GST દર ધટાડા અંગે PM મોદીએ કહ્યું- તહેવારો પહેલા ખુશીની ભેટ, જીવન સરળ બનાવશે
પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે ધનતેરસ વધુ ઉત્સાહથી ભરપુર રહેશે કારણ કે ડઝનબંધ વસ્તુઓ પરનો ટેક્સ હવે ઘણો ઘટાડી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના સમયમાં 100 રૂપિયા પર 25 રૂપિયાનો ટેક્સ હતો. કોંગ્રેસના સમયમાં ઘર બનાવવું મુશ્કેલ હતું. દેશના દરેક પરિવારને નવા GST સુધારાથી ઘણો ફાયદો થશે.

નવા GST સુધારા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, GST 2.0 એ જીવન સરળ બનાવ્યું છે. દેશના મધ્યમ વર્ગના લોકોને ઘણો ફાયદો થયો છે. આનાથી ઘરના બજેટમાં સુધારો થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, GSTમાં આ પ્રકારનો સુધારો આઝાદી પછીનો સૌથી મોટો નિર્ણય છે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે 15 ઓગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આગામી પેઢીના સુધારા કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું કે મેં દેશવાસીઓને વચન પણ આપ્યું હતું કે આ દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીનો ડબલ ધમાકો થશે. ગઈકાલે, ભારત સરકારે રાજ્યો સાથે મળીને એક મોટો નિર્ણય લીધો. હવે GST વધુ સરળ બન્યો છે. હવે GSTના ફક્ત બે દર છે – 5 અને 18 ટકા. GSTના નવા દર 22 સપ્ટેમ્બર, નવરાત્રીના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે.
કોંગ્રેસ શાસન દરમિયાન ઘર બનાવવું મુશ્કેલ હતું
PM મોદીએ કહ્યું કે 22 સપ્ટેમ્બરથી પનીરથી લઈને શેમ્પૂ સુધીનું બધું સસ્તું થશે. જે પણ વચન આપવામાં આવ્યું હતું તે પૂર્ણ થયું છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન ટોફી પર પણ ટેક્સ હતો. કોંગ્રેસના શાસન દરમિયાન 100 રૂપિયા પર 25 રૂપિયાનો ટેક્સ હતો. કોંગ્રેસ ટોફી પર 21 ટકા ટેક્સ વસૂલ કરતી હતી. સામાન્ય માણસની સાયકલ પર 17 ટકા ટેક્સ હતો. કોંગ્રેસના શાસન દરમિયાન ઘર બનાવવું મુશ્કેલ હતું.
PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શાસન દરમિયાન રોજિંદી વસ્તુઓ પર ભારે ટેક્સ હતો. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે સુધારા ચાલી રહ્યા છે તે અટકવાના નથી. આ વખતે ધનતેરસ વધુ જીવંત રહેશે કારણ કે ડઝનબંધ વસ્તુઓ પરનો ટેક્સ હવે ઘણો ઓછો કરવામાં આવ્યો છે. 8 વર્ષ પહેલાં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે ઘણા દાયકાઓનું સ્વપ્ન સાકાર થયું. આ સ્વતંત્ર ભારતના સૌથી મોટા આર્થિક સુધારાઓમાંનો એક હતો.
કોંગ્રેસ સરકાર વિવિધ કર વસૂલતી હતી
પીએમ મોદીએ કહ્યું કે 2014 માં હું સત્તામાં આવ્યો તે પહેલાં, પછી ભલે તે રસોડાની વસ્તુઓ હોય, કૃષિ માલ હોય કે દવાઓ, જીવન વીમો પણ… કોંગ્રેસ સરકાર આવી ઘણી વસ્તુઓ પર વિવિધ કર વસૂલતી હતી. જો તમે 100 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ ખરીદતા હો, તો તમારે 20-25 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડતો હતો. પરંતુ અમારી સરકારનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોના જીવનમાં પૈસા બચાવવાનો, લોકોના જીવનને વધુ સારું બનાવવાનો છે.
#WATCH | Delhi | On #GSTReforms, PM Narendra Modi says, “No one can forget how the Congress government had increased your monthly budget… They used to levy a 21% tax even on toffees for children. If Modi had done this, they would have pulled my hair out.”
(Source: DD News) pic.twitter.com/uXItQfxqOW
— ANI (@ANI) September 4, 2025
GST 2.0 સમર્થન અને વિકાસનો ડબલ ડોઝ
PM મોદીએ કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સુધારાઓની આ શ્રેણી બંધ થવાની નથી. ભારત માટે આત્મનિર્ભરતા… આ કોઈ સૂત્ર નથી, આ દિશામાં નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. GST 2.0 દેશ માટે સમર્થન અને વિકાસનો ડબલ ડોઝ છે. નવા GST સુધારાથી દેશના દરેક પરિવારને ઘણો ફાયદો થશે.
GST ને લગતા તમામ મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.