AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi 16 જુલાઇના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે, ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ આશરે રૂ. 14,850 કરોડના ખર્ચે 296 કિમી, ચાર-માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે

PM Modi 16 જુલાઇના રોજ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે, ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે
PM Modi to inaugurate Bundelkhand Expressway Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 9:39 PM
Share

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) 16મી જુલાઈ, 2022ના રોજ ઉત્તર પ્રદેશની(Uttar Pradesh)મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું(Express Way)ઉદ્ઘાટન કરશે. સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રધાનમંત્રી દ્વારા બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે શિલાન્યાસ એ આ તરફનો એક નોંધપાત્ર પ્રયાસ હતો. એક્સપ્રેસવે પરનું કામ 28 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ આશરે રૂ. 14,850 કરોડના ખર્ચે 296 કિમી, ચાર-માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પછીથી તેને છ લેન સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. તે ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીકના ગોંડા ગામ ખાતે NH-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે ભળી જાય છે. તે સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે – ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા.

આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે, બુંદેલખંડ એક્સપ્રેસ વે આર્થિક વિકાસને પણ મોટો વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે. એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે

આ પ્રોજેક્ટ રાજ્યમાં કનેક્ટિવિટીને વેગ આપશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે તેવી અપેક્ષા છે. દેશના સૌથી પછાત વિસ્તારો પૈકીનું એક ગણાતા બુંદેલખંડ આગ્રા-લખનૌ એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે દ્વારા રાષ્ટ્રીય રાજધાની સાથે સીધું જોડાયેલું છે. બુંદેલખંડ એક્સપ્રેસ વેથી દિલ્હી અને ચિત્રકૂટ વચ્ચેનો મુસાફરીનો સમય અગાઉના 9-10 કલાકથી ઘટીને માત્ર છ કલાક થવાની ધારણા છે.

બાંદા અને જાલૌન જિલ્લામાં પણ ઔદ્યોગિક કોરિડોર પર કામ શરૂ થઈ ગયું છે. 20,000 કરોડ રૂપિયાના ડિફેન્સ કોરિડોર પ્રોજેક્ટનું આયોજન રાજ્યના પશ્ચિમ, મધ્ય અને બુંદેલખંડ પ્રદેશોમાં 5,071 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. રાજ્યમાં 3,200 કિમીમાં ફેલાયેલા 13 એક્સપ્રેસવેમાંથી છ કાર્યરત છે જ્યારે સાતમાં કામ ચાલુ છે. હાઈવે અને એક્સપ્રેસ વે સાથે ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. વાયુસેના દ્વારા કટોકટીના ઉપયોગ માટે એરસ્ટ્રીપ્સ આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">