AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: જે કહ્યુ તે કરીશું, નફરતની દુકાન બંધ થઇ, શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અલગ જ અંદાજમાં જોવા મળ્યા

Rahul Gandhi: કર્ણાટકમાં આજે શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધીનું વલણ જોવા જેવું હતું. તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. દરમિયાન, તેમણે કહ્યું કે અમે જે પાંચ વચનો આપ્યા હતા તે આગામી થોડાક કલાકોમાં લાગુ કરવામાં આવશે.

Karnataka: જે કહ્યુ તે કરીશું, નફરતની દુકાન બંધ થઇ, શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અલગ જ અંદાજમાં જોવા મળ્યા
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 3:00 PM
Share

કર્ણાટકમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેમની સાથે આઠ કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ અને પ્રિયંકાએ પણ હાજરી આપી હતી. કર્ણાટકની જનતાનો આભાર માનતા રાહુલ ગાંધીએ કહ્યું કે જનતાએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં આપેલા પાંચ વચનો અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. આગામી થોડા કલાકોમાં કેબિનેટની બેઠક મળશે. આ પછી તે પાંચ વચનોની જાહેરાત કરવામાં આવશે

આ પણ વાંચો :Breaking News: સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ

રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે સત્ય હતું અને ગરીબ લોકો હતા. ભાજપ પાસે સંપત્તિ અને સંપૂર્ણ સત્તા હતી. રાહુલે કહ્યું કે તેમની (ભાજપ) નફરત અને ભ્રષ્ટાચારની હાર થઈ છે. તેમણે કહ્યું કે નફરતની હાર થઈ છે અને પ્રેમની જીત થઈ છે. રાહુલે કર્ણાટકની જનતાને સંબોધતા કહ્યું કે તમે છેલ્લા પાંચ વર્ષમાં ઘણો ભ્રષ્ટાચાર સહન કર્યો છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. રાહુલે કહ્યું કે બે કલાકમાં કેબિનેટની બેઠક થશે અને તે બેઠકમાં અમારા દ્વારા કરવામાં આવેલા પાંચ વચનો પૂરા કરવામાં આવશે. આ સરકાર કર્ણાટકની જનતાની સરકાર છે.

રાહુલ ગાંધી આજે આત્મવિશ્વાસથી ભરપૂર હતા. તેમની પાછળ ઘણા રાજ્યોના સીએમ બેઠા હતા. આજના શપથ ગ્રહણને કોંગ્રેસનો તાકાતનો શો પણ કહી શકાય. રાહુલે કહ્યું કે કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ આ ચૂંટણી કેવી રીતે જીતી તે અંગે ઘણી વાતો લખવામાં આવી હતી. ચૂંટણીના અલગ-અલગ વિશ્લેષણ હતા.

પરંતુ હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ આ ચૂંટણી જીતી કારણ કે અમે ગરીબો, દલિતો, આદિવાસીઓ અને પછાત લોકો સાથે ઉભા હતા. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે અમે યાત્રામાં કહ્યું હતું. હવે નફરત નાબૂદ થઈ ગઈ છે અને પ્રેમની જીત થઈ છે. કર્ણાટકમાં નફરતના બજારમાં લાખો પ્રેમની દુકાનો ખુલી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">