Kashi Vishwanath Corridor: વડાપ્રધાન મોદી પહોંચ્યા કાશી, કહ્યું કે-કાશી પહોંચીને અભિભૂત થયો છું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ મહિના પછી ફરી એકવાર કાશી પહોંચી  બે દિવસના રોકાણ દરમિયાન કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.

Kashi Vishwanath Corridor:  વડાપ્રધાન મોદી પહોંચ્યા કાશી, કહ્યું કે-કાશી પહોંચીને અભિભૂત થયો છું
Prime Minister Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 12:07 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પાંચ મહિના પછી ફરી એકવાર કાશી (Kashi) પહોંચ્યા છે અને તેઓ તેમના બે દિવસના રોકાણ દરમિયાન કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદી તેમની બે દિવસની મુલાકાત દરમિયાન ક્રુઝ દ્વારા ગંગા ભ્રમણ, ગંગા આરતી દર્શન, મુખ્યમંત્રી સંમેલન અને ઉમરાહ ખાતે વાર્ષિક યોગ સમારોહમાં ભાગ લેશે. PM ધામમાં સંતોને પણ સંબોધિત કરશે અને આ વખતે PMનું કાશીમાં રોકાણ 30 કલાકનું રહેશે.

કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, કાશીને દિવ્ય કાશી બનાવવા માટે વડાપ્રધાન દ્વારા લેવાયેલો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે. મોદીજીના વડાપ્રધાન બન્યા પછી ધર્મ અને સંસ્કૃતિને વધારવાના તમામ કામો ઝડપથી વધી ગયા છે. જે આજે લોકોની સામે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પીએમ મોદી બાબાની પૂજા કરશે અને આરતી કરશે. આ દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ સાથે રહેશે. આ પછી પીએમ મોદી મચોદરી, ગાયઘાટ થઈને રાજઘાટ જશે અને ત્યાંથી અલકનંદા ક્રુઝ બપોરે 1.15 વાગ્યે લલિતા ઘાટ પહોંચશે.

પીએમ મોદી બપોરે 1.32 કલાકે ગર્ભગૃહમાં પૂજા કરશે પીએમ મોદી લલિતા ઘાટ ખાતેના કળશમાં ગંગા જળ ભરશે. ત્યારબાદ કાર દ્વારા વિશ્વનાથ ધામના મલ્ટીપર્પઝ હોલમાં પહોંચશે. અહીંથી તે પગપાળા સ્લેટરથી વારાણસી ગેલેરી પહોંચશે અને ત્યાંથી પગપાળા વિશ્વનાથ મંદિર તરફ આગળ વધશે.

લગભગ 250 મીટર ચાલ્યા બાદ તેઓ મંદિર ચોક થઈને ગર્ભગૃહમાં પહોંચશે અને બપોરે 1.32 કલાકે ગર્ભગૃહમાં પ્રાર્થના કરશે. પીએમ મોદી પૂજા કર્યા બાદ મંદિર પરિસરના ઉત્તર દરવાજા પાસે રૂદ્રાક્ષનો છોડ લગાવશે. અહીંથી તેઓ ફરી મંદિર ચોક આવશે અને બપોરે 1.50 કલાકે વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કરશે.

રવિદાસ ઘાટ પર બીજેપી શાસિત રાજ્યોના સીએમ સ્વાગત કરશે મળતી માહિતી મુજબ વારાણસીના બારેકા ખાતે આરામ કર્યા બાદ વડાપ્રધાન સાંજે 4.50 કલાકે રોડ માર્ગે રવિદાસ ઘાટ પહોંચશે અને અહીં ભાજપ શાસિત રાજ્યોના 11 સીએમ અને 9 ડેપ્યુટી સીએમ વડાપ્રધાનનું સ્વાગત કરશે અને ત્યારબાદ પીએમ મોદી ગંગાના દર્શન કરશે. સાંજે 6 વાગ્યે રો-રો પાસ ક્રુઝ પર દરેક સાથે રવાના થશે અને કાશીના ઘાટની મુલાકાત લેશે.

એસપીજીએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું PMની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG ટીમે રવિવારે કબીરચૌરા સ્થિત BHUની સર સુંદરલાલ હોસ્પિટલ અને બરેકા હોસ્પિટલ અને માંડલિયાની સાથે પ્રજ્ઞા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. આ ચાર હોસ્પિટલોને સેફ હાઉસ બનાવવામાં આવ્યા છે.

પીએમ મોદી સ્વરવેદ મંદિરમાં દોઢ કલાક રોકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3 વાગ્યે બારેકાથી હેલિકોપ્ટરમાં ઉમરાન ખાતે સ્વરવેદ મંદિર પાસે વિહંગમ યોગ સમાજના 98માં વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. અહીં દોઢ કલાક રોકાયા બાદ તેઓ સાંજે 4.30 કલાકે હેલિકોપ્ટર દ્વારા બાબતપુર એરપોર્ટ જવા રવાના થશે.

આ પણ વાંચો : ફાઈઝરનો બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટ સામે રક્ષણ આપવા માટે અસરકારક, ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

આ પણ વાંચો : Health: શું તમને પણ છે ટોઇલેટમાં બેસીને Mobile જોવાની ટેવ ? સાવધાન ! થઈ શકે છે આ ગંભીર બીમારી

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">