AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદમાં કોરોના વિસ્ફોટ: સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, 65 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ

સંસદ ભવનના 400થી વધુ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ (M. Venkaiah Naidu) નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

સંસદમાં કોરોના વિસ્ફોટ: સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, 65 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ
Parliament (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 4:46 PM
Share

Delhi Corona Update : શનિવારે સંસદ ભવનમાં (Parliament) કામ કરી રહેલા ઓછામાં ઓછા 400 કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે, એવું કહેવામાં આવ્યું છે કે 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરી રહેલા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ (Covid-19 Test) કરવામાં આવ્યો હતો. જેમાં 400થી વધુ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવતા ખળભળાટ મચી ગયો હતો.

સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સંક્રમિત લોકોમાં રાજ્યસભા સચિવાલયના 65, લોકસભા સચિવાલયના લગભગ 200 અને સંસદમાં કામ કરતા 133 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ (M. Venkaiah Naidu) નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

સંસદ ભવનમાં કોરોનાની દહેશત

આ નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્યસભા સાથે જોડાયેલા લગભગ 65 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે. ઉપરાંત તમામ મીટિંગ્સ વર્ચ્યુઅલ (Virtual Meeting) રીતે કરવામાં આવશે, તેમજ તમામ કર્મચારીઓએ નિયમિત અંતરાલ પર કોરોના ટેસ્ટ કરવાનો રહેશે. તમને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં વાયરસના 1,59,632 નવા કેસ નોંધાયા છે, જ્યારે 327 લોકોના મોત થયા છે. આ સિવાય ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ સાથે આંકડો 3,623 પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય મંત્રીએ નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યુ કે કોવિડના વધતા જતા કેસોને કારણે સગર્ભા મહિલા કર્મચારીઓ અને વિકલાંગ કર્મચારીઓને ઓફિસ આવવાથી મુક્તિ આપવામાં આવી છે. હાલ તેમને ઘરેથી જ કામ કરવા કહેવામાં આવ્યુ છે. કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DOPT) દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (New Guidelines) વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પણ ઓફિસમાં આવવાની જરૂર નથી

મંત્રીએ વધુમાં જણાવ્યું કે અન્ડર સેક્રેટરીના સ્તરથી નીચેના સરકારી કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી મર્યાદિત કરવામાં આવી છે અને બાકીના 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. તેમણે કહ્યું કે, તમામ સંબંધિત વિભાગો દ્વારા તે મુજબ રોસ્ટર તૈયાર કરવામાં આવશે. તેમજ ઓફિસમાં ન આવતા અને ઘરેથી કામ કરતા અધિકારીઓ કે કર્મચારીઓ ટેલિફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારના માધ્યમો દ્વારા સંપર્કમાં રહેશે.

આ પણ વાંચો : દિલ્હીમાં કોરોનાનો કહેર : સંસદ ભવન બાદ સુપ્રીમ કોર્ટના 4 ન્યાયાધીશ થયા કોરોના સંક્રમિત

Follow Us
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">