AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: પાકિસ્તાન જઈને અંજુ બની ફાતિમા, ધર્મ પરિવર્તન કર્યાની થઈ પુષ્ટિ, જુઓ Video

નસરુલ્લાના પ્રેમમાં ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ઈસ્લામ કબૂલ કર્યો છે. પાકિસ્તાન ગયા બાદ તેમને ધર્મ પરિવર્તન કર્યું અને હવે આ વાતની પુષ્ટિ થઈ છે. અંજુનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં હાજર એક વ્યક્તિ અંજુને ફાતિમા કહીને બોલાવી રહ્યો છે.

Pakistan: પાકિસ્તાન જઈને અંજુ બની ફાતિમા, ધર્મ પરિવર્તન કર્યાની થઈ પુષ્ટિ, જુઓ Video
Anju Nasrullah
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 4:09 PM
Share

પાકિસ્તાનથી (Pakistan) અંજુનો (Anju) નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ તે આશંકાઓનો અંત લાવી દીધો છે જેના વિશે સતત ચર્ચા ચાલી રહી હતી. નસરુલ્લાના પ્રેમમાં ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ઈસ્લામ કબૂલ કર્યો છે. પાકિસ્તાન ગયા બાદ તેમને ધર્મ પરિવર્તન કર્યું અને હવે આ વાતની પુષ્ટિ થઈ છે. અંજુનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં હાજર એક વ્યક્તિ અંજુને ફાતિમા કહીને બોલાવી રહ્યો છે. આ સિવાય લોકો અંજુને લગ્નની ભેટ આપવા પણ આવી રહ્યા છે.

અંજુએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં અંજુની આસપાસ કેટલાક સંબંધીઓ જોઈ શકાય છે, જેઓ લગ્ન પછી તેને ભેટ આપતા જોવા મળી રહ્યા છે. અંજુ પાકિસ્તાન ગયા પછી જ એવી અટકળો શરૂ થઈ હતી કે તેણે તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને ઈસ્લામ અંગીકાર કરી લીધો છે.

બંનેએ ક્યારેય લગ્નની વાત સ્વીકારી ન હતી

વીડિયો સામે આવ્યા બાદ તેની પુષ્ટિ થઈ હતી. આ પહેલા અંજુ અને નસરુલ્લા કોર્ટમાં જતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે, બંનેએ ક્યારેય ખુલ્લેઆમ લગ્નની વાત સ્વીકારી ન હતી. આ સિવાય અંજુએ પણ ઈસ્લામ ધર્મ અંગીકારની વાત સ્વીકારી ન હતી.

આ પણ વાંચો : Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી

થોડા દિવસો પહેલા પોતાના પ્રેમી માટે પાકિસ્તાન ગયેલી અંજુના પિતા ગયા પ્રસાદ થોમસનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, અંજુએ મારી સાથે છેતરપિંડી કરી છે. તે હવે મારા માટે મરી ગઈ છે. જો ભૂલથી પણ અંજુ મારી નજીક આવશે તો હું તેને ગોળી મારી દઈશ. અંજુના પિતાએ વધુમાં કહ્યું હતું કે, તે તેને તેના જીવનમાં ફરી ક્યારેય જોવા માંગતા નથી.

પિતા પહેલેથી જ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે

અંજુનું ગામ ગ્વાલિયર જિલ્લાના ટેકનપુરમાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે અંજુના પિતા ગયા પ્રસાદ થોમસ પહેલા જ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે. પહેલા હિંદુ, પછી ઈસાઈ અને હવે દીકરીએ ઈસ્લામ કબૂલ કર્યા પછી આખું ગામ પરિવારની સામે ઊભું હોય તેવું લાગી રહ્યું છે. લોકોએ કહ્યું કે દીકરીએ ઈસ્લામ કબૂલ કર્યા બાદ આખા પરિવારે પોતાનો ધર્મ બદલીને પાકિસ્તાન જવુ જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">