AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BKU-ક્રાંતિકારીએ લીધી PM મોદીનો રસ્તો રોકવાની જવાબદારી, કહ્યું ખેડૂતો નોહતા ઈચ્છતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધીઓ લીલા અને લાલ ઝંડા લઈને આવ્યા હતા, જે BKU ક્રાંતિકારીના ઝંડા છે. BKU (ક્રાંતિકારી)ના જનરલ સેક્રેટરી બલદેવ ઝીરાએ દાવો કર્યો છે કે ખેડૂતો ઈચ્છતા ન હતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે

BKU-ક્રાંતિકારીએ લીધી PM મોદીનો રસ્તો રોકવાની જવાબદારી, કહ્યું ખેડૂતો નોહતા ઈચ્છતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે
A major lapse has come to the fore in the security of Prime Minister Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 7:35 AM
Share

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ની પંજાબની મુલાકાત દરમિયાન ખેડૂતોના વિરોધને કારણે સુરક્ષામાં જંગી ખામી સર્જાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય કિસાન યુનિયન (ક્રાંતિકારી)(Bhartiya Kisan Union (Krantikari)ના સભ્યોએ ફિરોઝપુર જિલ્લા(Ferozepur District)ના પિયારિયાના ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાની જવાબદારી લીધી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાતના વિરોધમાં ખેડૂતોના એક જૂથે પિયારેના ગામ પાસે ફ્લાયઓવરને બ્લોક કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધીઓ લીલા અને લાલ ઝંડા લઈને આવ્યા હતા, જે BKU ક્રાંતિકારીના ઝંડા છે. BKU (ક્રાંતિકારી)ના જનરલ સેક્રેટરી બલદેવ ઝીરાએ દાવો કર્યો છે કે ખેડૂતો ઈચ્છતા ન હતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે, તેથી કાફલાને અટકાવવામાં આવ્યો. 

જણાવી દઈએ કે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પીએમ હવામાન સાફ થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગવાનો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની જરૂરી પુષ્ટિ કરવામાં આવી હતી. 

PM મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટકી ગયો હતો

હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓ રસ્તો રોકતા જોવા મળ્યા. મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદીને 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાવું પડ્યું. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી. 

સુરક્ષા ક્ષતિ અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે

મંત્રાલયે કહ્યું કે સુરક્ષામાં આ ખામી બાદ પીએમ મોદીના કાફલાને ભટિંડા એરપોર્ટ પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે. 

સુરક્ષાની જવાબદારી પંજાબ સરકારની હતી

ગૃહ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાનના સમયપત્રક અને પ્રવાસની યોજના પંજાબ સરકારને પહેલાથી જ જણાવી દેવામાં આવી છે. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા તેમજ આકસ્મિક યોજના તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હતી. તેણે એમ પણ કહ્યું કે આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા અને અવરોધિત કરવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવી પડશે. પરંતુ આ બન્યું નહીં, કારણ કે કોઈ બંદોબસ્ત રાખવામાં આવ્યો નહોતો.

આ પણ વાંચો- PM મોદીની સુરક્ષાનો કેવી રીતે ભંગ થયો? પંજાબના સંવેદનશીલ ઝોનમાં 20 મિનિટ સુધી ફસાયા વડાપ્રધાન, 30 કિમી દૂર હતી પાકિસ્તાન સરહદ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">