Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

સીએમ કેજરીવાલે કહ્યું કે તેમને 2 દિવસથી તાવ હતો, ત્યારબાદ તેઓ કોવિડ પ્રોટોકોલને પગલે 7/8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. હવે ફરીથી હું લોકોની સેવામાં પાછો આવ્યો છું.

Delhi: સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત
Arvind Kejriwal - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 4:51 PM

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હવે કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા છે. સ્વસ્થ થયા પછી પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે મને પણ કોરોના (Corona) થયો હતો, જ્યાં હું હોમ આઇસોલેશનમાં રહ્યો હતો. સીએમ કેજરીવાલે કહ્યું કે તેમને 2 દિવસથી તાવ હતો, ત્યારબાદ તેઓ કોવિડ પ્રોટોકોલને પગલે 7/8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. હવે ફરીથી હું લોકોની સેવામાં પાછો આવ્યો છું. આ સાથે સીએમ કેજરીવાલ આજે સાંજે 4 વાગ્યે દેશભરના કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ (Corona Cases) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, હું હંમેશા તેના વિશે ચિંતિત હતો, જો કે હું હોમ આઇસોલેશનમાં હતો, પરંતુ હું મારા તમામ અધિકારીઓ સાથે સતત ફોન પર હતો, મુખ્ય સચિવ, આરોગ્ય મંત્રી બધાના સંપર્કમાં હતો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ કોરોનાના વધતા જતા કેસ અને કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે. જો કે, સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં દિલ્હીમાં પણ કોરોનાની ઝડપ વધી રહી છે. તેમણે કહ્યું કે ગઈકાલે દિલ્હીમાં લગભગ 20 હજાર કેસ હતા, આજે સાંજે આવનારા હેલ્થ બુલેટિનમાં લગભગ 22 હજાર કેસ આવશે.

Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ
AC કયા ટેમ્પરેચર પર ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? જાણો અહીં

કોરોનાનો આ પ્રકાર પહેલા કરતા ઓછો ખતરનાક: કેજરીવાલ

તમને જણાવી દઈએ કે કોરોનાની પ્રથમ લહેરની સરખામણી કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે, કેસ દરરોજ ઝડપથી વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે, પરંતુ જેમ મેં પહેલા પણ કહ્યું હતું કે તમારે ગભરાવાની જરૂર નથી. હું આ તમામ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કહી રહ્યો છું, એપ્રિલ-મેમાં આવેલા છેલ્લા વેવમાં 7 મેના રોજ પણ લગભગ 20 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ તે દિવસે 341 મૃત્યુ થયા હતા, પરંતુ ગઈકાલે જ્યારે 20 હજાર કેસ આવ્યા ત્યારે 7 મૃત્યુ થયા હતા, જોકે મૃત્યુ 1 પણ ન હોવા જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે 7 મેના રોજ જ્યારે 20 હજાર કેસ આવ્યા હતા. ત્યારબાદ લગભગ 20 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલે જ્યારે 20 હજાર નવા કેસ આવ્યા ત્યારે દિલ્હીમાં માત્ર દોઢ હજાર બેડ ભરાયા હતા. તે પ્રથમ લહેરની તુલનામાં, મૃત્યુ પણ ઘટી રહ્યા છે અને લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર પણ ઓછી છે.

સીએમએ કહ્યું કે હું તમને આ આંકડો એટલા માટે નથી કહી રહ્યો કે તમે લોકો માસ્ક પહેરવાનું બંધ કરી દો અથવા બેજવાબદાર બનો. મેં તમને આ ડેટા એટલા માટે કહ્યો છે કે તમે લોકો ગભરાશો નહીં, તે એટલું ખતરનાક નથી, તમારે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. માસ્ક પહેરવું સૌથી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : ક્યાંક કોરોના હોટસ્પોટ ન બને ગંગાસાગર મેળો ! આ રાજ્યમાં કોવિડના વધતા કેસ વચ્ચે મેળો યોજાતા વધી ચિંતા

આ પણ વાંચો : Corona : પંજાબમાં ઓક્સિજન સપોર્ટવાળા દર્દીઓની સંખ્યા વધી, ગત 24 કલાકમાં 264 ટકા વૃદ્ધિ

અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">