AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Bomb Blast: અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં જશે મૌલાના અરશદ મદની

જમીયત ઉલમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમદાવાદમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટના કેસમાં વિશેષ અદાલતે આપેલા નિર્ણય અવિશ્વસનીય છે. અમે સજા સામે હાઈકોર્ટમાં જઈશું અને કાનૂની લડાઈ ચાલુ રાખીશું.

Ahmedabad Bomb Blast: અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં જશે મૌલાના અરશદ મદની
Arshad Madani - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 2:50 PM
Share

જમીયત ઉલમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ (Arshad Madani) કહ્યું કે અમદાવાદમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટના કેસમાં (Ahmedabad Bomb Blast Case) વિશેષ અદાલતે આપેલા નિર્ણય અવિશ્વસનીય છે. અમે સજા સામે હાઈકોર્ટમાં જઈશું અને કાનૂની લડાઈ ચાલુ રાખીશું. મૌલાના મદનીએ કહ્યું કે દેશના નામાંકિત વકીલો ગુનેગારોને ફાંસીમાંથી બચાવવા માટે કાનૂની લડાઈ લડશે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ લોકોને હાઈકોર્ટમાંથી પૂરો ન્યાય મળશે. ભૂતકાળમાં ઘણા કેસોમાં નીચલી અદાલતો દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા લોકોને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ બ્લાસ્ટમાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા

મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે તેનું મોટું ઉદાહરણ અક્ષરધામ મંદિર હુમલાનો મામલો છે, જેમાં નીચલી અદાલતે મુફ્તી અબ્દુલ કય્યુમ સહિત 3ને ફાંસીની સજા અને 4ને આજીવન કેદની સજા ફટકારી હતી અને ગુજરાત હાઈકોર્ટે પણ નીચલી અદાલતનો નિર્ણય માન્ય રાખ્યો હતો. પરંતુ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને અમે ત્યાં વાત કરી, ત્યારે સુપ્રીમ કોર્ટે તમામ લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા.

એટલું જ નહીં પણ કોર્ટે ગુજરાત પોલીસને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. મૌલાના અરશદ મદનીનું કહેવું છે કે બોમ્બ વિસ્ફોટ જેવા મોટા ભાગના ગંભીર કેસોમાં નીચલી કોર્ટ કડક નિર્ણયો આપે છે, પરંતુ આરોપીઓને હંમેશા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે છે અને અમને આશા છે કે આ કેસમાં પણ આરોપીઓને રાહત મળશે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો અમે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું.

અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં બધા નિર્દોષ છૂટી જશે

અગાઉના કેસોનો ઉલ્લેખ કરતાં મૌલાના મદનીએ જણાવ્યું હતું કે અગાઉ નીચલી અદાલતો અને ઉચ્ચ અદાલતો દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા 11 આરોપીઓને જમીયત ઉલમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો હતો અને એક પણ આરોપીને ફાંસી આપવામાં આવી ન હતી.

તેમણે કહ્યું કે અગાઉ અક્ષરધામ મંદિર અમદાવાદ કેસમાં ટ્રાયલ કોર્ટે ત્રણ લોકોને ફાંસીની સજા ફટકારી હતી, યુએસ કોન્સ્યુલેટ પર હુમલાના કેસમાં સાત લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને એક આરોપીને મુંબઈ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. પરંતુ જમીયત ઉલમા-એ-હિંદના પ્રયાસોથી સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓની સજા ઘટાડીને સાત વર્ષની કરવામાં આવી હતી.

અમે આશા રાખીએ છીએ કે અમે આ કેસના આરોપીઓને SC તરફથી મૃત્યુદંડ અને આજીવન કેદની સજામાંથી પણ બચાવી શકીશું અને તેમને નિર્દોષ છોડાવીશું.

આ પણ વાંચો : Kisan Drone Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન ડ્રોન સુવિધાનું ઉદ્ધાટન કરતાં કહ્યું 21મી સદીમાં આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં આ એક નવો અધ્યાય

આ પણ વાંચો : Corona Update: છેલ્લા 24 કલાકમાં 22270 નવા કેસ આવ્યા, 325 લોકોએ જીવ ગુમાવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો

Follow Us
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">