અફઘાન શીખ અને હિન્દુઓને મળ્યા PM મોદી, પીડિતોએ કહ્યું- તાલિબાને જાસૂસ તરીકે કર્યું હતું અમારું અપહરણ

Afghan Sikh Hindu: શીખ પ્રતિનિધિ મંડળે CAA માટે કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા કહ્યું કે તે અફઘાન શરણાર્થીઓને આશ્રય આપે છે. પીએમ મોદીએ પ્રતિનિધિ મંડળને કહ્યું કે ભારત તેમનું ઘર છે.

અફઘાન શીખ અને હિન્દુઓને મળ્યા PM મોદી, પીડિતોએ કહ્યું- તાલિબાને જાસૂસ તરીકે કર્યું હતું અમારું અપહરણ
PM Modi meets Afghan Sikhs and Hindus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 5:13 PM

અફઘાનિસ્તાન (Afghanistan) ના શીખ (Shikhs) અને હિન્દુ (Hindus) ઓનું એક પ્રતિનિધિ મંડળ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને તેમના નિવાસસ્થાને મળ્યું હતું. ભારતમાં મોટી સંખ્યામાં અફઘાન શીખ અને હિંદુઓ રહે છે અને તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનો (Taliban) એ સત્તા કબજે કર્યા બાદ ભારત સરકારે તેમાંથી ઘણાને ત્યાંથી બહાર કાઢ્યા હતા. મોદી સરકારે અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર અત્યાચારનો સામનો કરી રહેલા લઘુમતીઓ પ્રત્યે ઘણી વખત પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. દરમિયાન, અફઘાનિસ્તાનના કાબુલ (Kabul) થી આવેલા નિદાન સિંહ સચદેવાએ જણાવ્યું કે તાલિબાનો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

તેણે કહ્યું, ‘તાલિબાનોએ ગુરુદ્વારામાંથી મારું અપહરણ કર્યું હતું. તેઓ અમને ભારતીય જાસૂસ માનતા હતા, તેઓ ઇચ્છતા હતા કે અમે ધર્મપરિવર્તન કરીએ. અમે પીએમ મોદીનો આભાર માન્યો અને ભારત સરકારની મદદથી ખુશ છીએ. અમને ફક્ત આશ્રય અને રાષ્ટ્રીયતાની જરૂર છે.’

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1989માં ભારત શિફ્ટ થયેલા અફઘાનિસ્તાનના રહેવાસી તરેન્દ્ર સિંહે કહ્યું, ‘અમે કાબુલમાં અમારી સ્થિતિ વિશે પીએમ મોદીને જાણ કરી હતી. અમારી મુખ્ય સમસ્યા નાગરિક બનવાની હતી, અમે અમારી નાગરિકતા માટે અહીં-ત્યાં ભટકતા રહ્યા, તેથી અમે CAA લાવવા માટે PM મોદીનો આભાર માન્યો અને નાગરિકતા જોઈએ છે.

શીખ પ્રતિનિધિમંડળે CAA માટે કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા કહ્યું કે તેણે અફઘાન શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. પીએમ મોદીએ પ્રતિનિધિ મંડળને કહ્યું કે ભારત તેમનું ઘર છે. પીએમએ બેઠક દરમિયાન કહ્યું, ‘આ (ભારત) તમારું ઘર છે. તમે અમારા માટે મહેમાન નથી અને દરેક ભારતીયને તમારા માટે સમાન પ્રેમ અને આદર છે.’ એક સભ્યએ વડાપ્રધાનની પ્રશંસા કરતાં કહ્યું, દેશભરમાં વસતા ભારતીયો અને શીખોનું દર્દ માત્ર તમે (PM મોદી) જ સમજી શકો છો. જ્યાં પણ સમસ્યા છે ત્યાં હું જોઉં છું કે તમે આગળ આવ્યા છો.

શીખ પ્રતિનિધિ મંડળે પીએમ મોદીને અફઘાન પાઘડી અર્પણ કરી

પ્રતિનિધિ મંડળના સભ્યોએ પડોશી દક્ષિણ એશિયાના દેશોમાં લઘુમતીઓને ભારતીય નાગરિકતા લેવાની મંજૂરી આપવા માટે વિવિધ પગલાં લેવા બદલ વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘જ્યારે કોઈ સાંભળતું ન હતું, ત્યારે તમે જ અમારી વાત સાંભળતા હતા. તેઓ (અફઘાન લોકો) CAA દરમિયાન તમે જે લડાઈ લડી તે બદલ તમારો આભાર માનવા માટે અહીં એકઠા થયા છે.

આ પછી તેને અહીં રહેવાની તક મળી છે. પ્રતિનિધિ મંડળે પીએમ મોદીને અફઘાન પાઘડી અર્પણ કરી હતી. આ (અફઘાન પાઘડી) અફઘાનિસ્તાનનું પ્રતીક છે. તમે લોકોએ મારી સાથે આ પાઘડી પહેરી છે, તેનાથી અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ ખૂબ ખુશ થયા હશે.

આ પણ વાંચો: હવે રાજકીય પક્ષોના ‘વાયદાઓ’ પર લાગશે લગામ ! જો પૂર્ણ ન થાય તો સુપ્રીમ કોર્ટ લઈ શકે છે આ પગલાં

આ પણ વાંચો: Ahmedabad Bomb Blast: અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં જશે મૌલાના અરશદ મદની

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">