AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BKU-ક્રાંતિકારીએ લીધી PM મોદીનો રસ્તો રોકવાની જવાબદારી, કહ્યું ખેડૂતો નોહતા ઈચ્છતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે

સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધીઓ લીલા અને લાલ ઝંડા લઈને આવ્યા હતા, જે BKU ક્રાંતિકારીના ઝંડા છે. BKU (ક્રાંતિકારી)ના જનરલ સેક્રેટરી બલદેવ ઝીરાએ દાવો કર્યો છે કે ખેડૂતો ઈચ્છતા ન હતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે

BKU-ક્રાંતિકારીએ લીધી PM મોદીનો રસ્તો રોકવાની જવાબદારી, કહ્યું ખેડૂતો નોહતા ઈચ્છતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે
A major lapse has come to the fore in the security of Prime Minister Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 7:35 AM
Share

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ની પંજાબની મુલાકાત દરમિયાન ખેડૂતોના વિરોધને કારણે સુરક્ષામાં જંગી ખામી સર્જાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય કિસાન યુનિયન (ક્રાંતિકારી)(Bhartiya Kisan Union (Krantikari)ના સભ્યોએ ફિરોઝપુર જિલ્લા(Ferozepur District)ના પિયારિયાના ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવાની જવાબદારી લીધી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાતના વિરોધમાં ખેડૂતોના એક જૂથે પિયારેના ગામ પાસે ફ્લાયઓવરને બ્લોક કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધીઓ લીલા અને લાલ ઝંડા લઈને આવ્યા હતા, જે BKU ક્રાંતિકારીના ઝંડા છે. BKU (ક્રાંતિકારી)ના જનરલ સેક્રેટરી બલદેવ ઝીરાએ દાવો કર્યો છે કે ખેડૂતો ઈચ્છતા ન હતા કે વડાપ્રધાન પંજાબમાં રેલી કરે, તેથી કાફલાને અટકાવવામાં આવ્યો. 

જણાવી દઈએ કે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પીએમ હવામાન સાફ થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગવાનો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની જરૂરી પુષ્ટિ કરવામાં આવી હતી. 

PM મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટકી ગયો હતો

હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓ રસ્તો રોકતા જોવા મળ્યા. મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદીને 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાવું પડ્યું. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી. 

સુરક્ષા ક્ષતિ અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે

મંત્રાલયે કહ્યું કે સુરક્ષામાં આ ખામી બાદ પીએમ મોદીના કાફલાને ભટિંડા એરપોર્ટ પર પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે. 

સુરક્ષાની જવાબદારી પંજાબ સરકારની હતી

ગૃહ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાનના સમયપત્રક અને પ્રવાસની યોજના પંજાબ સરકારને પહેલાથી જ જણાવી દેવામાં આવી છે. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા તેમજ આકસ્મિક યોજના તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હતી. તેણે એમ પણ કહ્યું કે આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા અને અવરોધિત કરવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવી પડશે. પરંતુ આ બન્યું નહીં, કારણ કે કોઈ બંદોબસ્ત રાખવામાં આવ્યો નહોતો.

આ પણ વાંચો- PM મોદીની સુરક્ષાનો કેવી રીતે ભંગ થયો? પંજાબના સંવેદનશીલ ઝોનમાં 20 મિનિટ સુધી ફસાયા વડાપ્રધાન, 30 કિમી દૂર હતી પાકિસ્તાન સરહદ

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">