Amit Shah JK Visit : જમ્મુ કાશ્મીરમાં ત્રણ પરિવારે જ 70 વર્ષ રાજ કર્યુ, રાજૌરીમાં પહેલીવાર જાહેરસભા કરતા અમિત શાહ

ગૃહમંત્રીએ કહ્યું,આજની આ જાહેરસભામાં ઉમટેલી જનમેદની કલમ 370નું સમર્થન કરનારાઓને યોગ્ય જવાબ છે. તેઓ કહેતા હતા કે કલમ 370 હટશે તો પીર પંજાલમાં આગ લાગશે, પરંતુ ઘાટીમાં શાંતિ છે.

Amit Shah JK Visit : જમ્મુ કાશ્મીરમાં ત્રણ પરિવારે જ 70 વર્ષ રાજ કર્યુ, રાજૌરીમાં પહેલીવાર જાહેરસભા કરતા અમિત શાહ
Union Home Minister Amit Shah visit to Jammu KashmirImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 3:40 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અમિત શાહે મંગળવારે માતા વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી રાજૌરી પહોંચ્યા અને જનસભાને સંબોધિત કરી. ગૃહમંત્રીએ કહ્યું કે, ગૃહમંત્રીએ કહ્યું, આજની આ જાહેરસભામાં ઉમટેલી જનમેદની કલમ 370નું સમર્થન કરનારાઓને યોગ્ય જવાબ છે. તેઓ કહેતા હતા કે કલમ 370 હટશે તો પીર પંજાલમાં આગ લાગશે, પરંતુ ઘાટીમાં શાંતિ છે. અમિત શાહે પહાડી અને ગુર્જર બકરવાલને પણ અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું- મહાભારત કાળની આ પહાડીઓ ભારતની સરહદોની મજબૂત રક્ષક છે. જ્યારે પણ દેશ સંકટમાં હતો ત્યારે પહાડી અને ગુર્જર બકરવાલ ખડકની જેમ ઉભા હતા. તમે ભારતની સુરક્ષાનું અભેદ્ય દ્વાર બનાવ્યું છે અને હવે આખો દેશ તેના દ્વારા સલામત રીતે સૂઈ રહ્યો છે. શાહે લેફ્ટનન્ટ ગવર્નરને મહારાજા હરિ સિંહની જન્મજયંતિ પર રજા આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વીર બંદા બહાદુરને પણ યાદ કર્યા. રાજૌરી તેમની જ જમીન છે.

ત્રણ પરિવારોએ જ જમ્મુ-કાશ્મીર પર 70 વર્ષ સુધી શાસન કર્યું

તેમણે કહ્યું, ‘J&Kમાં 70 વર્ષ સુધી ત્રણ પરિવારોનું શાસન હતું, લોકશાહી તેમના પરિવારોમાં જ બંધાઈ હતી. શું તમને બધાને ક્યારેય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો અધિકાર મળ્યો છે ? ત્રણ પરિવારોએ માત્ર પેઢીઓ સુધી શાસન કરવા માટે લોકશાહી, જમ્હૂરિયતનો અર્થ કાઢી નાખ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં મોદી સરકારે સૌપ્રથમ પંચાયત ચૂંટણી કરાવી

અમિત શાહે કહ્યું કે, ‘દેશમાં સરકાર બદલાઈ, નરેન્દ્ર મોદીજી 2014થી વડાપ્રધાન બન્યા, પછી મોદીજીએ જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ પંચાયતની ચૂંટણી કરાવી. પહેલા જે માત્ર ત્રણ પરિવાર સાથે હતું, આજે જમ્મુ-કાશ્મીરમાં 30 હજાર લોકોનું પંચાયતસ્તરે શાસન આવી ગયું છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1.62 કરોડ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી

ગૃહમંત્રીએ કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1 કરોડ 62 લાખ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં આવ્યા છે. 4766 આતંકવાદી ઘટનાઓ, કલમ 370 નાબૂદ થયા પહેલાના આંકડા છે. 2019 થી 2022 સુધી 721 આતંકવાદી ઘટનાઓ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોના હાથમાંથી પથ્થર લઈને લેપટોપ આપવાનું કામ કર્યું છે.

ઘાટીમાંથી પણ કોઈ વડાપ્રધાન કે મુખ્યમંત્રી બની શકે છે

તેમણે કહ્યું, “આઝાદીથી લઈને 2019 સુધી સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં 15,000 કરોડ રૂપિયાનું ઔદ્યોગિક રોકાણ આવ્યું હતું. 2019 થી અત્યાર સુધીના માત્ર ત્રણ વર્ષમાં સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં 56 હજાર કરોડ રૂપિયાનું ઔદ્યોગિક રોકાણ આવ્યું છે. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરનો સંપૂર્ણ વિકાસ ઈચ્છે છે. ઘાટીમાંથી કોઈપણ વ્યક્તિ વડાપ્રધાન અને મુખ્યમંત્રી પણ બની શકે છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">