AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Security Breach: CM ચન્નીએ પ્રિયંકા ગાંધી સાથે વાત કરી તો ભાજપે કર્યા પ્રહાર, સંબિત પાત્રાએ કહ્યું- તેમની પાસે કયું બંધારણીય પદ છે ?

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) સીએમ ચન્ની પર વળતો પ્રહાર કરતા કહ્યું કે પ્રિયંકા ગાંધી કોણ છે, જેમને વર્તમાન મુખ્યપ્રધાને માહિતી આપી છે.

PM Security Breach: CM ચન્નીએ પ્રિયંકા ગાંધી સાથે વાત કરી તો ભાજપે કર્યા પ્રહાર, સંબિત પાત્રાએ કહ્યું- તેમની પાસે કયું બંધારણીય પદ છે ?
Sambit Patra - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 5:11 PM
Share

પંજાબમાં પીએમ મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં ખામીનો મામલો સતત ગરમાઈ રહ્યો છે. હવે આ મુદ્દે દેશની બે મોટી પાર્ટીઓ કોંગ્રેસ (Congress) અને ભારતીય જનતા પાર્ટી (BJP) આમને-સામને છે. આ મામલામાં જ્યારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ (Charanjeet Singh Channi) પ્રિયંકા ગાંધીને (Priyanka Gandhi) જાણ કરી તો ભાજપ કોંગ્રેસ પર હુમલો કરનાર બની ગયું.

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ (Sambit Patra) સીએમ ચન્ની પર વળતો પ્રહાર કરતા કહ્યું કે પ્રિયંકા ગાંધી કોણ છે, જેમને વર્તમાન મુખ્યપ્રધાને માહિતી આપી છે. ANI સાથે વાત કરતા સંબિતે કહ્યું, પ્રિયંકા પાસે કયું બંધારણીય પદ છે. પીએમની સુરક્ષાને લઈને તેમને કેમ માહિતી આપવામાં આવી? અમારું દ્રઢપણે માનવું છે કે ગાંધી પરિવારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી ન હતી: ચન્ની

પંજાબમાં પીએમની સુરક્ષામાં ક્ષતિના મામલામાં રાજકીય પક્ષોના નિશાના પર આવેલા સીએમ ચન્નીએ હાલમાં જ કહ્યું છે કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ખામી ન હતી. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ભાજપ અને કેન્દ્ર સરકાર આ મામલે અફવાઓ ફેલાવી રહી છે. પંજાબમાં પીએમના જીવને કોઈ ખતરો ન હતો. ચન્નીએ કહ્યું કે મેં પીએમ સાથે વાત કરવા માટે સમય માંગ્યો છે. તે મારું સન્માન છે અને હું તેમને લાંબુ આયુષ્ય ઈચ્છું છું. તેમાં પંજાબ પોલીસનો કોઈ દોષ નહોતો.

વડાપ્રધાન ફરીથી પંજાબ આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું: ચન્ની

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના મંત્રીઓ અને કેન્દ્ર સરકાર આ અંગે હોબાળો મચાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં ભાજપ પર પ્રહાર કરતા ચન્નીએ કહ્યું કે ફિરોઝપુરની રેલીમાં 70 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી, પરંતુ 700 લોકો પણ આવ્યા ન હતા. તેમણે કહ્યું, વડાપ્રધાનનો હુસૈનીવાલા જવાનો કોઈ કાર્યક્રમ નહોતો. છેલ્લી ઘડીએ તેમનો કાર્યક્રમ બદલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન ફરીથી પંજાબ આવશે તો અમે તેમનું સ્વાગત કરીશું.

આ પણ વાંચો : Delhi: સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

આ પણ વાંચો : સંસદમાં કોરોના વિસ્ફોટ: સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, 65 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">