AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રધાનમંત્રી આવાસ યોજના દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તનનું મુખ્ય માધ્યમ બની : પીએમ મોદી

મધ્યપ્રદેશમાં (Madhya pradesh) 4.5 લાખ લોકો માટે 'ગૃહ પ્રવેશ' યોજના શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)  કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ સામાજિક-આર્થિક પરિવર્તન લાવવાનું મુખ્ય માધ્યમ બની છે. પીએમ મોદીએ શનિવારે મધ્યપ્રદેશના સતના જિલ્લામાં 4.5 લાખથી વધુ PMAY લાભાર્થીઓ માટે રિમોટ બટન દબાવીને 'ગૃહ પ્રવેશ' યોજના શરૂ કરી.

પ્રધાનમંત્રી આવાસ યોજના દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તનનું મુખ્ય માધ્યમ બની : પીએમ મોદી
PM Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 7:09 PM
Share

મધ્યપ્રદેશમાં (Madhya pradesh) 4.5 લાખ લોકો માટે ‘ગૃહ પ્રવેશ’ યોજના શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)  કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ સામાજિક-આર્થિક પરિવર્તન લાવવાનું મુખ્ય માધ્યમ બની છે. પીએમ મોદીએ શનિવારે મધ્યપ્રદેશના સતના જિલ્લામાં 4.5 લાખથી વધુ PMAY લાભાર્થીઓ માટે રિમોટ બટન દબાવીને ‘ગૃહ પ્રવેશ’ યોજના શરૂ કરી. આ પ્રસંગે આયોજિત સમારોહને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે અગાઉની સરકારોએ ગરીબી નાબૂદીના નારા લગાવવા સિવાય ગરીબો માટે કંઈ કર્યું નથી.તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ આવી તમામ યોજનાઓમાં વિલંબ કર્યો અને તેમની પાસે લોકોને પાયાની સુવિધાઓ આપવાનો પણ સમય નહોતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે PMAYહેઠળ ઘરોમાં વીજળી, પાણી કનેક્શન અને ગેસ કનેક્શન જેવી તમામ સુવિધાઓ છે. તેમણે કહ્યું કે આનાથી લાભાર્થીઓને તેમના સપના પૂરા કરવાની શક્તિ મળશે. મફત ‘રેવડી’નું વિતરણ કરનારાઓની ટીકા કરતા મોદીએ કહ્યું કે કરદાતાઓએ જોઈને ખુશ થશે કે લોકોને PMAY હેઠળ તેમના ઘર મળી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે, પરંતુ જ્યારે તે જ કરદાતા જુએ છે કે તેમની પાસેથી એકત્ર કરાયેલા પૈસામાંથી મફત રેવાડી વહેંચવામાં આવી રહી છે, ત્યારે તે સૌથી વધુ દુઃખી થાય છે. તેમણે કહ્યું, “આજે આવા ઘણા કરદાતાઓ મને ખુલ્લેઆમ પત્ર લખી રહ્યા છે. મને ખુશી છે કે દેશનો એક મોટો વર્ગ દેશમાં “રેવાડી સંસ્કૃતિ”માંથી મુક્તિ મેળવવા માટે કમર કસી રહ્યો છે.પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ, ગામડાઓમાં લોકો પ્રમાણપત્રો મેળવી રહ્યા છે અને બેંકો પાસેથી લોન મેળવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">