AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકાર ગણાવશે 10 વર્ષમાં કરેલી કામગીરી, આ છે આયોજન, જાણો વિગત

આદિવાસીઓને સશક્ત બનાવવા માટે એક મોટું પગલું ભરતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે PM PVTG (ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ) વિકાસ મિશન શરૂ કરશે. સરકાર આદિવાસીઓ, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે રૂ. 24 હજાર કરોડની યોજના શરૂ કરશે.

કેન્દ્ર સરકાર ગણાવશે 10 વર્ષમાં કરેલી કામગીરી, આ છે આયોજન, જાણો વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2023 | 7:27 PM
Share

કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં જનતા માટે જે કામ કર્યું છે તેનું ઉદાહરણ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ઝારખંડના ખુંટીથી વિકસિત ભારત મિશનની શરૂઆત કરશે. આ સાથે આદિવાસીઓના જીવનને સુધારવા માટે એકંદર યોજનાઓનો ચિતાર રજૂ કરવામાં આવશે.

TV9 નેટવર્ક દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત રથ દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. જેમાં હાલમાં આ રથ દેશના 69 જિલ્લાના 393 બ્લોક અને 8940 પંચાયતોમાંથી પસાર થશે.

શું છે વિકાસ ભારત મિશન ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં આદિવાસીઓને સશક્ત બનાવવા માટે એક મોટું પગલું ઉઠાવતા, વડા પ્રધાન 15 નવેમ્બરે PM PVTG (ખાસ કરીને સંવેદનશીલ ટ્રાઇબલ ગ્રુપ) ડેવલપમેન્ટ મિશનની શરૂઆત કરશે, જેના દ્વારા આદિવાસીઓની જીવનરેખાને કેવી રીતે સુધારી શકાય તેની શરૂઆત થશે.

કેવી રીતે બદલાઈ રહ્યું છે આદિવાસીઓનું જીવન ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, PVTG દ્વારા સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસીઓના કલ્યાણ માટે રૂ. 24000 કરોડની યોજના શરૂ કરી છે. આ સાથે આઝાદી પછીના પ્રથમ મિશન અંતર્ગત સરકારે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે.

PVTG મિશન શું છે?

બજેટ 2023-24માં, કેન્દ્ર સરકારે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો (PVTGs) ની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે પ્રધાનમંત્રી PVTG વિકાસ મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આશરે 28 લાખની વસ્તી સાથે 22,544 ગામો (220 જિલ્લાઓ)ને આવરી લેતા 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 PVTG છે.

આમાં કોનો સમાવેશ થાય છે?

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનામાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેઓ દુર્ગમ વસાહતોમાં રહે છે. આ માટે, પરિવારો અને વસાહતોને ટેલિકોમ કનેક્ટિવિટી, વીજળી, સલામત આવાસ, સ્વચ્છ પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓથી સજ્જ કરવા માટે એક વ્યાપક યોજના બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : સામાન્ય લોકોને મળી મોટી રાહત, ઓક્ટોબરમાં મોંઘવારી દર 5 મહિનામાં સૌથી નીચો રહ્યો

કેન્દ્ર સરકારના નવ મંત્રાલયોના ખાતા

મળતી માહિતી મુજબ, વિકાસ ભારત યાત્રામાં કેન્દ્ર સરકારના 9 મંત્રાલયોના અલગ-અલગ કામોનું સંકલન કરવામાં આવ્યું છે. એક રથ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળનો હિસાબ ગામ-ગામના લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

બાકી કામ માટે સંકલ્પ યાત્રા

વિકસિત ભારતની આ મુલાકાત દરમિયાન એવા ક્યા કામો છે જે હજુ પૂરા થયા નથી તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. એવી કઈ યોજના છે જે હજુ સુધી લોકો સુધી પહોંચી નથી અથવા સરકારની તે યોજનાથી જનતા વંચિત છે?

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">