AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

સીએમ કેજરીવાલે કહ્યું કે તેમને 2 દિવસથી તાવ હતો, ત્યારબાદ તેઓ કોવિડ પ્રોટોકોલને પગલે 7/8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. હવે ફરીથી હું લોકોની સેવામાં પાછો આવ્યો છું.

Delhi: સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત
Arvind Kejriwal - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 4:51 PM
Share

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હવે કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા છે. સ્વસ્થ થયા પછી પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે મને પણ કોરોના (Corona) થયો હતો, જ્યાં હું હોમ આઇસોલેશનમાં રહ્યો હતો. સીએમ કેજરીવાલે કહ્યું કે તેમને 2 દિવસથી તાવ હતો, ત્યારબાદ તેઓ કોવિડ પ્રોટોકોલને પગલે 7/8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. હવે ફરીથી હું લોકોની સેવામાં પાછો આવ્યો છું. આ સાથે સીએમ કેજરીવાલ આજે સાંજે 4 વાગ્યે દેશભરના કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ (Corona Cases) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, હું હંમેશા તેના વિશે ચિંતિત હતો, જો કે હું હોમ આઇસોલેશનમાં હતો, પરંતુ હું મારા તમામ અધિકારીઓ સાથે સતત ફોન પર હતો, મુખ્ય સચિવ, આરોગ્ય મંત્રી બધાના સંપર્કમાં હતો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ કોરોનાના વધતા જતા કેસ અને કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે. જો કે, સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં દિલ્હીમાં પણ કોરોનાની ઝડપ વધી રહી છે. તેમણે કહ્યું કે ગઈકાલે દિલ્હીમાં લગભગ 20 હજાર કેસ હતા, આજે સાંજે આવનારા હેલ્થ બુલેટિનમાં લગભગ 22 હજાર કેસ આવશે.

કોરોનાનો આ પ્રકાર પહેલા કરતા ઓછો ખતરનાક: કેજરીવાલ

તમને જણાવી દઈએ કે કોરોનાની પ્રથમ લહેરની સરખામણી કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે, કેસ દરરોજ ઝડપથી વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે, પરંતુ જેમ મેં પહેલા પણ કહ્યું હતું કે તમારે ગભરાવાની જરૂર નથી. હું આ તમામ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કહી રહ્યો છું, એપ્રિલ-મેમાં આવેલા છેલ્લા વેવમાં 7 મેના રોજ પણ લગભગ 20 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ તે દિવસે 341 મૃત્યુ થયા હતા, પરંતુ ગઈકાલે જ્યારે 20 હજાર કેસ આવ્યા ત્યારે 7 મૃત્યુ થયા હતા, જોકે મૃત્યુ 1 પણ ન હોવા જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે 7 મેના રોજ જ્યારે 20 હજાર કેસ આવ્યા હતા. ત્યારબાદ લગભગ 20 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલે જ્યારે 20 હજાર નવા કેસ આવ્યા ત્યારે દિલ્હીમાં માત્ર દોઢ હજાર બેડ ભરાયા હતા. તે પ્રથમ લહેરની તુલનામાં, મૃત્યુ પણ ઘટી રહ્યા છે અને લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર પણ ઓછી છે.

સીએમએ કહ્યું કે હું તમને આ આંકડો એટલા માટે નથી કહી રહ્યો કે તમે લોકો માસ્ક પહેરવાનું બંધ કરી દો અથવા બેજવાબદાર બનો. મેં તમને આ ડેટા એટલા માટે કહ્યો છે કે તમે લોકો ગભરાશો નહીં, તે એટલું ખતરનાક નથી, તમારે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. માસ્ક પહેરવું સૌથી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : ક્યાંક કોરોના હોટસ્પોટ ન બને ગંગાસાગર મેળો ! આ રાજ્યમાં કોવિડના વધતા કેસ વચ્ચે મેળો યોજાતા વધી ચિંતા

આ પણ વાંચો : Corona : પંજાબમાં ઓક્સિજન સપોર્ટવાળા દર્દીઓની સંખ્યા વધી, ગત 24 કલાકમાં 264 ટકા વૃદ્ધિ

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">