Supreme court : હોસ્પિટલોને ફાયર સેફ્ટી માટે 2022 સુધીનો સમય આપતા, ગુજરાતને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટ દ્વારા હોસ્પિટલના ધારોધોરણોને લઈને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં હોસ્પિટલો 2022 સુધી ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરો અને જેથી લોકો બળીને મરી શકે".
કોરોનાની બીજી લહેરમાં(Second Wave) સમગ્ર દેશમાં કોરોનાએ આતંક મચાવ્યો હતો.વધતા કોરોના સંક્રમણને પગલે લોકોને હોસ્પિટલમાં લોકોને જગ્યા મળવી પણ મુશ્કેલ બની હતી.ત્યારે કોરોના કાળ દરમિયાન રાજ્યમાં અનેક કોવિડ હોસ્પિટલમાં (Covid hospital) આગની ઘટનાઓ સામે આવી છે.
ત્યારે સર્વોચ્ચ અદાલતે આ પ્રકારની તમામ હોસ્પિટલોના ફાયરપ્લેસ ઓડિટ(Fire Audit) માટે રાજ્યોને વિનંતી કરી હતી અને રાજ્યોને આવી હોસ્પિટલો સામે પગલા લેવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
ન્યાયાધીશ એમ.આર. શાહે (M.R.Shah)જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, ગુજરાતે હોસ્પિટલોને જાહેરનામાનું પાલન કરવા માટે માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
જાહેરનામાનું પાલન ન કરતા સુપ્રીમ કોર્ટનું આકરું વલણ
કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં સિક્યુરિટીના(Security) ધારાધોરણોનું યોગ્ય પાલન થાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માટે જે-તે રાજ્યને કોવિડ હોસ્પિટલની ફાયર NoC બાબતે કડક વલણ દાખવવાનું કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, હોસ્પિટલમાં આ પ્રકારની સિક્યુરિટી ન હોવાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ પણ સામે આવી છે.
ત્યારે ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલોને 2022 સુધીનો સમય આપતા સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે (Justice DY Chandrachude)જણાવ્યું હતું કે, “ગુજરાતની હોસ્પિટલો 2022 સુધી ફાયર નિયમોનું પાલન ન કરે જેથી લોકો બળીને મરી શકે.”
ઉલ્લેખનીય છે કે,જે હોસ્પિટલોમાં કાર્ટે દ્વારા બ્લેન્ચ આપવામાં આવે છે જેને ફાયરપ્લેસ સિક્યુરિટી સિસ્ટમની જરૂર રહેતી નથી. અને આવી હોસ્પિટલોને 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે ન્યાયધીશે ગુજરાત સરકારની આકરી ટીકા કરી છે.જાહેરનામાના આધારે ગુજરાત કોર્ટના ડોકેટમાં રાજ્યના અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે, ફાયર પ્લેસ ઓડિટ અંગે તપાસ કરીને હોસ્પિટલોને ડિસેમ્બર 2020 સુધીનાં ફાયર સિક્યુરીટી માટે વિનંતી કરી છે.