AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈ સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે આજે વાત કરશે

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, પીએમ મોદી 4 લાખ સ્વનિર્ભર જૂથોને 1,625 કરોડ રૂપિયાની નવી સહાયની રકમ જાહેર કરશે.

PM Narendra Modi 'આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ'માં ભાગ લઈ સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે આજે વાત કરશે
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:29 AM
Share

PM Narendra Modi ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ કાર્યક્રમમાં ભાગ લેશે અને દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ બપોરે 12:30 કલાકે યોજાશે.

પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi) સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓની સફળતાની વાર્તાનું સંક્ષિપ્ત વર્ણન અને નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તિકા પણ જારી કરશે.

પીએમ મોદીએ બુધવારે રાત્રે આ કાર્યક્રમ વિશે ટ્વિટ કર્યું કે, “ભારતમાં મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથો છે, જે મહિલા સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. કાલે બપોરે 12:30 વાગ્યે હું ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈશ. આવતીકાલના કાર્યક્રમમાં, મને મહિલા સ્વ-સહાય જૂથોના સભ્યો સાથે વાતચીત કરવાની તક મળશે. વિવિધ સ્વ-સહાય જૂથો માટે સહાયની રકમ પણ જાહેર કરવામાં આવશે. તેનાથી આ જૂથોના કામમાં વેગ આવશે અને રાષ્ટ્રના કલ્યાણ માટે વધુ મહિલાઓની ભાગીદારી વધશે.

પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, પીએમ મોદી 4 લાખ સ્વનિર્ભર જૂથોને 1,625 કરોડ રૂપિયાની નવી સહાયની રકમ જાહેર કરશે. આ ઉપરાંત, તેઓ PMFME (PM Formalization of Micro Food Processing Enterprises) હેઠળ 7,500 સ્વ-સહાય જૂથોને 25 કરોડ રૂપિયાની પ્રારંભિક રકમ પણ જારી કરશે. તે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયની એક યોજના છે. એ જ રીતે, મિશન અંતર્ગત આવતા 75 FPOs (ખેડૂત ઉત્પાદક સંગઠનો) ને 4.13 કરોડની રકમ આપવામાં આવશે.

ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી ગિરિરાજ સિંહ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી પશુપતિ કુમાર પારસ, ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને ફાગણ સિંહ કુલસ્તે, પંચાયત રાજય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ મિશનનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોના ગરીબ ગ્રામીણ પરિવારોને સ્વ-સહાય જૂથો સાથે જોડવાનો છે. આ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે અને ગામના ગરીબોને લાંબા ગાળાની સહાય આપવામાં આવે છે, જેથી તેઓ અન્ય રીતે પણ તેમની આજીવિકા મેળવી શકે, તેમની આવક અને જીવનધોરણ સુધારવા માટે. મિશનની ઘણી પહેલ અમલમાં છે.

સ્વાવલંબન જૂથો સાથે સંકળાયેલી મહિલાઓએ તેમના સમુદાયની તાલીમ લીધી છે અને તેમની આગેવાનો બની છે, જેમ કે કૃષિ સખી, પશુ સખી, બેંક સખી, બીમા સખી, બેંક સંવાદ સખી. આ મિશન સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓને સશક્ત બનાવવાનું પણ છે. આ મિશન ઘરેલુ હિંસા, મહિલા શિક્ષણ અને લૈંગિક મુદ્દાઓ, પોષણ, સ્વચ્છતા, આરોગ્ય વગેરે સંબંધિત મુદ્દાઓ પર જાગૃતિ લાવવી અને તેમની સમજણ અને વર્તન વિકસાવવાનું છે.

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં ભીષણ ભૂસ્ખલન, 10 લોકોના મોત, 50થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા

આ પણ વાંચો: Surat: લો બોલો.. શાસક પક્ષના નેતાને બેસવા માટે રૂપિયા 38,000ની ખુરશી ખરીદવાની દરખાસ્ત! સ્થાયી સમિતિમાં થયો વિવાદ

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">