પૈેંગોંગમાં ચીન સાથે ઘર્ષણ બાદ રાજનાથ સિંહની હાઈ લેવલની બેઠક, વર્તમાન સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા
ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા ફરી વિવાદ અને ઘર્ષણ બાદ દિલ્હીમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહની આગેવાનીમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન જય શંકર, NSA અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે અને DGMO પણ સામેલ છે. ચીન સાથે હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ચીન સામે […]
ભારત અને ચીન વચ્ચે સર્જાયેલા ફરી વિવાદ અને ઘર્ષણ બાદ દિલ્હીમાં રક્ષા પ્રધાન રાજનાથસિંહની આગેવાનીમાં મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન જય શંકર, NSA અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે અને DGMO પણ સામેલ છે. ચીન સાથે હાલમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ચીન સામે કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવી વગેરે પર ચર્ચા કરી શકવાની સંભાવના બતાવાઈ રહી છે.
પૈગોંગમાં શું થયું?
જણાવી દઈએ કે શનિવારે રાતે ચીનનાં સૈનિકોએ પૈગોંગ ઝીલ પાસે ઘુસણખોરીની કોશિશ કરી હતી જો કે સાવધાન રહેલા ભારતીય સૈનિકોએ તેમને ખદેડી નાખ્યા હતા. જાણવા મળ્યું હતું કે ત્યાં બે ત્રણ જગ્યા પર ચીનનાં સૈનિકો ભેગા થઈ ગયા હતા જેને ખદેડી મુકવામાં આવ્યા હતા, ચીન તરફથી આ ઘુસણખોરી દક્ષિણ કિનારા વિસ્તારમાં થઈ, ભારતમાં ત્યાં મોટી સંખ્યામાં સૈનિકો ખડકી રાખવામાં આવ્યા છે.
Defence Minister @rajnathsingh to call a high level meet over rising tensions between India-China . pic.twitter.com/hCnbcWWahu
— tv9gujarati (@tv9gujarati) September 1, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો