ભારત આવી રહ્યા છે. ઘણા દેશોના નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden), બ્રિટિશ પીએમ ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ ભારત આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ નેતાઓનું સ્વાગત કરશે અને તેમની સાથે મુલાકાત કરશે અને વાત કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 દ્વિપક્ષીય બેઠકો કરશે. આ દરમિયાન ભારતના વિકાસ, રોકાણ અને G20ને આગળ લઈ જવા પર ચર્ચા થવાની અપેક્ષા છે.

દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓ માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે અહીં પહોંચશે અને ત્યારબાદ કોન્ફરન્સની પ્રક્રિયા શરૂ થશે. આ પહેલા આજે પીએમ મોદી લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાનના નિવાસ સ્થાને મોરેશિયસ, બાંગ્લાદેશ અને અમેરિકાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન આજે સાંજે દિલ્હી પહોંચી રહ્યા છે. જનરલ વીકે સિંહ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે.તેઓ સીધા પીએમના નિવાસસ્થાને પહોંચશે, જ્યાં બંને નેતાઓની મુલાકાત થવાની છે.

આ પણ વાંચો: G20 બેઠક પહેલા ગૌતમ અદાણી થયા માલામાલ, ફરી વિશ્વના ટોપ 20 અરબપતિઓમાં થયા સામેલ

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

9 સપ્ટેમ્બરના રોજ G20માં PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

9 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી બ્રિટન, જાપાન, જર્મની અને ઈટાલીના નેતાઓને મળશે. ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનક બપોર સુધીમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ સુનકની આ પ્રથમ ભારત મુલાકાત છે. ભારતની મુલાકાત પહેલા પીએમ સુનકે કહ્યું કે તેઓ ભારતીય મૂળના હોવા પર ગર્વ અનુભવે છે. તેમની પત્ની અક્ષતા મૂર્તિ ગૌરવપૂર્ણ હિંદુ હોવાને કારણે ભારત સાથે તેમનું જોડાણ હંમેશા રહેશે. પીએમ મોદી સાથેની તેમની મુલાકાતમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ઉદાહરણ તરીકે, બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર અંગે વાતચીત થઈ શકે છે.

G20માં 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

સમિટના છેલ્લા દિવસે 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો સાથે દ્વિપક્ષીય વાતચીત વિશે સ્પષ્ટ નથી, પરંતુ પીએમ મોદી તેમની સાથે અનૌપચારિક રીતે વાત કરી શકે છે. આ સિવાય તેઓ કોમોરોસ, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન, બ્રાઝિલ અને નાઈજીરિયાના નેતાઓ સાથે બેઠક કરશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">