AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેદારનાથની આ ગુફામાં PM મોદીની જેમ તમે પણ સાધના કરી શકો છો, 990 રૂપિયામાં આ રીતે થશે BOOKING

લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયો અને PM મોદી શનિવારે કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ મોદી આશરે 2 કિમી સુધી પગપાળા ચાલવા નીકળ્યા હતા. તો એક અનોખી વાત એ પણ છે કે શનિવાર રાત્રીથી બીજા દિવસ સવાર સુધી PM મોદીએ ધ્યાન લગાવ્યું હતું. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ગુફામાં પ્રવેશ નિષેધ […]

કેદારનાથની આ ગુફામાં PM મોદીની જેમ તમે પણ સાધના કરી શકો છો, 990 રૂપિયામાં આ રીતે થશે BOOKING
| Updated on: May 19, 2019 | 6:07 AM
Share

લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયો અને PM મોદી શનિવારે કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ મોદી આશરે 2 કિમી સુધી પગપાળા ચાલવા નીકળ્યા હતા. તો એક અનોખી વાત એ પણ છે કે શનિવાર રાત્રીથી બીજા દિવસ સવાર સુધી PM મોદીએ ધ્યાન લગાવ્યું હતું. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ગુફામાં પ્રવેશ નિષેધ હતો. જે ગુફામાં PM મોદીએ સાધના કરી તે કેદારનાથ મંદિરની ડાબી તરફ પહાડીમાં છે.

આ પણ વાંચોઃ વારાણસીની બેઠક પરથી PM મોદી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગુજરાતી સમાજમાં છવાયો છે આવો ઉત્સાહનો માહલો

આ ગુફા તો દુનિયાભરના ટેલિવિઝન પર લોકોએ તો જોઈ લીધી છે. પરંતુ તેની પાછળની કેટલીક વાતો તમને ખ્યાલ નહીં હોઈ. આ ગુફા બનાવવાનું કાર્ય એપ્રીલ મહિનામાં જ પૂરુ થયું છે. મંદાકિની નદીના એક કિનારે આ ગુફાનું નિર્માણ નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરાયું છે. ગુફાની ખાસિયત જોવામાં આવે તો 5 મીટર લાંબી અને 3 મીટર પહોંળી છે. ગુફામાં સામાન્ય જીવન માટે વીજળી, ટેલિફોન સહિતની તમામ આધુનિક સુવિધા છે.

આ ગુફા સમુદ્ર સીમાથી 12.250 ફૂટ ઉંચાઈ પર છે. આ ગુફા હાલ તો એક પ્રયોગ માટે જ શરૂ કરવામાં આવી છે. અને આગળના સમય માટે આ પ્રકારની 5 વધુ ગુફાનું નિર્માણ કરવામાં આવશે. આધ્યાત્મિક લોકો માત્ર 990 રૂપિયામાં એક દિવસ માટે આ ગુફાનું બુકિંગ કરાવી શકે છે. શ્રદ્ધાળુઓને દિવસમાં ભોજન પણ ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. પરંતુ આ માટે તમારે અલગથી ચાર્જ આપવો પડશે. આ ગુફા એક વ્યક્તિ વધુમાં વધુ ત્રણ દિવસ માટે બુક કરાવી શકે છે. જો કે જરૂર મુજબ તેની સમયસીમા વધારી પણ શકાય છે. રૂદ્ર પ્રયાગના જિલ્લા અધિકારી મંગશે કહ્યું કે રાત્રીના સમયે PM મોદી માટે રાત્રીભોજન મોકલવામાં આવ્યું હતું. તો ગુફામાં ઠંડીના તાપમાનને જોતા હીટરની પણ વ્યવસ્થા કરાઈ હતી. સાથે એક ગીઝર પણ રખાયું હતું. તો સુરક્ષાના પગલા જોતા સુરક્ષાકર્મીઓ પણ ગુફાની આજુબાજુ ટેન્ટમાં રહેતા હતા.

કેવી રીતે ગુફાનું બુકિંગ કરાવી શકો છો

કેદારનાથની આ પવિત્ર ગુફાને રૂદ્રા નામ આપવામાં આવ્યું છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા આ ગુફાનું બુકિંગ કરવામાં આવે છે. બુકિંગ કરાવનાર વ્યક્તિનું ગુપ્તકાશીમાં મેડિકલ પણ કરાવવામાં આવે છે. જે બાદ કેદારનાથ પહોંચીને પણ ફરી એક વખત મેડિકલ કરવામાં આવે છે. આ ગુફાના નિર્માણકાર્ય માટે અંદાજિત 8 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">