AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court : સિંઘુ બોર્ડર પર હત્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, પ્રદર્શન સ્થળ પરથી ખેડૂતોને દુર થવાની અપીલ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જીવનના અધિકારથી ઉપર ન હોઈ શકે અને જો આ વિરોધને આ રીતે ચાલવા દેવામાં આવે તો દેશને મોટા પ્રમાણમાં નુકસાન થશે.

Supreme Court : સિંઘુ બોર્ડર પર હત્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, પ્રદર્શન સ્થળ પરથી ખેડૂતોને દુર થવાની અપીલ
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 4:19 PM
Share

Supreme Court : સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દિલ્હીની સરહદો પર વિરોધીઓને હટાવવાની માગ કરતી પેન્ડિંગ PIL પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે.

સિંઘુ સરહદ પર ખેડૂતોના વિરોધ સ્થળ પર એક હાથ કાપેલા માણસનો મૃતદેહ મળ્યો તેના એક દિવસ પહેલા આ અરજી દાખલ કરવામાં આવી છે. પંજાબના તરન તારનનો રહેવાસી લખબીર સિંહ (35) નો મૃતદેહ ખેડૂતોના વિરોધ સ્થળ નજીક પોલીસ બેરીકેડ સાથે બાંધેલો જોવા મળ્યો હતો.

તેના શરીર પર તીક્ષ્ણ હથિયારોથી 10 ઘા હતા અને આ ઘટના માટે નિહાંગના સમૂહને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો ઉલ્લેખ કરતા, આ વર્ષે માર્ચ મહિનાથી બાકી રહેલી પીઆઈએલ પર તાત્કાલિક સુનાવણીની માંગણી સાથે નવી અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જીવનના અધિકારથી ઉપર ન હોઈ શકે અને જો આ વિરોધને આ રીતે ચાલવા દેવામાં આવે તો દેશને મોટા પ્રમાણમાં નુકસાન થશે. સ્વાતિ ગોયલ અને સંજીવ નેવાર, એડવોકેટ શશાંક શેખર દ્વારા આ વચગાળાની અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલે કહ્યું, દલિત માણસની હત્યાની ઘટના પછી, મેં સુપ્રીમ કોર્ટ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે અરજી દાખલ કરી છે. દેખાવોના નામે, એક મહિલા પર બળાત્કાર અને દલિત પુરુષની હત્યા સહિતની માનવતા વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તેને ચાલુ રહેવા ન દે.

વિરોધ કરનારા ખેડૂતો (Farmers)ને દૂર કરવા ઉપરાંત, અરજીમાં કેન્દ્રને વિનંતી કરવામાં આવી છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ પ્રકારના પ્રદર્શન બંધ કરવા અને રોગચાળો સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમને મંજૂરી ન આપવા માટે નિર્દેશો જાહેર કરવા. જ્યારે તેમાં માનવતા વિરોધી કૃત્યો જોવા મળી રહ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર રેલી (Tractor Rally), મહિલા પર બળાત્કાર અને દશેરાના દિવસે લખબીર સિંહની હત્યા સહિતના પ્રદર્શનમાં ઘણી અણધારી અને અસ્વીકાર્ય ઘટનાઓ જોવા મળી છે.

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે એવા સમયે જ્યારે તહેવારો (Festivals) ઉજવવા, મંદિરોની મુલાકાત લેવા, શાળા -કોલેજોમાં જવા પર પ્રતિબંધ છે, ત્યારે આવા પ્રદર્શનને મંજૂરી આપવી સારી વાત નથી. વિરોધીઓ માત્ર પોતાનું જ નહીં પણ ભારતના લાખો લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે રોગચાળો ચાલી રહ્યો હોય ત્યારે આવા લાંબા આંદોલનને મંજૂરી આપી શકાતી નથી.

જાહેર સ્થળો પર લાંબા સમય સુધી પ્રદર્શન માત્ર સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન જ નથી પરંતુ તે અન્ય લોકોના જીવન અધિકારનું પણ ઉલ્લંઘન કરી રહ્યું છે જેઓ આ વિરોધ પ્રદર્શનથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રભાવિત છે.

આ માગ સૌથી પહેલા 10 મેના રોજ કરવામાં આવી હતી

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પીઆઈએલ 10 મેના રોજ પ્રથમ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના એક સર્વરમાં ખામીના કારણે તે દિવસે સુનાવણી થઈ શકી ન હતી અને બાદમાં પણ તેની સુનાવણી થઈ શકી ન હતી. દરમિયાન, સુપ્રીમ કોર્ટ નોઈડાની રહેવાસી મોનિકા અગ્રવાલની અરજી પર પણ સુનાવણી કરી રહી છે. અરજદારે નાકાબંધી હટાવવાની વિનંતી કરતા કહ્યું કે પહેલા તેઓ દિલ્હી પહોંચવામાં 20 મિનિટ લેતા હતા અને હવે બે કલાકથી વધુ સમય લાગી રહ્યો છે અને દિલ્હી બોર્ડર (Delhi border) પર યુપી ગેટ પર પ્રદર્શનને કારણે વિસ્તારના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

4 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે 43 ખેડૂત સંગઠનો અને તેમના નેતાઓ પાસેથી જવાબ માંગ્યો હતો, જેમાં રાકેશ ટિકૈત (Rakesh Tikait), દર્શન પાલ અને ગુરનમ સિંહનો સમાવેશ થાય છે, જે દિલ્હીની સરહદો (Delhi border)પર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. અદાલતે હરિયાણા સરકાર (Haryana Government) પાસેથી જવાબ માંગ્યો હતો કે, આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ખેડૂત નેતાઓ તેની સમિતિ સાથે વાતચીત કરી રહ્યા નથી જેથી અહીંના રસ્તાઓ પરના અવરોધને દૂર કરી શકાય.

આ પણ વાંચો : સશસ્ત્ર તાલિબાન લડવૈયાઓ 10 દિવસમાં બીજી વખત કાબુલ ગુરુદ્વારામાં પ્રવેશ્યા, લોકોને ગભરાવવાનો ખેલ શરૂ કર્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">