PM Security Breach: પંજાબ પોલીસે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સનું પાલન ન કર્યું, ‘બ્લુ બુક’ નિયમોની અવગણના : ગૃહ મંત્રાલય

PM Security Breach Punjab: પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખોટ સામે આવી છે જેના કારણે ફિરોઝપુરમાં પીએમની રેલી રદ કરવી પડી હતી.

PM Security Breach: પંજાબ પોલીસે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સનું પાલન ન કર્યું, 'બ્લુ બુક' નિયમોની અવગણના : ગૃહ મંત્રાલય
PM Modi's convoy on the flyover in Punjab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 8:19 AM

PM Security Breach: પંજાબના ફિરોઝપુરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની રેલી સુરક્ષાના કારણોસર રદ્દ કરવી પડી હતી. આ મામલે ગૃહ મંત્રાલયે પંજાબ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રદર્શનો વિશે ગુપ્ત માહિતી હોવા છતાં, પંજાબ પોલીસે ‘બ્લુ બુક'(Blue Book Rules) નિયમોનું પાલન કર્યું નથી. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની બ્લુ બુકમાં વડાપ્રધાનની સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકા આપવામાં આવી છે. 

“બ્લુ બુક અનુસાર, પંજાબમાં જોવા મળતી કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ માટે રાજ્ય પોલીસે અગાઉથી એક આકસ્મિક માર્ગ તૈયાર કરવો પડશે,” અધિકારીએ જણાવ્યું હતું કે, ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ સતત પંજાબમાં છે. પોલીસના સંપર્કમાં હતા અને તેમને પ્રદર્શનો વિશે માહિતગાર કર્યા અને પંજાબ પોલીસે પણ સંપૂર્ણ સુરક્ષા (PM Security Breach Reasons)ની ખાતરી આપી. 

તેમણે કહ્યું કે એસપીજીના જવાનો પીએમની આસપાસ એક વર્તુળમાં રહે છે, પરંતુ બાકીના સુરક્ષા પગલાંની જવાબદારી રાજ્ય સરકારના હાથમાં છે. રાજ્ય પોલીસ એસપીજીને પરિસ્થિતિમાં ફેરફાર વિશે જાણ કરે છે અને તે મુજબ વીઆઈપીની પ્રવૃત્તિ બદલાઈ જાય છે. 

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ડ્રોનની ઘણી ઘટનાઓ બની છે

હકીકતમાં, પાકિસ્તાન સાથેની પંજાબની સરહદ પર વર્ષ 2021માં ડ્રોન જોવાની 150 ઘટનાઓ નોંધાઈ છે. જ્યારે ઘણી ઘટનાઓ તો નોંધાઈ જ નથી. ઘણા ડ્રોન છે, જેમાં બોમ્બ, ગ્રેનેડ, પિસ્તોલ જેવા હથિયારો છે. એટલે કે ડ્રોનથી ગમે ત્યાં હુમલો કરી શકાય છે. આવી સ્થિતિમાં પીએમનો કાફલો પંજાબના ફ્લાયઓવર પર લગભગ 15-20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો. જેના પર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયે હવે પંજાબ પોલીસ પાસેથી સુરક્ષા દળોની તૈનાતી, બેરિકેડ અને સુરક્ષા માટે અપનાવવામાં આવેલા અન્ય પગલાં અંગે માહિતી માંગી છે. અધિકારીએ કહ્યું, “સુરક્ષામાં ખામીઓના મામલે ગુપ્તચર એજન્સીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.”

આ પણ વાંચો:BKU-ક્રાંતિકારીએ લીધી PM મોદીનો રસ્તો રોકવાની જવાબદારી, કહ્યું ખેડૂતો નોહતા ઈચ્છતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે

આ પણ વાંચો:PM મોદીની સુરક્ષાનો કેવી રીતે ભંગ થયો? પંજાબના સંવેદનશીલ ઝોનમાં 20 મિનિટ સુધી ફસાયા વડાપ્રધાન, 30 કિમી દૂર હતી પાકિસ્તાન સરહદ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">