AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ મેલોનીને ‘Melody’ ચોકલેટ આપી, પણ દેશના પહેલા વડાપ્રધાન નેહરુજી મહિલાઓને શું ગિફ્ટ આપતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપ યાત્રા દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી આપવાની ઘટના ચર્ચામાં રહી. આ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ કેટલાક લોકોએ નેહરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરીને ટીકાઓ કરી.

PM મોદીએ મેલોનીને 'Melody' ચોકલેટ આપી, પણ દેશના પહેલા વડાપ્રધાન નેહરુજી મહિલાઓને શું ગિફ્ટ આપતા?
| Updated on: May 21, 2026 | 5:24 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુરોપ યાત્રા દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને “મેલોડી” ટોફીનું પેકેટ આપવાની ઘટના રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાને લઈને ભારતીય રાજકારણમાં ટીકાઓ અને પ્રતિભાવો જોવા મળ્યા છે, જેમાં રાહુલ ગાંધીના નિવેદનો મુખ્ય રહ્યા છે.

રાહુલ ગાંધીએ આ પ્રસંગે વડાપ્રધાન મોદીની રાજદ્વારી શૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યોર્જિયા મેલોનીને pm મોદીએ ટોફી આપી.

આ નિવેદન બાદ તુરંત જ સોશિયલ મીડિયામાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની કાર્યશૈલી સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના કરી હતી. રાહુલ ગાંધીના નિવેદન બાદ લોકોએ કટાક્ષમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીને ભૂતપૂર્વ વડાપ્રધાનો જેવા કે ઇન્દિરા ગાંધી પાસેથી “તાનાશાહી” અને રાજીવ ગાંધી પાસેથી રજાઓ માણવા માટે સરકારી સંસાધનો (જેમ કે INS વિરાટ) નો ઉપયોગ કરવાનું શીખવાની પણ વાત કરી હતી. કેટલાક ઇનફલૂઆન્સરો દ્વારા એવી ટીકાઓ કરવામાં આવી હતી કે, PM મોદીએ ચોકલેટ ગિફ્ટ કરી પરંતુ નહેરુજી હોટ તો સિગરેનું પેકેટ ગિફ્ટ કર્યું હોત. એટલું જ નહીં સાથે બેસી ને સીગરેટ પીધી પણ હોત.

જ્યોર્જિયા મેલોનીને ઇટાલીના રાષ્ટ્રપતિ નહીં વડાપ્રધાન

આ ટીકાઓ વચ્ચે, વીડિયોમાં રાહુલ ગાંધીના કેટલાક નિવેદનોમાં જોવા મળેલી માહિતીગત ભૂલો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે, રાહુલ ગાંધીએ જ્યોર્જિયા મેલોનીને ઇટાલીના રાષ્ટ્રપતિ તરીકે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે વાસ્તવમાં તેઓ ઇટાલીના વડાપ્રધાન છે. ઇટાલીના વર્તમાન રાષ્ટ્રપતિ સર્જિયો માટારેલા છે. આ ઉપરાંત, રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીની નોર્વે યાત્રાનો ઉલ્લેખ હતો, જ્યાં લગાવવામાં આવેલો ધ્વજ નોર્વેનો નહીં પરંતુ સ્વીડનનો હતો તેવી સુધારણા પણ રજૂ કરવામાં આવી હતી.

“મેલોડી” ટોફીની ઘટના બાદ, ભારતમાં આ ટોફીની લોકપ્રિયતામાં અસામાન્ય વધારો જોવા મળ્યો હોવાના અહેવાલો છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ ટોફી ડિમાન્ડમાં એટલી વધી ગઈ કે ઓનલાઇન પ્લેટફોર્મ પર સ્ટોક સમાપ્ત થઈ ગયો હતો. આ વધેલી માંગ પાછળ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા “મેલોડી” ટોફીના પેકેટ્સનો મોટા પાયે સંગ્રહ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપ યાત્રાઓ પર પણ રાહુલ ગાંધીએ ટીકા કરી હતી, જેમાં તેમણે વડાપ્રધાનના વિદેશ પ્રવાસોને “ત્યાગ” ની વાતો કરીને યુરોપ ફરવા જવા સાથે જોડ્યા હતા. જોકે, આના જવાબમાં રાહુલ ગાંધીના પોતાના વિદેશ પ્રવાસોને અન્યો દ્વારા સ્પોન્સર કરવામાં આવતા હોવાનો અને તેમાં દેશના પૈસા ખર્ચ થતા ન હોવાનો પ્રતિ-તર્ક પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ચર્ચા વડાપ્રધાનના રાજદ્વારી સંબંધો, ભૂતપૂર્વ વડાપ્રધાનો સાથેની તુલના અને વિરોધ પક્ષની ટીકાઓ આસપાસ કેન્દ્રિત રહી હતી.

રોમમાં PM મોદી અને જ્યોર્જિયા મેલોનીની મુલાકાત, જુઓ તસવીરો

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">