PM Modi ના માતા હીરાબા એ લીધી કોરોનાની રસી, પીએમ મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી

પીએમ મોદીના માતા હીરાબા કોરોનાની પ્રથમ રસી લીધી છે. આ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્વિટ કરીને શેર કરી હતી.પીએમ મોદી 12 માર્ચના રોજ દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આવવાના છે. જે પૂર્વે તેમની માતાને કોરોનાની રસી આપવામાં આવી છે.

PM Modi ના માતા હીરાબા એ લીધી કોરોનાની રસી, પીએમ મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી
PM Modi And Mother Hiraba File Photo
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 11, 2021 | 3:41 PM

સમગ્ર દેશમાં હાલ કોરોના વેક્સિનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતમાં સહિત તમામ રાજ્યોમાં 60 વર્ષથી મોટી ઉંમરના સિનિયર સીટીઝન અને 45 વર્ષથી મોટી ઉંમરના અને  અન્ય ગંભીર રોગ  ધરાવતા લોકોને પણ રસી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે PM Modi ના માતા હીરાબા કોરોનાની પ્રથમ રસી લીધી છે. આ અંગેની માહિતી પીએમ મોદીએ ટ્વિટ કરીને શેર કરી હતી.પીએમ મોદી 12 માર્ચના રોજ દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે આવવાના છે. જે પૂર્વે તેમની માતાને કોરોનાની રસી આપવામાં આવી છે.

PM Modi એ ટ્વિટ કરીને લખ્યું હતું કે મને એ જણાવતા આનંદ થાય છે કે  મારી માતાએ આજે COVID-19 રસીનો પ્રથમ ડોઝ લીધો છે.  હું દરેકને વિનંતી કરું છું કે તમારી આજુબાજુ રસી લેવા માટે લાયક એવા લોકોને મદદ કરો અને રસી લેવા માટે પ્રેરણા આપો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ

ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવા સમયે કોરોના વેક્સિનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. રાજ્યમાં Corona કેસનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 6 દિવસ દરમિયાન સરેરાશ 500 નવા કેસ આવતા હતા તે સીધા વધીને 625 થયા છે. રાજ્યમાં 10 માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 675 કેસો નોંધાયા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

રાજ્યમાં  10 માર્ચે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 161 કેસ, અમદાવાદમાં 141, વડોદરામાં 96 અને રાજકોટમાં 65 નવા કેસ સામે આવ્યા છે. બુધવારે રાજ્યમાં 484 અને અત્યાર સુધીમાં 2,67,250 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વિસ્ફોટ થયો છે. 9 માર્ચે રાજ્યમાં કોરોનાના 3338 એક્ટિવ કેસ હતા, જે 10 માર્ચે વધીને 3529 થયા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">