Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી

બીજી તરફ વાયરલ વીડિયો કેસમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના ડેટાના આધારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, મણિપુર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 14 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી
CBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:07 PM

મણિપુરમાં (Manipur) મહિલાઓ સાથેના અત્યાચારની તપાસ CBIએ હવે પોતાના હાથમાં લીધી છે. એજન્સીએ આજે એટલે કે ​​શનિવારે આ મામલે FIR નોંધી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં કુકી મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ કરવાનો મામલો સામે આવ્યો હતો. રાજ્યમાં હિંસા શરૂ થઈ ત્યરબાદ 4 મેના રોજ આ ઘટના બની હતી.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. (Indian National Developmental Inclusive Alliance) ના નેતા પણ આજથી મણિપુરની બે દિવસની મુલાકાતે છે. તેઓ તે સ્થળની પણ મુલાકાત લેશે જ્યાં મહિલાઓનું શોષણ અને અત્યાચાર થતો હતો.

કેસની તપાસ રાજ્યની બહાર થવી જોઈએ

સુપ્રિમ કોર્ટે 20 જુલાઈના રોજ વાયરલ વિડિયો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે આ જઘન્ય અપરાધના ગુનેગારો સામે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “અમે સરકારને થોડો સમય આપીશું, ત્યારબાદ અમે આ મામલાની જાતે તપાસ કરીશું.” તેના જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે આ મામલાની તપાસ CBI દ્વારા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ કોર્ટ પાસે એવી પણ માગ કરી હતી કે કેસની તપાસ રાજ્યની બહાર થવી જોઈએ.

અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?

CBIની વિશેષ ટીમ કરી રહી છે તપાસ

કાંગપોકપીમાં 3 મહિલાઓએ સાથે અત્યાચાર થયો હતો. બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરવામાં આવી હતી અને એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. CBI એ તેની પ્રક્રિયા મુજબ, મણિપુર પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ટેક ઓવર કરી હતી. સીબીઆઈ પાસે પહેલાથી જ મણિપુર હિંસા સંબંધિત 6 કેસ છે, જેની તપાસ એજન્સી કરી રહી છે. સીબીઆઈની વિશેષ તપાસ ટીમ રાજ્યમાં કામ કરી રહી છે.

આ પણ વાંચો : Manipur Violence: ‘મણિપુર હિંસામાં ચીનનો હાથ’, પૂર્વ સેના પ્રમુખ નરવણેના નિવેદનથી મચ્યો ખળભળાટ

વાયરલ વીડિયો મામલે 7 લોકોની ધરપકડ

SITની ટીમમાં DIG રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમમાં મહિલા અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર સીબીઆઈએ અત્યાર સુધી 6 કેસમાં કોઈની ધરપકડ કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે એજન્સી કેસોની તપાસને ગુપ્ત રાખી રહી છે.

બીજી તરફ વાયરલ વીડિયો કેસમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના ડેટાના આધારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, મણિપુર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 14 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
g clip-path="url(#clip0_868_265)">