AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન PM એ નહી રાષ્ટ્રપતિએ કરવું જોઈએ- રાહુલ ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યા છે. અગાઉ કોંગ્રેસે સંસદના નવા બિલ્ડિંગને પીએમનો વેનિટી પ્રોજેક્ટ ગણાવ્યો હતો, પરંતુ હવે રાહુલ ગાંધીએ કહ્યું કે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે.

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન PM એ નહી રાષ્ટ્રપતિએ કરવું જોઈએ- રાહુલ ગાંધી
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 1:35 PM
Share

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને હોબાળો શરૂ થયો છે. આ વિવાદની વચ્ચે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટી વાત કરતા કહ્યું છે કે, રાષ્ટ્રપતિએ સંસદ ભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. કોંગ્રેસે સંસદના નવા મકાનને વડાપ્રધાનનો વેનિટી પ્રોજેક્ટ ગણાવ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન મોદીને મળ્યા અને તેમને નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું.

PM દ્વારા નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પર વિપક્ષી નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. શા માટે PMને ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ? પીએમ સરકારના વડા છે, સંસદના નહીં. આ ઇમારત જનતાના પૈસાથી બનાવવામાં આવી છે, પીએમ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે તેમના ‘મિત્ર’ના પૈસાથી નવી સસંદ બનેલ હોય. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યું કે, વડાપ્રધાન નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કેમ કરે ? લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના અધ્યક્ષે તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ.

નવુ ભવન પીએમનો વેનિટી પ્રોજેક્ટ

નવી ઇમારતના ઉદ્ઘાટનની જાહેરાત બાદ કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે પીએમની સેફ્ટી કેપ સાથેની તસવીર શેર કરી હતી. ટ્વીટમાં તેમણે કહ્યું કે માત્ર આર્કિટેક્ટ, ડિઝાઇનર્સ અને મજૂરો જ 28 મેના રોજ નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે આ તેમનો અંગત પ્રોજેક્ટ છે.

રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ

જો કે, સંસદમાંથી અયોગ્ય ઠરેલ સાંસદ અને કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ.

નવા સંસદ ભવનમાં 888 સભ્યો માટે બેઠક વ્યવસ્થા

નવા સંસદ ભવનમાં 888 સભ્યો બેસી શકશે. વર્તમાન લોકસભા બિલ્ડિંગમાં લગભગ 543 સભ્યો બેસી શકે છે, અને રાજ્યસભા બિલ્ડિંગમાં 250 સભ્યો બેસી શકે છે. એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં સંસદમાં સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. વર્તમાન સંસદ ભવન 1927માં બનાવવામાં આવ્યું હતું, જે હવે લગભગ 100 વર્ષ જૂનું થવા જઈ રહ્યું છે. લોકસભા સચિવાલયે કહ્યું કે વર્તમાન જરૂરિયાતો અનુસાર જગ્યાનો અભાવ અનુભવાયો હતો. બંને ગૃહમાં સાંસદો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો, જેના કારણે કામકાજ પણ પ્રભાવિત થઈ રહ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">