AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patiala Violence: શિવસેના નેતા હરીશ સિંગલા બે દિવસની પોલીસ કસ્ટડીમાં, હિંસા ભડકાવવાનો છે આરોપ

પટિયાલામાં (Patiala Violence) શુક્રવારે હિંદુ અને શીખ જૂથો વચ્ચે અથડામણ થયા બાદ હરીશ સિંગલાને શિવસેનાના પંજાબ કાર્યકારી અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

Patiala Violence: શિવસેના નેતા હરીશ સિંગલા બે દિવસની પોલીસ કસ્ટડીમાં, હિંસા ભડકાવવાનો છે આરોપ
Patiala ViolenceImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 8:25 PM
Share

કોર્ટે શિવસેનાના નેતા હરીશ સિંગલાને (Shiv Sena Leader Harish Singla) પટિયાલા હિંસા (Patiala Clash) બાબતે બે દિવસની પટિયાલા પોલીસની કસ્ટડીમાં મોકલી દીધા છે. સિંગલાની શુક્રવારે ખાલિસ્તાન વિરોધી માર્ચનું નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પરવાનગી વિના સરઘસ કાઢવાનો અને હિંસા ભડકાવવાનો આરોપ છે. શુક્રવારે પટિયાલામાં હિંદુ અને શીખ જૂથો વચ્ચે અથડામણ થયા બાદ સિંગલાને શિવસેનાના પંજાબ કાર્યકારી અધ્યક્ષ પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યા હતા.

પટિયાલામાં કાલી માતાના મંદિરની બહાર જ્યારે સિંગલાના જૂથે નજીકના આર્ય સમાજ ચોકથી ‘ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ’ શરૂ કરી ત્યારે અથડામણ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે નિહંગ સહિત કેટલાક શીખ કાર્યકર્તાઓ, જેઓ દુઃખ નિવારણ સાહિબ ગુરુદ્વારામાં એકઠા થયા હતા. તે મંદિર તરફ આગળ વધ્યા. તેમાંથી કેટલાકે તલવારો પણ લહેરાવી. તેમણે કહ્યું કે શીખ સમુદાયના સરઘસને પણ અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. પોલીસના જણાવ્યા મુજબ મંદિર પાસે બંને જૂથો સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો. આ પછી, મંદિરના દરવાજા તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા અને શહેરમાં હિંસા ન ફેલાય તે માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

SFJએ ખાલિસ્તાનનો સ્થાપના દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી

આ અંગે સ્પષ્ટતા કરતા હરીશ સિંગલાએ શુક્રવારે કહ્યું હતું કે સંગઠને 29 એપ્રિલના રોજ ‘ખાલિસ્તાન સ્થાપના દિવસ’ તરીકે ઉજવવાની ‘શીખ ફોર જસ્ટિસ’ની જાહેરાતના જવાબમાં માર્ચનું આયોજન કર્યું હતું. સિંગલાએ કહ્યું કે પ્રતિબંધિત જૂથ ‘સિખ્સ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત પન્નુને 29 એપ્રિલને ખાલિસ્તાનના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

ઈન્ટરનેટ અને મેસેજ સેવા સ્થગિત

બે જૂથો વચ્ચેની અથડામણના એક દિવસ પછી, પંજાબ સરકારે પટિયાલામાં મોબાઇલ ઇન્ટરનેટ અને મેસેજિંગ સેવાઓને સ્થગિત કરી દીધી છે. રાજ્યના ગૃહ અને ન્યાય વિભાગ દ્વારા વોઈસ કોલ સિવાય મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ અને ન્યાય વિભાગના મુખ્ય સચિવ અનુરાગ વર્માએ આદેશમાં જણાવ્યું હતું કે પટિયાલા જિલ્લામાં પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રાષ્ટ્રવિરોધી અને અસામાજિક ઈરાદાને નિષ્ફળ બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જૂથો તેમણે કહ્યું હતું કે આ પગલું શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવામાં મદદ કરશે અને જાનહાનિ, જાહેર અથવા ખાનગી સંપત્તિના નુકસાનને અટકાવશે.

આ પણ વાંચો: PM મોદી મે મહિનામાં 3 દેશની મુલાકાત લેશે, 65 કલાક દરમિયાન 25 કાર્યક્રમોમાં સામેલ થશે, 50 ઉદ્યોગપતિઓને મળશે

આ પણ વાંચો: EDએ બોલાવ્યો બેંગલુરુમાં ચીની ટેલિકોમ કંપની Xiaomi પર સપાટો, 5,551 કરોડની સંપત્તિ જપ્ત કરી

Follow Us
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">