પાકિસ્તાન સપનામાં પણ ગાઝી અટેકથી ડરી જાય છે, ભારત સાથે ભીડવા જતા ભેખડે ભરાઈ ગયુ હતું

પાકિસ્તાનના પ્લાન ભારતને બરબાદ કરવા માટે કઈંક અલગ જ હતા જો કે હુમલાના પ્લાનિંગને એક જ વારમાં જમીનદોસ્ત કરી નાખનારી ભારતીય નેવીના એ હુમલાને ખાસ યાદ રાખવામાં આવે છે. 4 ડિસેમ્બરના રોજ PNS GAZIને ભારતે દરિયામાં દફન કરી નાખ્યું હતું. વાંચો શું છે આ સ્ટોરી અને તેની પાછળની સચ્ચાઈ.

પાકિસ્તાન સપનામાં પણ ગાઝી અટેકથી ડરી જાય છે, ભારત સાથે ભીડવા જતા ભેખડે ભરાઈ ગયુ હતું
Pakistan is afraid of Ghazi attack even in dreams, story of the gazi attack
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 11:23 AM

આજનો દિવસ ભારતીય નેવી માટે ખુબ સન્માન અપાવનારો અને યાગદાર દિવસ છે, કેમકે આ દિવસે ભારતે પાકિસ્તાનને એવો સબક શિખવાડ્યો હતો કે જેને લઈને આજે પણ તેમને સપનામાં એ હુમલાની યાદ આવે છે. પાકિસ્તાનના પ્લાન ભારતને બરબાદ કરવા માટે કઈંક અલગ જ હતા જો કે હુમલાના પ્લાનિંગને એક જ વારમાં જમીનદોસ્ત કરી નાખનારી ભારતીય નેવીના એ હુમલાને ખાસ યાદ રાખવામાં આવે છે. 4 ડિસેમ્બરના રોજ PNS GAZIને ભારતે દરિયામાં દફન કરી નાખ્યું હતું. વાંચો શું છે આ સ્ટોરી અને તેની પાછળની સચ્ચાઈ.

ભારતે 1971ના આ યુદ્ધમાં બીજા જ દિવસે તેની કરોડરજ્જુ તોડી નાખી હતી. ભારતીય નૌકાદળના ધ્યાનમાં પાકિસ્તાનની સબમરીન આવી ગઈ હતી કે જેમાં 90 જેટલા સેનિકો સવાર હતા, જો કે ભારતે ઘડેલી વ્યુહરચનાને લઈ આ બદા સૈનિકો દરીયામાં ડુબી ગયા હતા. ભારતીય સેનાએ આ બધાને વેસ્ટર્ન પાર્ટમાં ઘેરી લઈને ચાર ડિસેમ્બરના રોજ હુમલો કર્યો હતો જેમાં પાકિસ્તાનનું PNS ખૈબર અને PNS મુહાફિઝ પાણીમાં ગરક થઈ ગયા હતા. કરાચી બંદર પર કરાયેલા હુમલામાં આ બે યુદ્ધ જહાજ ડુબી જવાને લઈને પાકિસ્તાનને મોટુ નુક્શાન થયું હતું.

આઈએનએસ વિક્રાંતના નેતૃત્વમાં ભારતીય નૌકાદળે જાળ બિછાવી હતી અને તેની ઈસ્ટર્ન કમાન્ડે નાકાબંધી કરી હતી. જેના કારણે પૂર્વ પાકિસ્તાન બંગાળની ખાડીમાં સંપૂર્ણપણે અલગ પડી ગયું હતું. પાકિસ્તાને નાકાબંધીથી પરેશાન થઈને તેની ઈન્વેન્ટરીમાં શ્રેષ્ઠ સબમરીન પીએનએસ ગાઝી મોકલવાનું નક્કી કર્યું. ગાઝીને મોકલવા પાછળ બે ઉદ્દેશ્ય રાખવામાં આવ્યા હતા, જેમાં પહેલું લક્ષ્ય INS વિક્રાંતને શોધીને તેને ડૂબવાનું હતું અને બીજું ભારતના પૂર્વીય સમુદ્ર તટ પર ખાણો નાખવાનું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વાસ્તવમાં, PNS ગાઝી વિના, પાકિસ્તાન નેવી પૂર્વ પાકિસ્તાનમાં વિક્રાંતના ઓપરેશનને ખલેલ પહોંચાડી શક્યું ન હોત. જો કે તેની જૂની સબમરીનની હાલત પહેલેથી જ ખરાબ થઈ ગઈ હતી કારણ કે તેની સારી જાળવણી માટે પૈસા નહોતા. આવી સ્થિતિમાં તેની સબમરીન ભારત સાથે સ્પર્ધા કરવા ગઈ હતી, પરંતુ રસ્તામાં તેનું કામ વિશાખાપટ્ટનમ પાસે પૂરું થઈ ગયું હતું, જેમાં તેને મોટું નુકસાન થયું હતું અને લગભગ અડધું યુદ્ધ ભારત જીત્યું હતું.

આ પહેલા પાકિસ્તાનની વાયુસેનાએ 3 ડિસેમ્બરની સાંજે ભારત પર હુમલો કર્યો હતો. તેમના વાયુસેનાના લડાકુ વિમાનોએ આગ્રા સહિત ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 11 એરફોર્સ બેઝને નિશાન બનાવ્યા. દેશને અંદાજ ન હતો કે પાકિસ્તાન આવું પગલું ભરશે. તેના આ કૃત્યથી તેણે પોતાની કબર ખોદી હતી. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ એ જ સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને સંદેશો આપતાં કહ્યું હતું કે ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાન તરફથી હવાઈ હુમલાની જાહેરાત કરવામાં આવે છે.

હવે ભારતીય વાયુસેનાએ તેનો જવાબ મજબુતાઈથી આપવાનું નક્કી કરી લેતા તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને રાત્રે જ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાનની હાલત થોડા જ સમયમાં પાતળી થતી ગઈ. બંને દેશો વચ્ચેનો સંઘર્ષ 13 દિવસ સુધી ચાલ્યો અને 16 ડિસેમ્બરે પાકિસ્તાને ભારતને આત્મસમર્પણ કર્યું અને પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">