PM મોદી આજે 8મી વંદે ભારત ટ્રેનને કરાવશે પ્રસ્થાન, તેલુગુ ભાષી બે રાજ્યોને જોડશે ટ્રેન

તેલંગાણામાં PM મોદી આજે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન પોંગલના શુભ અવસર પર શરૂ થશે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે, આ ટ્રેન તેલુગુ ભાષી બે રાજ્યોના લોકોને જોડશે.

PM મોદી આજે 8મી વંદે ભારત ટ્રેનને કરાવશે પ્રસ્થાન, તેલુગુ ભાષી બે રાજ્યોને જોડશે ટ્રેન
વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવતા વડાપ્રધાન મોદી (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 7:15 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાને વંદે ભારત ટ્રેનની મોટી ભેટ આપશે. PM આજે સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે. સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી આ ટ્રેન પોંગલના શુભ અવસર પર શરૂ થઈ રહી છે. પીએમના વખાણ કરતા કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હું આ વર્લ્ડ ક્લાસ ટ્રેન આપવા માટે પીએમ મોદીનો આભાર માનું છું. વંદે ભારત ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યના લોકોને જોડશે.

આ સ્ટેશનો પર વંદે ભારત રોકાશે

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નવી વંદે ભારત ટ્રેનનું સંચાલન 16 જાન્યુઆરીથી શરૂ થશે, જોકે બુકિંગ શનિવારથી જ શરૂ થઈ ગયું છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) મુજબ, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિશાખાપટ્ટનમથી સવારે 5:45 વાગ્યે ઉપડશે અને બપોરે 2:15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત ટ્રેન સિકંદરાબાદથી બપોરે 3 વાગ્યે ઉપડશે અને રાત્રે 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા સ્ટેશનોએ અને તેલંગાણામાં ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર સ્ટોપેજ હશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત ટ્રેન 700 કિમીનું અંતર કાપશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. લગભગ 700 કિમીનું અંતર કાપતી આ ટ્રેન બે તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ હશે. વંદે ભારત એક્સપ્રેસ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે. તે રેલ મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">