AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMની સુરક્ષામાં ક્ષતિઓથી ચિંતિત રાષ્ટ્રપતિ, PM મોદીએ પોતે ઘટનાની આપી જાણકારી

PM Modi security breach : PM મોદીની સુરક્ષામાં ખામીનો મુદ્દો ગંભીર બની ગયો છે. પીએમની સુરક્ષામાં ક્ષતિને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. પંજાબના સીએમ ચન્નીનું કહેવું છે કે તેમને ખબર ન હતી કે પીએમ મોદી રોડમાર્ગેથી આવી રહ્યા છે.

PMની સુરક્ષામાં ક્ષતિઓથી ચિંતિત રાષ્ટ્રપતિ, PM મોદીએ પોતે ઘટનાની આપી જાણકારી
PM Modi meets President
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 3:00 PM
Share

PM Modi meets President : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે (President Ram Nath Kovind) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં ખામી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ તેમને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan,) બોલાવ્યા હતા. પીએમ મોદીએ (PM Modi) શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો (PM Modi security breach) મામલો પણ ગંભીર બન્યો છે.

અત્યાર સુધી જે તથ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ તો પંજાબ પોલીસ (Punjab Police) અને પંજાબ સરકારની ગંભીર બેદરકારી સામે આવી છે. પંજાબ પોલીસ અને મુખ્યમંત્રી ચરણજીત ચન્ની (Chief Minister Charanjit Channi) સરકાર સવાલોના ઘેરામાં છે. પીએમની સુરક્ષામાં ક્ષતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પણ પહોંચ્યો છે.

પંજાબ સરકારે તપાસ માટે રચી સમિતિ

આ મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જો કે પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે એક કમિટીની રચના કરી છે. આ સમિતિ ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે. પીએમ મોદી બુધવારે પંજાબમાં હતા. તેઓ ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ મ્યુઝિયમ જઈ રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો હુસૈનવાલા ફ્લાયઓવર પાસે પહોંચ્યો ત્યારે પ્રદર્શનકારીઓ પહેલાથી જ ત્યાં હતા. ફ્લાયઓવર પર દેખાવકારોની હાજરીને કારણે પીએમનો કાફલો લગભગ 20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો. આ દરમિયાન પીએમની સુરક્ષામાં તૈનાત એસપીજીએ સીએમ ચન્ની અને સીએમ ઓફિસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો.

ભાજપ અને કોંગ્રેસ આમને-સામને

પીએમ મોદીની સુરક્ષામાં ભંગ એ ગંભીર મુદ્દો બની ગયો છે. પીએમની સુરક્ષામાં ક્ષતિને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. પંજાબના સીએમ ચન્નીનું કહેવું છે કે તેમને ખબર ન હતી કે પીએમ મોદી રોડમાર્ગથી આવી રહ્યા છે. ચન્નીએ કહ્યું કે તેમના નજીકના વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આવી સ્થિતિમાં કેબિનેટે તેમને સલાહ આપી કે તેમણે પીએમને રિસીવ કરવા ન જવું જોઈએ.

આ પણ વાંચોઃ

આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના

આ પણ વાંચોઃ

PM Security Breach: PM મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે થશે સુનાવણી

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">