Power Crisis: 13 પાવર પ્લાન્ટને સરકારની સૂચના, જરૂરિયાતના 10 ટકા કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો

કોલસાના સંકટને લઈને પ્રથમ વખત વીજળી મંત્રાલય (Power Ministry) દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા આ કંપનીઓ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.

Power Crisis: 13 પાવર પ્લાન્ટને સરકારની સૂચના, જરૂરિયાતના 10 ટકા કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો
Power Crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 12:38 PM

કેન્દ્ર સરકારે કોલસા આધારિત 13 આયાતી પાવર પ્લાન્ટ (Power Plant) કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉર્જા મંત્રાલયે (Power Ministry) તેમની જરૂરિયાતના ઓછામાં ઓછા 10 ટકા કોલસાની આયાત કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે તેના પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે હાલમાં વીજળીની માગમાં 20 ટકાનો વધારો થયો છે અને સ્થાનિક કોલસાની સપ્લાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ વર્તમાન માગને પહોંચી વળવા તે પૂરતું નથી. વીજ ઉત્પાદન કંપનીઓને લખેલા પત્રમાં મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં સ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે.

કોલસાના સંકટને લઈને પ્રથમ વખત વીજળી મંત્રાલય દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા આ કંપનીઓ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ કંપનીઓમાં અદાણી ગ્રૂપ અને ટાટા ગ્રૂપની મોટી કંપનીઓ પણ સામેલ છે, જે આયાતી કોલસામાંથી વીજળી બનાવે છે.

ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 11 લાગુ કરી દીધી છે. સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. તેના અમલીકરણનો અર્થ એ છે કે તમામ આયાતી કોલસા આધારિત પ્લાન્ટ્સે હવે સંપૂર્ણ ક્ષમતા પર પાવર જનરેટ કરવો પડશે. ગુરુવારે મોડી રાત્રે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. તે એવા સમયે લાગુ કરવામાં આવ્યું છે જ્યારે ઉનાળાના મહિનાઓમાં વીજળીની માગ 220 GW સુધી પહોંચી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રેલવેએ 42 પેસેન્જર ટ્રેનો રદ કરી

રેલવેએ થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના પુરવઠાની અછતને પહોંચી વળવા દેશભરમાં કોલસાના રેકના ઝડપી પરિવાહને પ્રાથમિકતા આપવા માટે 42 પેસેન્જર ટ્રેનો રદ કરી છે. રેલવેએ ગુરુવારે આ માહિતી આપી. તેમાંથી 40 ટ્રેનો 24 મે સુધી રદ રહેશે, જ્યારે બાકીની બે 8 મે સુધી પુનઃસ્થાપિત કરવામાં આવશે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં રેલવેએ પાવર પ્લાન્ટ માટે જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે તેના 86 ટકા ખાલી રેકને ડાયવર્ટ કરી દીધા છે.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રદ કરાયેલી કુલ ટ્રેનોની સંખ્યા 40 છે, જેમાં પહેલાથી જ રદ કરાયેલી ટ્રેનોનો સમાવેશ થાય છે. રદ કરાયેલી ટ્રિપ્સની કુલ સંખ્યા 1081 છે. આ ટ્રિપ્સ 24 મે સુધી રદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો કે સૌથી વધુ અસરગ્રસ્ત 34 ટ્રેનો દક્ષિણ પૂર્વ મધ્ય (SER) રેલવે ઝોનની છે. ઉત્તર રેલવેએ 8 ટ્રેનો રદ કરી છે, જે 8 મેથી ફરી શરૂ કરવામાં આવશે. પાવર પ્લાન્ટમાં કોલસાના પરિવહનની કવાયતના ભાગરૂપે, 16 વિશેષ પેસેન્જર ટ્રેનો અથવા MEMU સહિત 26 મેલ/એક્સપ્રેસ ટ્રેનોને અસર થઈ છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">