Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી

બીજી તરફ વાયરલ વીડિયો કેસમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના ડેટાના આધારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, મણિપુર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 14 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી
CBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:07 PM

મણિપુરમાં (Manipur) મહિલાઓ સાથેના અત્યાચારની તપાસ CBIએ હવે પોતાના હાથમાં લીધી છે. એજન્સીએ આજે એટલે કે ​​શનિવારે આ મામલે FIR નોંધી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં કુકી મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ કરવાનો મામલો સામે આવ્યો હતો. રાજ્યમાં હિંસા શરૂ થઈ ત્યરબાદ 4 મેના રોજ આ ઘટના બની હતી.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. (Indian National Developmental Inclusive Alliance) ના નેતા પણ આજથી મણિપુરની બે દિવસની મુલાકાતે છે. તેઓ તે સ્થળની પણ મુલાકાત લેશે જ્યાં મહિલાઓનું શોષણ અને અત્યાચાર થતો હતો.

કેસની તપાસ રાજ્યની બહાર થવી જોઈએ

સુપ્રિમ કોર્ટે 20 જુલાઈના રોજ વાયરલ વિડિયો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે આ જઘન્ય અપરાધના ગુનેગારો સામે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “અમે સરકારને થોડો સમય આપીશું, ત્યારબાદ અમે આ મામલાની જાતે તપાસ કરીશું.” તેના જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે આ મામલાની તપાસ CBI દ્વારા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ કોર્ટ પાસે એવી પણ માગ કરી હતી કે કેસની તપાસ રાજ્યની બહાર થવી જોઈએ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

CBIની વિશેષ ટીમ કરી રહી છે તપાસ

કાંગપોકપીમાં 3 મહિલાઓએ સાથે અત્યાચાર થયો હતો. બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરવામાં આવી હતી અને એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. CBI એ તેની પ્રક્રિયા મુજબ, મણિપુર પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ટેક ઓવર કરી હતી. સીબીઆઈ પાસે પહેલાથી જ મણિપુર હિંસા સંબંધિત 6 કેસ છે, જેની તપાસ એજન્સી કરી રહી છે. સીબીઆઈની વિશેષ તપાસ ટીમ રાજ્યમાં કામ કરી રહી છે.

આ પણ વાંચો : Manipur Violence: ‘મણિપુર હિંસામાં ચીનનો હાથ’, પૂર્વ સેના પ્રમુખ નરવણેના નિવેદનથી મચ્યો ખળભળાટ

વાયરલ વીડિયો મામલે 7 લોકોની ધરપકડ

SITની ટીમમાં DIG રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમમાં મહિલા અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર સીબીઆઈએ અત્યાર સુધી 6 કેસમાં કોઈની ધરપકડ કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે એજન્સી કેસોની તપાસને ગુપ્ત રાખી રહી છે.

બીજી તરફ વાયરલ વીડિયો કેસમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના ડેટાના આધારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, મણિપુર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 14 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">