AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Bomb Blast: અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં જશે મૌલાના અરશદ મદની

જમીયત ઉલમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે અમદાવાદમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટના કેસમાં વિશેષ અદાલતે આપેલા નિર્ણય અવિશ્વસનીય છે. અમે સજા સામે હાઈકોર્ટમાં જઈશું અને કાનૂની લડાઈ ચાલુ રાખીશું.

Ahmedabad Bomb Blast: અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં જશે મૌલાના અરશદ મદની
Arshad Madani - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 2:50 PM
Share

જમીયત ઉલમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ (Arshad Madani) કહ્યું કે અમદાવાદમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટના કેસમાં (Ahmedabad Bomb Blast Case) વિશેષ અદાલતે આપેલા નિર્ણય અવિશ્વસનીય છે. અમે સજા સામે હાઈકોર્ટમાં જઈશું અને કાનૂની લડાઈ ચાલુ રાખીશું. મૌલાના મદનીએ કહ્યું કે દેશના નામાંકિત વકીલો ગુનેગારોને ફાંસીમાંથી બચાવવા માટે કાનૂની લડાઈ લડશે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ લોકોને હાઈકોર્ટમાંથી પૂરો ન્યાય મળશે. ભૂતકાળમાં ઘણા કેસોમાં નીચલી અદાલતો દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા લોકોને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ બ્લાસ્ટમાં 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા

મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે તેનું મોટું ઉદાહરણ અક્ષરધામ મંદિર હુમલાનો મામલો છે, જેમાં નીચલી અદાલતે મુફ્તી અબ્દુલ કય્યુમ સહિત 3ને ફાંસીની સજા અને 4ને આજીવન કેદની સજા ફટકારી હતી અને ગુજરાત હાઈકોર્ટે પણ નીચલી અદાલતનો નિર્ણય માન્ય રાખ્યો હતો. પરંતુ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને અમે ત્યાં વાત કરી, ત્યારે સુપ્રીમ કોર્ટે તમામ લોકોને નિર્દોષ છોડી મૂક્યા હતા.

એટલું જ નહીં પણ કોર્ટે ગુજરાત પોલીસને બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. મૌલાના અરશદ મદનીનું કહેવું છે કે બોમ્બ વિસ્ફોટ જેવા મોટા ભાગના ગંભીર કેસોમાં નીચલી કોર્ટ કડક નિર્ણયો આપે છે, પરંતુ આરોપીઓને હંમેશા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે છે અને અમને આશા છે કે આ કેસમાં પણ આરોપીઓને રાહત મળશે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો અમે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું.

અમે આશા રાખીએ છીએ કે આ કેસમાં બધા નિર્દોષ છૂટી જશે

અગાઉના કેસોનો ઉલ્લેખ કરતાં મૌલાના મદનીએ જણાવ્યું હતું કે અગાઉ નીચલી અદાલતો અને ઉચ્ચ અદાલતો દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા 11 આરોપીઓને જમીયત ઉલમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યો હતો અને એક પણ આરોપીને ફાંસી આપવામાં આવી ન હતી.

તેમણે કહ્યું કે અગાઉ અક્ષરધામ મંદિર અમદાવાદ કેસમાં ટ્રાયલ કોર્ટે ત્રણ લોકોને ફાંસીની સજા ફટકારી હતી, યુએસ કોન્સ્યુલેટ પર હુમલાના કેસમાં સાત લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને એક આરોપીને મુંબઈ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. પરંતુ જમીયત ઉલમા-એ-હિંદના પ્રયાસોથી સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓની સજા ઘટાડીને સાત વર્ષની કરવામાં આવી હતી.

અમે આશા રાખીએ છીએ કે અમે આ કેસના આરોપીઓને SC તરફથી મૃત્યુદંડ અને આજીવન કેદની સજામાંથી પણ બચાવી શકીશું અને તેમને નિર્દોષ છોડાવીશું.

આ પણ વાંચો : Kisan Drone Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન ડ્રોન સુવિધાનું ઉદ્ધાટન કરતાં કહ્યું 21મી સદીમાં આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં આ એક નવો અધ્યાય

આ પણ વાંચો : Corona Update: છેલ્લા 24 કલાકમાં 22270 નવા કેસ આવ્યા, 325 લોકોએ જીવ ગુમાવ્યા, એક્ટિવ કેસમાં ઘટાડો

Follow Us
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
g clip-path="url(#clip0_868_265)">