પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે બે કિલોમીટર ચાલીને પહોચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (President Droupadi Murmu) પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે લગભગ બે કિલોમીટર ચાલીને ગયા. મંદિરે જતા ભક્તોએ રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.

પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે બે કિલોમીટર ચાલીને પહોચ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ
President Droupadi Murmu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 4:13 PM

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે લગભગ બે કિલોમીટરનું અંતર ચાલીને ગયા હતા. આ દરમિયાન મંદિરમાં જતા ભક્તોએ રાષ્ટ્રપતિનું અભિવાદન પણ કર્યું હતું. ઓડિશાના ગવર્નર પ્રો. ગણેશી લાલ, મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું ભુવનેશ્વર આગમન પર સ્વાગત કર્યું. ઓડિશાની પહેલી મુલાકાતે રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

ચંપલ વિના 2 કિમીનું અંતર કાપ્યું

રાષ્ટ્રપતિ ભગવાન જગન્નાથના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પુરી પહોંચ્યા. આ દરમિયાન તેણે લગભગ 2 કિમી સુધી ખુલ્લા પગે મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા. તે સતત તેમની સાથે ચાલતા હતા. રાષ્ટ્રપતિના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે લોકો જય જગન્નાથ-જય જગન્નાથના નારા લગાવી રહ્યા છે.

ઓડિશાના મેરુભંજના રહેવાસી છે રાષ્ટ્રપતિ

આ દરમિયાન રાષ્ટ્રપતિ ત્યાં હાજર ભક્તોનું અભિવાદન પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઓડિશાના છે. તેમનો જન્મ મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તે આદિવાસી સંથાલ પરિવારની છે. મૂર્મુએ પોતાનું કરિયર એક શિક્ષક તરીકે શરૂ કર્યું હતું અને પછી તેણે ઓડિશાના સિંચાઈ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. મૂર્મુએ નોકરીમાંથી મળેલા પગારમાંથી ઘરનો ખર્ચ ઉઠાવ્યો અને તેની પુત્રી ઈતિ મૂર્મુને ભણાવી.

10 અને 11 નવેમ્બર સુધી ઓડિશા પ્રવાસ પર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ 10 અને 11 નવેમ્બરે ઓડિશાની મુલાકાતે છે. તેમના આગમન પર રાજ્ય સરકારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. અહીંથી તે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુરી જવા રવાના થઈ હતી. ત્યાં મંદિર ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.

ભુવનેશ્વરમાં રાજભવનમાં દ્રૌપદી મૂર્મુના સન્માનમાં ભોજન સમારંભ, ભુવનેશ્વરમાં દ્રૌપદી મૂર્મુની શાળાની મુલાકાત સિવાય અન્ય ઘણા કાર્યક્રમો. રાજ્ય સરકારે મુર્મુની મુલાકાત પર રાજ્યની રાજધાની ક્ષેત્રની તમામ કચેરીઓ, શાળાઓ અને કોલેજો માટે પહેલાથી જ અડધા દિવસની રજાની જાહેરાત કરી હતી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">