AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ એક રાજ્ય ઓમીક્રોનના ભરડામાં, ઓમીક્રોનના વધતા વ્યાપથી ચિંતાના વાદળો, દેશભરમાં 900 થી વધુ કેસ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં આ વેરીઅન્ટના 252 કેસ સામે આવ્યા છે. યુપી અને ઓડિશામાં એક-એક કેસ નોંધાયા છે.

વધુ એક રાજ્ય ઓમીક્રોનના ભરડામાં, ઓમીક્રોનના વધતા વ્યાપથી ચિંતાના વાદળો, દેશભરમાં 900 થી વધુ કેસ
symbolic photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 12:20 AM
Share

દેશમાં કોરોનાના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનું (Omicron variant) સંક્રમણ વધી રહ્યું છે. બુધવારે સવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, દેશભરના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (union territories) ઓમિક્રોનના 781 કેસ નોંધાયા હતા, પરંતુ રાતના સમય સુધીમાં, આ વેરીઅન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 911 થઈ ગઈ છે. હવે પંજાબ રાજ્ય પણ ઓમિક્રોનની પકડમાં આવી ગયું છે.

ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. ઘણા રાજ્યોના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઓમિક્રોનના કેસ વધીને 911 થઈ ગયા છે. આ કેસમાં વધુ વધારો થવાની સંભાવના છે કારણ કે મોટાભાગના રાજ્યોમાંથી આ વેરિઅન્ટ અંગે અપડેટ્સ આવ્યા નથી. મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં આજે પણ ઓમિક્રોનના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પંજાબમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો છે. હરિયાણામાં આજે ઓમિક્રોન કેસ સામે આવ્યા નથી, પરંતુ અહીં પહેલાથી જ 12 કેસ છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 નવા કેસ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 નવા કેસ નોંધાયા છે, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં આ પ્રકારના 252 કેસ સામે આવ્યા છે. તેવી જ રીતે, બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના 38 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં પહેલાથી જ ઓમિક્રોનના 238 કેસ હતા જે હવે વધીને 276 થઈ ગયા છે. આજે રાજસ્થાનમાં ઓમિક્રોનના 23 નવા કેસ મળી આવ્યા છે. આ રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 69 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે બુધવારે ઓમિક્રોનના 19 નવા કેસ નોંધાયા હતા. નવા કેસના આગમન સાથે, રાજ્યમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 97 પર પહોંચી ગઈ છે.

બંગાળ અને કર્ણાટકમાં 5-5 ઓમિક્રોન કેસ

આંધ્રપ્રદેશમાં પણ કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. આજે ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા હતા, જેનાથી રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યા 16 થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે રાજ્યમાં ઓછામાં ઓછા 5 વધુ લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા, જેનાથી અહીં કોરોના વાયરસના નવા વેરીઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 11 થઈ ગઈ છે.

કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકર કે. એ માહિતી આપી હતી કે આજે રાજ્યમાં ઓમિક્રોનના 5 નવા કેસની પુષ્ટિ થઈ છે. તમામ પોઝિટિવ દર્દીઓને અલગ રાખવામાં આવ્યા છે. હવે આની કુલ સંખ્યા 43 થઈ ગઈ છે.

બુધવારે ઓડિશામાં ઓમિક્રોનનો વધુ એક નવો કેસ નોંધાયો છે, જે બાદ રાજ્યમાં આ વેરિઅન્ટથી સંબંધિત કેસની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. એ જ રીતે ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં વિદેશથી પરત ફરેલો યુવક ઓમિક્રોનથી સંક્રમિત છે. રાજ્યમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાયા છે.

પંજાબમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી

પંજાબમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. આ મહિને એક 36 વર્ષીય વ્યક્તિ સ્પેનથી રાજ્યમાં આવ્યો હતો, જેના સેમ્પલની તપાસમાં વાયરસના આ વેરીઅન્ટની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આ વ્યક્તિ 4 ડિસેમ્બરે ભારત પહોંચ્યો હતો અને પંજાબના નવાશહરમાં તેના સંબંધીઓ પાસે ગયો હતો.

અધિકારીએ કહ્યું કે ભારત પહોંચ્યા પછી વ્યક્તિની તપાસમાં સંક્રમણની પુષ્ટિ થઈ ન હતી. તેમણે કહ્યું કે 12 ડિસેમ્બરે તેની તપાસમાં સંક્રમણ જોવા મળ્યું હતું. આ પછી સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે સરકારી મેડિકલ કોલેજ, પટિયાલામાં મોકલવામાં આવ્યા હતા. પછી તેની પુષ્ટિ થઈ.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 85 કેસ, 24 કલાકમાં કોરોનાના વિક્રમી 3900 કેસ, મુંબઈમાં કોરોનાના 2,510 નવા કેસ

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">