AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

બુધવારે પંજાબની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઈ હતી, જેને કારણે પંજાબ સરકાર પણ અનેક સવાલો ઉઠ્યા હતા.

આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 2:43 PM
Share

PM Modi security breach : પંજાબ સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે પંજાબની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદીની(Pm Narendra Modi)  સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હતી, જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ સમગ્ર માર્ગને ઘેરી લીધો હતો. આ ઘટનાને કારણે વડાપ્રધાન 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. આ પછી વડાપ્રધાન રેલી (PM Modi Rally) સહિતના કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી દિલ્હી તેઓ પરત ફર્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને તાત્કાલિક રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યા બાદ હાલ ચન્ની સરકાર સાબદી થઈ છે.સુરક્ષામાં થયેલી ચૂકને લઈને હાલ પંજાબ સરકાર પર અનેક સવાલો ઉઠાવવમાં આવી રહ્યા છે.  ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતુ કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આ માટે જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે.જો કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ( CM Charanjit Singh Channi) સુરક્ષામાં કોઈ ખામી હોવાનો કે તેની પાછળ કોઈ રાજકીય હેતુ હોવાની વાતને વખોડી કાઢી હતી.

વડાપ્રધાનની સુરક્ષાને લઈને રાજકારણ ગરમાયુ

તમને જણાવી દઈએ કે, બુધવારે પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને કારણે તેઓએ  ફિરોઝપુરમાં તેમની રેલી રદ કરવી પડી હતી. પીએમની સુરક્ષામાં ખામી બાદ તમામ પક્ષો અને નેતાઓ તરફથી પંજાબ સરકાર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદીની સુરક્ષામાં ખામીને લઈને રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો  છે. આ ઘટના માટે ભાજપના તમામ નેતાઓ પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ ઉઠી

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે (Amrinder Singh) પીએમ મોદીની સુરક્ષામાં ખામીના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. તમને જણાવવુ રહ્યુ કે,આ રેલીમાં ભાગ લેવા માટે કેપ્ટન અમરિંદર સિંહ પણ પંજાબના ફિરોઝપુર પહોંચ્યા હતા. ગૃહ મંત્રાલયે બુધવારે જ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પીએમ મોદી બુધવારે ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં શહીદ સ્મારક પર જવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે, PMએ રોડ માર્ગે સ્મારક પહોંચવાનો નિર્ણય કર્યો. પરંતુ બાદમાં કેટલાક પ્રદર્શન કારીઓ દ્વારા તેના માર્ગમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">