AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી આજે 8મી વંદે ભારત ટ્રેનને કરાવશે પ્રસ્થાન, તેલુગુ ભાષી બે રાજ્યોને જોડશે ટ્રેન

તેલંગાણામાં PM મોદી આજે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન પોંગલના શુભ અવસર પર શરૂ થશે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે, આ ટ્રેન તેલુગુ ભાષી બે રાજ્યોના લોકોને જોડશે.

PM મોદી આજે 8મી વંદે ભારત ટ્રેનને કરાવશે પ્રસ્થાન, તેલુગુ ભાષી બે રાજ્યોને જોડશે ટ્રેન
વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવતા વડાપ્રધાન મોદી (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 7:15 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાને વંદે ભારત ટ્રેનની મોટી ભેટ આપશે. PM આજે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી આ ટ્રેન પોંગલના શુભ અવસર પર શરૂ થઈ રહી છે. પીએમના વખાણ કરતા કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હું આ વર્લ્ડ ક્લાસ ટ્રેન આપવા માટે પીએમ મોદીનો આભાર માનું છું. વંદે ભારત ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યના લોકોને જોડશે.

આ સ્ટેશનો પર વંદે ભારત રોકાશે

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી વંદે ભારત ટ્રેનનું સંચાલન 16 જાન્યુઆરીથી શરૂ થશે, જોકે બુકિંગ શનિવારથી જ શરૂ થઈ ગયું છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) મુજબ, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિશાખાપટ્ટનમથી સવારે 5:45 વાગ્યે ઉપડશે અને બપોરે 2:15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત ટ્રેન સિકંદરાબાદથી બપોરે 3 વાગ્યે ઉપડશે અને રાત્રે 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનોએ અને તેલંગાણામાં ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર સ્ટોપેજ હશે.

વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત ટ્રેન 700 કિમીનું અંતર કાપશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. લગભગ 700 કિમીનું અંતર કાપતી આ ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ હશે. વંદે ભારત એક્સપ્રેસ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. તે રેલ મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">