કેદારનાથની આ ગુફામાં PM મોદીની જેમ તમે પણ સાધના કરી શકો છો, 990 રૂપિયામાં આ રીતે થશે BOOKING

લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયો અને PM મોદી શનિવારે કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ મોદી આશરે 2 કિમી સુધી પગપાળા ચાલવા નીકળ્યા હતા. તો એક અનોખી વાત એ પણ છે કે શનિવાર રાત્રીથી બીજા દિવસ સવાર સુધી PM મોદીએ ધ્યાન લગાવ્યું હતું. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ગુફામાં પ્રવેશ નિષેધ […]

કેદારનાથની આ ગુફામાં PM મોદીની જેમ તમે પણ સાધના કરી શકો છો, 990 રૂપિયામાં આ રીતે થશે BOOKING
Follow Us:
| Updated on: May 19, 2019 | 6:07 AM

લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયો અને PM મોદી શનિવારે કેદારનાથ મંદિર પહોંચ્યા હતા. કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ મોદી આશરે 2 કિમી સુધી પગપાળા ચાલવા નીકળ્યા હતા. તો એક અનોખી વાત એ પણ છે કે શનિવાર રાત્રીથી બીજા દિવસ સવાર સુધી PM મોદીએ ધ્યાન લગાવ્યું હતું. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ગુફામાં પ્રવેશ નિષેધ હતો. જે ગુફામાં PM મોદીએ સાધના કરી તે કેદારનાથ મંદિરની ડાબી તરફ પહાડીમાં છે.

આ પણ વાંચોઃ વારાણસીની બેઠક પરથી PM મોદી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગુજરાતી સમાજમાં છવાયો છે આવો ઉત્સાહનો માહલો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ ગુફા તો દુનિયાભરના ટેલિવિઝન પર લોકોએ તો જોઈ લીધી છે. પરંતુ તેની પાછળની કેટલીક વાતો તમને ખ્યાલ નહીં હોઈ. આ ગુફા બનાવવાનું કાર્ય એપ્રીલ મહિનામાં જ પૂરુ થયું છે. મંદાકિની નદીના એક કિનારે આ ગુફાનું નિર્માણ નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરાયું છે. ગુફાની ખાસિયત જોવામાં આવે તો 5 મીટર લાંબી અને 3 મીટર પહોંળી છે. ગુફામાં સામાન્ય જીવન માટે વીજળી, ટેલિફોન સહિતની તમામ આધુનિક સુવિધા છે.

આ ગુફા સમુદ્ર સીમાથી 12.250 ફૂટ ઉંચાઈ પર છે. આ ગુફા હાલ તો એક પ્રયોગ માટે જ શરૂ કરવામાં આવી છે. અને આગળના સમય માટે આ પ્રકારની 5 વધુ ગુફાનું નિર્માણ કરવામાં આવશે. આધ્યાત્મિક લોકો માત્ર 990 રૂપિયામાં એક દિવસ માટે આ ગુફાનું બુકિંગ કરાવી શકે છે. શ્રદ્ધાળુઓને દિવસમાં ભોજન પણ ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. પરંતુ આ માટે તમારે અલગથી ચાર્જ આપવો પડશે. આ ગુફા એક વ્યક્તિ વધુમાં વધુ ત્રણ દિવસ માટે બુક કરાવી શકે છે. જો કે જરૂર મુજબ તેની સમયસીમા વધારી પણ શકાય છે. રૂદ્ર પ્રયાગના જિલ્લા અધિકારી મંગશે કહ્યું કે રાત્રીના સમયે PM મોદી માટે રાત્રીભોજન મોકલવામાં આવ્યું હતું. તો ગુફામાં ઠંડીના તાપમાનને જોતા હીટરની પણ વ્યવસ્થા કરાઈ હતી. સાથે એક ગીઝર પણ રખાયું હતું. તો સુરક્ષાના પગલા જોતા સુરક્ષાકર્મીઓ પણ ગુફાની આજુબાજુ ટેન્ટમાં રહેતા હતા.

કેવી રીતે ગુફાનું બુકિંગ કરાવી શકો છો

કેદારનાથની આ પવિત્ર ગુફાને રૂદ્રા નામ આપવામાં આવ્યું છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા આ ગુફાનું બુકિંગ કરવામાં આવે છે. બુકિંગ કરાવનાર વ્યક્તિનું ગુપ્તકાશીમાં મેડિકલ પણ કરાવવામાં આવે છે. જે બાદ કેદારનાથ પહોંચીને પણ ફરી એક વખત મેડિકલ કરવામાં આવે છે. આ ગુફાના નિર્માણકાર્ય માટે અંદાજિત 8 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">