AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે બે કિલોમીટર ચાલીને પહોચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (President Droupadi Murmu) પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે લગભગ બે કિલોમીટર ચાલીને ગયા. મંદિરે જતા ભક્તોએ રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.

પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે બે કિલોમીટર ચાલીને પહોચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ
President Droupadi Murmu
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 4:13 PM
Share

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે લગભગ બે કિલોમીટરનું અંતર ચાલીને ગયા હતા. આ દરમિયાન મંદિરમાં જતા ભક્તોએ રાષ્ટ્રપતિનું અભિવાદન પણ કર્યું હતું. ઓડિશાના ગવર્નર પ્રો. ગણેશી લાલ, મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું ભુવનેશ્વર આગમન પર સ્વાગત કર્યું. ઓડિશાની પહેલી મુલાકાતે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ચંપલ વિના 2 કિમીનું અંતર કાપ્યું

રાષ્ટ્રપતિ ભગવાન જગન્નાથના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પુરી પહોંચ્યા. આ દરમિયાન તેણે લગભગ 2 કિમી સુધી ખુલ્લા પગે મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા. તે સતત તેમની સાથે ચાલતા હતા. રાષ્ટ્રપતિના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે લોકો જય જગન્નાથ-જય જગન્નાથના નારા લગાવી રહ્યા છે.

ઓડિશાના મેરુભંજના રહેવાસી છે રાષ્ટ્રપતિ

આ દરમિયાન રાષ્ટ્રપતિ ત્યાં હાજર ભક્તોનું અભિવાદન પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઓડિશાના છે. તેમનો જન્મ મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તે આદિવાસી સંથાલ પરિવારની છે. મૂર્મુએ પોતાનું કરિયર એક શિક્ષક તરીકે શરૂ કર્યું હતું અને પછી તેણે ઓડિશાના સિંચાઈ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. મૂર્મુએ નોકરીમાંથી મળેલા પગારમાંથી ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને તેની પુત્રી ઈતિ મૂર્મુને ભણાવી.

10 અને 11 નવેમ્બર સુધી ઓડિશા પ્રવાસ પર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 10 અને 11 નવેમ્બરે ઓડિશાની મુલાકાતે છે. તેમના આગમન પર રાજ્ય સરકારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. અહીંથી તે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુરી જવા રવાના થઈ હતી. ત્યાં મંદિર ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.

ભુવનેશ્વરમાં રાજભવનમાં દ્રૌપદી મૂર્મુના સન્માનમાં ભોજન સમારંભ, ભુવનેશ્વરમાં દ્રૌપદી મૂર્મુની શાળાની મુલાકાત સિવાય અન્ય ઘણા કાર્યક્રમો. રાજ્ય સરકારે મુર્મુની મુલાકાત પર રાજ્યની રાજધાની ક્ષેત્રની તમામ કચેરીઓ, શાળાઓ અને કોલેજો માટે પહેલાથી જ અડધા દિવસની રજાની જાહેરાત કરી હતી.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">