પેટ્રોલ ડીઝલના ભાવની સાથે સાથે (CNG) સીએનજી તથા પીએનજી (PNG)ના ભાવમાં (Price) વધારો થયો છે. આવું પ્રથમવાર થયું છે કે એલપીજીના ભાવ 1100 રૂપિયાની આસપાસ થઈ ગયા છે અને એનસીજી 75 રૂપિયાના ભાવમાં મળે છે. આ આખું સમીકરણ જોતા ખબર પડે છે કે આ તમામ મોંઘવારી એકબીજા સાથે સંકળાયેલી છે. ગેસમાં સીએનજી, પીએનજી અને એલપીજીના ભાવ એક સાથે વધી રહ્યા છે. તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પણ વધી રહી છે. કોલસાના ભાવ પણ પહેલા કરતા વધી ગયા છે. બાકી વધી વીજળી- તો તેમાં પણ થોડા સમય બાદ ભાવ વધારાની શક્યતા છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નેચરલ ગેસ અને કોલસાના ભાવમાં વધારો થયો છે તેથી વીજળીના ભાવમાં પણ વધારો થશે જ. ગત વર્ષે સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકા સુધીનો વધારો કર્યો હતો. એપ્રિલ 2019 બાદ એ વધારો પ્રથમવાર હતો જ્યારે નેચરલ ગેસની કિંમતમાં 1.70 ડોલર પ્રતિ MMBTU હતી. MMBTUનો અર્થ મીટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ છે.
ભાવ વધારાનું કારણ વૈશ્વિક બજારોમાં ગેસની કિંમતમાં ઉછાળાનું આપવામાં આવ્યું છે. નેચરલ ગેસની કિંમતમાં વર્ષમાં બે વાર 1 એપ્રિલ તથા 1 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે. આ ભાવ નક્કી કરવામાં અમેરિકા, કેનેડા અને રશિયા જેવા દેશોમાં ચાલી રહેલા રેટનું પાલન કરવામાં આવે છે. દરમિયાન રશિયામાં પરિસ્થિતિ સારી ન હોવાને કારણે ઘણા આર્થિક પ્રતિબંધ ચાલી રહ્યા છે. તેની અસર ગેસના પુરવઠા પર દેખાય છે. આથી ગેસના ભાવ ખૂબ વધી ગયા છે.
સરકાર દ્વારા નેચરલ ગેસના ભાવ વધારથી ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓને ભલે ફાયદો થયો હોય પરંતુ આઇજીએલ અને એમમજીએલ જેવી કંપનીઓ પર દબાણ વધી ગયું છે. આ કંપનીઓ ગેસ ડ્રિસ્ટ્રીબ્યૂશનનું કામ કરે છે સીએનજી તથા પીએનજીનું વિતરણ કરનારી કંપનીઓએ ભાવના દબાણને ઓછું કરવા ભાવ વધારો કર્યો છે. અને આ કંપનીઓનો તર્ક છે કે નેચરલ ગેસના ભાવ વધવાથી તેમની ઇનપુસ્ટ કોટ વધી છે અને ઓવરઓલ ખર્ચો વધતા તેની ભરપાઈ ગ્રાહકો પાસેથી કરવામાં આવી રહી છે.
ભારતમાં ગેસ આયાત કરનારી સૌથી મોટી કંપની પેટ્રોનેટ એલએનજીએ કતર ગેસને સપ્લાઇ વધારવા માટે કહ્યું છે. આગામી એક વર્ષમાં 0.75 થી 10 લાખ ટન એલએનજી પુરવઠો વધારવાની માગ કરવામાં આવી છે. હવે કતર ગેસ પર નિર્ભર કરે છે કે તે સસ્તામાં ગેસ પુરવઠો આપે છે કે મોંઘો?
Published On - 6:39 pm, Thu, 12 May 22